Home Blog

ટંકારા સ્થાનકવાસી જૈન સંધ સમસ્ત જૈન સમાજ દ્વારા ચૈત્રી આયંબિલ ઓળીની આરાધનાની પુર્ણાહૂતી

ટંકારા સમસ્ત જૈન સમાજ સ્થા જૈન સંધ ધ્વારા સં 2080 ચૈત્રી આયંબિલ ઓળી મંગલકારી પ્રેરણા મહિમાવર્ત તપની આરાધના  ભાવ પુર્વક ની સમજણ થકી જૈન તથા જૈનેતર તપસ્યામાં જોડાયેલ. ટંકારાના આંગણે જ્યા જૈન સમાજની સંખ્યા ઓછી છે ત્યાં 50 જેટલી સંળગ ઓળી આયંબિલ આરાધના કરનાર ટંકારા માટે અવિસ્મરણીય છે. ચૌત્ર માસમા દરરોજ વ્યાખ્યાન પ્રતિકમણ સ્તવન અને વિવિધ આરાધનાથી સકળ સંધમા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

આજ રોજ સ્થા જૈન ઉપાશ્રય ખાતે આયંબિલ કરનાર ભાવિકોના પારણા યોજાયા હતા ત્યારે ઓળીના આરાધકોની અનુમોદના અર્થે સંપુર્ણ આયંબિલ ઓળી-દૈનિક પ્રભાવના-પારણા ના લાભાર્થી પ. પુ. માતુશ્રી જડાવબેન મોહનલાલ ચતુર્ભુજ ગાંધી પરિવાર તરફથી સૌ આરાધકોને ટ્રાવેલિંગ બેગ ઉપરાંત મોરબી સ્થા જૈન સંધ પ્રમુખ નવિનકાકા – તારાચંદ માણેકચંદ દોશી પરીવાર, મોરબી દરબારગઢ દેરાસર પ્રમુખ કલ્પેશભાઈ – જયશ્રીબેન સુર્યકાંત ધોધાણી પરીવાર, વિશા શ્રીમાળી યુવક  મંડળ મોરબીના મનોજભાઈ- મંજુલાબેન ધિરજલાલ દેસાઈ પરિવાર,

વિશા શ્રીમાળી યુવક  મંડળ મોરબીના સેકેટરી રાજુભાઈ – મોહનલાલ ચતુર્ભુજ ગાંધી પરિવાર, સિધ્ધાર્થ કલોક  ગિફ્ટ આર્ટિકલ મેનેજીંગ ડાયરેક્ટર સાગરભાઈ – દિનાબેન દિલિપભાઈ સુતરીયા પરીવાર તરફથી તમામ આરાધકોને વોલ પિસ કીસ્ટેનડ તથા દિનાબેન દિલિપભાઈ સંપટભાઈ સુતરીયા પરીવાર તરફથી વોલ કલોક તથા ટંકારા મોહનલાલ ચતુર્ભુજ ગાંધી પરિવાર, પ્રિયવંદનાબેન રતીલાલ ખિમચંદ મહેતા પરીવારની ચિં ધૈયની ઓળી નિમિત્તે સૌ આરાધકોને વોટર બોટલ અને સ્થાનક વાસી જૈન સંધ ટંકારા તરફથી એકસો “ટાઢક”ના અને ચંદ્રકાંત ભુદરલાલ મહેતા તરફથી 20 રૂપિયા ની સૌ આરાધકોને પ્રભાવના કરવામાં આવી હતી. શ્રી સંધમાં મહિલાના નેતૃત્વ હેઠળ તમામ કાર્યકરોમાં અનેરા ઉત્સાહ સાથે પ્રસંગોપાત સુંદર વ્યવસ્થા કરી હતી સાથે  જીવદયા માટે 54 હજાર જેટલી રકમ આરાધકોએ અર્પણ કરી હતી.

