Home Blog Page 1500

પત્રકાર આલમના સૌરાષ્ટ્રના સાવજ સમાન જગદીશભાઈ મહેતાનો આજે જન્મદિવસ

(જયદેવ બુધ્ધભટ્ટી )  પત્રકાર આલમના સૌરાષ્ટ્રના સાવજ સમાન કોઈ પણ ચમરબંધીની સાળી-બારી રાખ્યા વગર નિર્ભેળ સત્ય રજુ કરનાર પત્રકાર આલમના સૌરાષ્ટ્રના સાવજ જગદીશભાઈ મહેતાનો આજે જન્મદિનની શુભેચ્છા અને શુભકામના આપતા સહર્ષ લાગણી અનુભવી છીએ… સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ મીડિયા ગ્રુપ ‘ જય હિન્દ ‘ અને તેના સાંધ્ય દૈનિક ‘ ગુજરાત મિરર ‘ ના સિનિયર પત્રકાર તથા મારા ગુરુજી શ્રી જગદીશ મહેતાનો આજે તારીખ 28/6/2019 નાં રોજ 55 મો જન્મદિન છે. પોતાની ધારદાર કલમવાળી કોલમ” ઓન ધ સ્પોટ ” થકી સૌરાષ્ટ્રભરના વાંચકવૃંદમાં અનેરું સ્થાન ધરાવતા જગદીશ મહેતાએ તેમની પત્રકારિતા, એ વેળા મુંબઈથી પ્રસિદ્ધ ગુજરાતી સામયિક ” અભિયાન ” થી શરૂ કરી હતી.ગુજરાતી પત્રકારત્વના ભીષ્મ પિતામહ એવા કાન્તિ ભટ્ટના નેતૃત્વ હેઠળના “અભિયાન” મેગેઝિન પછી જગદીશ ભાઈએ ગુજરાતીસાપ્તાહિક ” યુવદર્શન”, ” રૂપેરી-ચંદેરી ( ફિલ્મી પાક્ષિક)માં પણ સેવા આપી હતી.જો કે છેલ્લા અઢી-ત્રણ દશકાથી તેઓ રાજકોટ- સૌરાષ્ટ્રની અખબારી આલમમાં છવાયેલા રહ્યા છે. રાજકોટનાં પ્રસિદ્ધ અખબારો ‘નૂતન સૌરાષ્ટ્ર’થી લઈ ‘સંદેશ’, ‘લોક સમર્થન’, ‘અકિલા’, ‘સાંજ સમાચાર’, “દિવ્યદ્રષ્ટિ-દિવ્યક્રાંતિ” અખબારના લીડ સ્ટોરી લેખક લેખક, પત્રકાર , નિવાસી તંત્રી અને કોલમિસ્ટ તરીકે કાર્યરત રહ્યા હતા.હાલમાં તેઓ સુપ્રસિદ્ધ મીડિયા ગ્રુપ ‘જય હિન્દ’ અને તેના સાંધ્ય દૈનિક ‘ ગુજરાત મિરર ‘ માં સિનિયર પત્રકાર-સંપાદક તરીકે ફરજ બજાવી રહ્યા છે. ‘પરિચિત ચાહકોમાં’ “જય શ્રી કૃષ્ણ”ના હુલામણા સંબોધનથી પણ જાણીતા જગદીશ મહેતાની કલમમાં કાઠિયાવાડી- ટચ અને સામાન્ય જન-માનસની આશા- આકાંક્ષાઓનો પડઘો ઝીલાતો રહે છે. વિશુદ્ધ પત્રકારિતાનાં હિમાયતી એવા જગદીશ મહેતાને તેમના 55માં જન્મદિને મો.નં 9375422233 પર અનેક- અનેક શુભેચ્છાઓ અને શુભકામનાઓની વર્ષા થઇ રહી છે. 

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પાર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

……………………………………………….. Advertisement …………………………………………

 

 

 

 

 

 

Happy 1st Birthday… Dhruvil

તુમ જીયો હજ્જારો સાલ… 

મોરબીના નિવાસી  બ્રિજેશભાઈ શેઠના પુત્ર ” શેઠ ધ્રુવિલ બ્રિજેશભાઈ” નો આજે પ્રથમ બર્થ ડે  છે.  ધ્રુવિલને આજે 1 વર્ષ પૂર્ણ થયેલ છે. કોઈ પણ બાળકનો પ્રથમ જન્મદિવસ તેમના માતા પિતા માટે ખુબ યાદગાર રહે છે. આજ પ્રથમ જન્મ દિવસને યાદગાર બનાવવા દિવ્યક્રાંતિ મીડિયા પરિવાર બ્રિજેશભાઈના પુત્રના પ્રથમ જન્મ દિવસની શુભકામના પાઠવે છે. 

મોરબી: માનવ અધિકાર એસોસિએશનના સૌરાષ્ટ્ર મંડળના પ્રભારી તરીકે અશોકભાઈ ઝાલરિયાની નિમણુંક

(દિવ્યક્રાંતિ ન્યુઝ) ઇન્ડિયન માનવ અધિકારી એસોસીએશન પ્રદેશ અધ્યક્ષ પ્રેમચંદ યાદવના અધ્યક્ષસ્થાને તાજેતરમાં એસોની મીટીંગ મળી હતી જેમાં પ્રદેશ અધ્યક્ષ અને ઉપપ્રમુખની ઉપસ્થિતિમાં અશોકભાઈ ઝાલરીયાને સૌરાષ્ટ્ર મંડળના પ્રભારી તરીકે નિમણુક કરવામાં આવી છે તેમજ જયંતભાઈ વડગામાની સૌરાષ્ટ્ર મંડળના સંગઠન મંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. 