ચુંટણીના મહાપર્વમાં ભાગ લેવા મતદારોને અનોખી કંકોત્રી દ્વારા આમંત્રણ

વધુ મતદાન થાય અને મતદાન માટે જાગૃતી ફેલાય તે હેતુથી નવતર પ્રયોગ કરાયો

ભારત ચૂંટણી પંચ દ્વારા આગામી તારીખ ૦૭-૦૫-૨૦૨૪ ને મંગળવારે લોકસભાની સામાન્ય ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન થશે. ત્યારે મોરબી જિલ્લામાં લોકો વધુમાં વધુ મતદાન કરે તેવા પ્રયાસ ચૂંટણી અધિકારી  અને ચૂંટણી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. લોકો વધુ મતદાન કરે તે માટે કંકોત્રી બનાવવામાં આવી છે. જેમાં મતદારોને  કંકોત્રીનાં માધ્યમથી  મતદાન માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

 આનુસંગિક પ્રસંગો તારીખ ૦૬-૦૫-૨૦૨૪ ના રોજ યોજવામાં આવ્યા છે. જેમાં  ડિસ્પેચીંગ સેન્ટરથી પ્રસ્થાન કરી  મતદાન મથકે પોલિંગ પાર્ટીનું આગમન તેમજ બુથ પર જ રાત્રી વિશ્રામ કરી  વહેલી સવારે ૬ કલાકે પોલિંગ એજન્ટની હાજરીમાં મોકપોલ યોજવામા આવશે.

આ કંકોત્રીમાં આપ, આપના સગા સંબંધી, મિત્રો આડોશી – પાડોશી સહ કર્મચારીઓ સહિત વહેલા વહેલા પધારી, ૧૦૦ ટકા મતદાન કરી – કરાવી વિશ્વની સૌથી મોટી લોકશાહી ના અવસરમાં પધારવા આમંત્રણ પાઠવવામા આવ્યું છે.

મતદાન મુહૂર્ત માટેનો સમય સવારના ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી નિર્ધારિત કરવામાં  આવ્યો છે . દર્શનાભિલાષી તરીકે પ્રિસાઈડીંગ ઓફિસર , મહિલા પોલીંગ ઓફિસર , આસીસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફીસર , મહિલા પોલીંગ ઓફિસર , બુથ ફરજ પરના સેવક , પોલીંગ ઓફિસર  બુથ પરના સુરક્ષા કર્મચારી  વગેરેનો ઉલ્લેખ કરાયો છે.

૨૬ એપ્રિલે રાજસ્થાનના શ્રમિકો મતદાન કરવા જઈ શકે તે માટે બે દિવસ મોરબી માર્કેટિંગ યાર્ડ બંધ

રાજસ્થાનમાં લોકસભાની ચૂંટણીના મતદાન માટે ૨૬ અને ૨૭ એપ્રિલે અનાજ વિભાગમાં હરાજીનું કામકાજ બંધ

મોરબી જિલ્લામાં રહેલા રાજસ્થાન વાસી શ્રમિકો ૨૬ એપ્રિલે મતદાન કરી શકે તે માટે એક ઉમદા નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી તારીખ ૨૬-૦૪-૨૦૨૪ ને શક્રવારના રોજ રાજસ્થાનમાં લોકસભાની ચૂંટણીનું મતદાન હોવાથી યાર્ડના શ્રમિકો રાજસ્થાન મતદાન કરવા જઈ શકે તે હેતુને ધ્યાનમાં રાખીને મોરબી માર્કેટીંગ યાર્ડમાં તા.૨૬-૦૪-૨૦૨૪ થી તા.૨૭-૦૪-૨૦૨૪ સુધી દિવસ-૨ અનાજ વિભાગમાં હરરાજીનું તમામ કામકાજ બંધ રાખવામાં આવેલ છે.

તા.૨૯-૦૪-૨૦૨૪ ને સોમવાર થી રાબેતા મુજબ હરરાજીનું કામકાજ ચાલુ કરવામાં આવશે. જેની લાગતા-વળગતા સર્વે ભાઈઓએ નોંધ લેવી તેમજ ખેડૂતભાઈઓ એ બે દિવસ માલ લઈને ન આવવા પણ મોરબી માર્કેટિંગ યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરીની યાદીમાં જણાવાયું છે.

ભર ઉનાળે ચોમાસું: 2 દિવસ ગુજરાતના આ જિલ્લાઓમાં છોતરા કાઢશે વરસાદ, નવી આગાહીથી ફફડાટ!

રાજ્યમાં હાલ ઉનાળો ચરમ પર છે. ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ લોકો ગરમીથી રાહત મેળવવાના નુસખા અપનાવી રહ્યા છે પરંતુ, આ બધા વચ્ચે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. જી હાં, રાજ્યના તમામ ઝોનમાં શુક્રવારે કમોસમી વરસાદ વરસ્યો છે.  જેના કારણે ઉનાળું પાકને પણ નુકસાન પહોંચ્યું છે. એટલું જ નહીં આગામી બે દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં શુક્રવારે કમોસમી વરસાદ પડ્યો. કમોસમી વરસાદના કારણે ભરઉનાળે શિયાળા જેવો માહોલ સર્જાયો. વડોદરા, સુરત, નવસારી, વાપી, દાહોદ અને ભાવનગર સહિતના શહેરોમાં કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં અચાનક પરિવર્તન આવ્યું હતું.. કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

કમોસમી વરસાદના કહેરના કારણે ક્યાંક બરબાદીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં માવઠું પડ્યું.. જેના કારણે સામાજિક પ્રસંગોમાં પણ વિઘ્ન આવ્યું હતું. વલસાડના ધરમપુરમાં લગ્ન પ્રસંગ ટાણે જ વરસાદ ખાબકતાં મંડપને મોટી માત્રામાં નુકસાન પહોંચ્યું હતું.. લગ્ન મંડપ ખરાબ થતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. ન માત્ર સામાજિક પ્રસંગો પરંતુ, કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પણ નુકસાની સહન કરવાનો વારો આવી રહ્યો છે.

નવસારી જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ચીકુના પાકને નુકસાન પહોંચ્યું છે.. નવસારી, ગણદેવી, ચીખલી અને વાંસદા તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો.. જેનાં કારણે કેરી અને ચીકુના પાકને નુકસાન થવાની સંભાવના ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.. કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણના કારણે ભેજ અને ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે.. ભેજ બાદ વધતી ગરમીથી ઉનાળું પાકને નુકસાનીની આશંકા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

જોકે, ખેડૂતોની ચિંતાનો અહીંથી જ અંત નથી આવતો. આગામી બે દિવસમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઈન્ડ્યુઝ્ડ સાયક્લોનિકસ સર્ક્યુલેશનના કારણે વરસાદ આવતો હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જેના કારણે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે જાહેર કરેલા મેપ પ્રમાણે 24 કલાકમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયો વરસાદ થવાની આગાહી છે. આ સાથે કચ્છ, જામનગર અને દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય માટે ચિંતાની વાત એ છેકે, હજુ ઉનાળો શરૂ થયો છે.. એવામાં ત્રણથી વધુ વખત રાજ્યમાં કમોસમી વરસાદ પડી ચૂક્યો છે ત્યારે આગામી દિવસોમાં ખેડૂતોની મુશ્કેલીમાં જરૂરથી વધારો થશે.

મોરબીમાં સંત વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી કરાઈ

મોરબીમાં જડેશ્વર મહાદેવ મંદિર રેલવે સ્ટેશન રોડ મોરબીથી મંગળવારે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના ધર્મગુરૂ સંત શ્રી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સવારે 8:00 કલાકે આ શોભાયાત્રાને શરૂ કરવામાં આવી હતી અને ત્યાર બાદ પરબજાર, નહેરૂ ગેઇટ ચોક, તખ્તસિંહજી રોડ, પાડા પુલ થઈને આ શોભાયાત્રાને સોઓરડી પાસે આવેલ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી બોડીંગ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી અને ત્યાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું

આ તકે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે માજી ધારાસભ્ય પરષોત્તમભાઈ સાબરીયા, મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી સમાજના પ્રમુખ હેમંતભાઈ સુરેલા, દેવજીભાઈ ગણેશિયા, અમિતભાઈ અગેચાણીયા, જગદીશભાઈ બાંભણિયા, તુલસીભાઈ પાટડીયા, ભરતભાઈ ગણેશિયા, દિલીપભાઈ અગેચાણીયા સહિતના આગેવાનો તેમજ સંત વેલનાથ શોભાયાત્રા ઉત્સવ સમિતિના પ્રમુખ દિપકભાઈ સારલા અને ઉપપ્રમુખ ગોપાલભાઈ સીતાપરા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી

LATEST NEWS

error: Content is protected !!