આ બેઠકમાં જેક છૈયા, વિનેશ સવસેટા, ગોકુલ પરમાર, અશોક ઝાલરિયા, રવજી ઉલવારાડા, રઘુરાજસિંહ જાડેજા, રેખાબેન સોલંકી, બીપ પટેલ, સત્તારભાઈ વિડજા, ભરતભાઈ મહેતા, વસંતભાઈ , કાનાભાઇ રાજગોર, નરેન્દ્ર પરમાર, ક્રિપાલસિંહ ઝાલા, અમિતભાઇ પનારા, શનિભાઈ લીંબાણી, પ્રાગજીભાઈ રાજપરા, દિવ્યેશભાઈ ખારેજા સહિતના સૌરાષ્ટ્ર મંડળના સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં અશોકભાઈ ઝાલરીયાને સૌરાષ્ટ્ર મંડળના પ્રભારી તરીકે નિમણુક કરવામાં આવી છે.

હોદેદારોની નિયુક્તિ ઉપરાંત મહિલા સુરક્ષા, બિહારની આરોગ્ય સમસ્યા મુદે ચર્ચા કરીને જયારે બનાવ બને છે ત્યારે જ સરકાર અને તંત્ર જાગે છે તેને વખોડીને રાજ્ય સરકાર બધી સરકારી અને અર્ધ સરકારી સંસ્થામાં સીસીટીવી કેમેરા લગાવે તેમજ ગુન્હાખોરી ડામવા યોગ્ય પગલા ભરે તે મુદે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

 

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પાર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

……………………………………………….. Advertisement …………………………………………

 

 

 

 

 

 

મોરબી : ABVP દ્વારા સદસ્યતા અભિયાન અંગેના પોસ્ટરનું વિમોચન કરવામાં આવ્યું

 (દિવ્ય ક્રાંતિ ન્યુઝ), તા. ૨૫ મોરબી ABVP દ્વારા સદસ્યતા અભિયાન અંગેના પોસ્ટરનું વિમોચન કરવામાં આવ્યુ હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દેશ ના પૂનઃનિર્માણ ના ધ્યેય લઈને રચનાત્મક કાર્ય કરતું દેશ નું નહીં પરંતુ વિશ્વ નું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે. તથા વિદ્યાર્થીઓને થયેલ અન્યાય ના મુદ્દે હંમેશા વિદ્યાર્થીઓના પક્ષ માં ઉભું રહેવા માટે પ્રતિબદ્ધ છે.
તે જ રીતે મોરબી જિલ્લા દ્વારા સદસ્યતા અભિયાન અંગે ની બેઠક માં ABVP Membership 2019 ના પોસ્ટર નું વિમોચન કરવામાં આવ્યું તથા બેઠક માં ઉપસ્થિત કાર્યકર્તાઓ ની સદસ્યતા કરવામાં આવી. તા. 25જૂન થી 5જુલાઈ દરમ્યાન સ્કૂલ માં સદસ્યતા અભિયાન ચલાવામાં આવશે. તા. 25જુલાઈ થી 15ઓગસ્ટ દરમિયાન વિવિધ કૉલેજ અને હોસ્ટેલમાં તથા તા.1 થી 7સપ્ટેમ્બર દરમિયાન પ્રોફેશનલ કોર્સીસમાં સદસ્યતા અભિયાન ચલાવવામાં આવશે, સૌથી મોટા વિદ્યાર્થી સંગઠન માં

જોડાવા માટે 8347299946 સંપર્ક કરવા અખબારી યાદી માં જણાવાયું છે.

 

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પાર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

……………………………………………….. Advertisement …………………………………………

 

 

 

 

 

 

મોરબી: સીઝનના પ્રથમ વરસાદે જ તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી

શહેરના હાર્દ સમાં સનાળા રોડ, લાતી પ્લોટ જેવા વિસ્તારોમાં પાણી ભરાયા 

 

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 25, મોરબી શહેરના હાર્દ સમા સનાળા રોડ પર પ્રથમ વરસાદે જ પાણી ભરાતા તંત્રની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઈ છે હજુ સિઝનનો પ્રથમ જ વરસાદ પડ્યો હોય અને એ પણ મામૂલી વરસાદ હોવા છતાં જો મોરબી શહેરના હાર્દ સમા સનાળા રોડ, લાતી પ્લોટ જેવા અનેક વિસ્તારો પાણી ભરાઈ જતું હોય તો આવનારા ચોમાસાના બાકી દિવસોમાં હાલાકી કેટલી ભોગવવી પડશે તે સમજી શકાય છે તંત્ર તાત્કાલિક યુદ્ધના ધોરણે વરસાદી પ્રિમોન્સુન કામગીરી નો પ્રારંભ કરી શહેરમાં ઠેર ઠેર ભરાયેલા પાણીનો નિકાલ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરુ કરે તેવું લોકો ઇચ્છી રહ્યા છે. (અહેવાલ : વિશાલ દવે)

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પાર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પાર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

……………………………………………….. Advertisement …………………………………………

 

 

 

 

 

 

LATEST NEWS

error: Content is protected !!