Home Blog

વેગડવાવના તલાટી  એલ.એ ઠોરિયાને ઘુનડા(સ) પંચાયતનું નાણાકીય રેકોર્ડ ગુમ કરતા ફરજ મોકુફ કરાયા

મોરબી નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ મોરબી તાલુકા વિકાસ અધિકારીને તલાટી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા અધિકૃત કર્યા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-05-2023

જિલ્લા વિકાસ અધિકારી  ડી.ડી. જાડેજા દ્વારા અગાઉ ઘુનડા(સ) ગામના તલાટી  એલ.એ. ઠોરીયાની બદલી હળવદ તાલુકાના વેગડવાવ ગામે કરવામાં આવી હતી. તેમના હસ્તકનો ગામનો હવાલો તલાટી-મંત્રી  એમ.એ.દેથરીયાને સોંપવાનો હુકમ કરવામાં આવ્યો હતો.   એલ.એ. ઠોરીયાએ ઘુનડા(સ) અને આદેપર ગ્રામ પંચાયતનું પૂરું રેકર્ડ એમ.એ.દેથરીયાને ન સોંપતા મોરબી નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ મોરબી તાલુકા વિકાસ અધિકારી ને ટીમ બનાવી રૂબરૂ ચકાસણી કરી સ્પષ્ટ અભિપ્રાય આપવા જણાવ્યું હતું.

મોરબી તાલુકા વિકાસ અધિકારીએ ઘુનડા(સ) અને અદેપર ગામનું નાણાકીય રેકોર્ડ   એલ.એ. ઠોરીયાએ ગુમ કરેલ છે તેમ જણાવતા   એલ.એ. ઠોરીયાને વેગડવાવ ગ્રામ પંચાયત ખાતેથી ફરજ મોકુફ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે ઉપરાંત તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા મોરબી તાલુકા વિકાસ અધિકારી ને અધિકૃત કરવામાં આવ્યા છે.

E-paper ડાઉનલોડ કરવા ઉપરના ન્યૂઝ પેપરની ઇમેજ પર ક્લિક કરો

મોરબી પાલિકાની બેદરકારી કોઈનો જીવ લે તો નવાઈ નહિ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-05-2023

મોરબીમાં પાલિકાનો વિવાદ હંમેશા ચરમસીમા પર હોય છે અવાર નવાર પાલિકાના પાપે રાહદારીઓ વાહનચાલકો ભાગ બનતા હોય છે ત્યારે શહેરના અયોધ્યાપુરી મેઈન રોડ પર સિલ્વર ગેરજ નજીક નગરપાલિકાની ખુલ્લી ગટરમાં યુવાન ખાબક્યો હતો ખુલ્લી ગટરમાં યુવાન પડી જતા હાથ પગમાં ઇજા થઇ હતી

અહિંથી પસાર થતા રાહદારીઓ વાહનચાલકોએ યુવાનને ખુલ્લી ગટર માંથી કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા ત્યારે પ્રશ્ન એ છે કે હજુ શહેરમાં આવી કેટલી ખુલ્લી ગટરો છે જેના ઢાંકણા નથી પ્રજાને વારંવાર પડતી મુશ્કેલીઓમાંથી ક્યારે મુક્તિ મળશે તે મોટો પ્રશ્ન છે.

E-paper ડાઉનલોડ કરવા ઉપરના ન્યૂઝ પેપરની ઇમેજ પર ક્લિક કરો

મોરબી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરીએ સબજેલની મુલાકાત લીધી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-05-2023

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મોરબીના (જજશ્રી) અને ફૂલ ટાઈમ સેક્રેટરી બી એસ ગઢવીએ સબ જેલની મુલાકાત લીધી હતી તેમજ તેમની સાથે પેનલ એડવોકેટ પણ આવ્યા હતા જેઓએ જેલમાં કામગીરીની સમીક્ષા કરી હતી. સબ જેલમાં રહેલ તમામ આરોપી, કેદી ભાઈઓ/બહેનોને રૂબરૂ મળીને પોતાના કેસ માટે જરૂરિયાત મુજબ સરકારી મફત કાનૂની સલાહ, વકીલ આપવા અંગે સલાહ આપવામાં આવી હતી અને રજૂઆત સાંભળી હતી મુલાકાત દરમિયાન જેલ અધિક્ષક ડી એમ ગોહેલ અને જેલર પી એમ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા

E-paper ડાઉનલોડ કરવા ઉપરના ન્યૂઝ પેપરની ઇમેજ પર ક્લિક કરો

મોરબી અયોઘ્યા પુરી મેઈન રોડ પર કારમાં આગ ભભૂકી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-05-2023

મોરબીનાં મહેન્દ્રપરાનાં નાકા નજીક અયોઘ્યાપુરી મેઈન રોડ પર સાંજના સમયે એક કાર નંબર 0243 પર અચાનક આગ લાગી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગે કરાતા સમયસર ફાઇર ફાઇટરના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો પણ કાર બળીને ખાખ થઈ ગઈ હોવાની માહિતી મળી રહી છે સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.

E-paper ડાઉનલોડ કરવા ઉપરના ન્યૂઝ પેપરની ઇમેજ પર ક્લિક કરો

મોરબી: હિન્દુ સામ્રાજય દિન ઉત્સવ નિમિત્તે કાર-બાઈક રેલીનું આયોજન

શુક્રવારે રાત્રે 8:15 વાગ્યે રેલી પ્રસ્થાન કરશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-05-2023

છત્રપતિ શિવાજી મહારાજના સ્વરાજયના 350 વર્ષ થઈ રહ્યા છે. ત્યારે હિન્દુ સ્વરાજયનો પાયો નાખનાર હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના રાજયાભિષેક દિવસને આ રેલી યોજાશે આ રેલીનું આયોજન જેઠ સુદ તેરસને શુક્રવાર તા. 02-06-2023 રાખવામાં આવ્યું છે. જે રેલીનો સમય રાત્રે 8:15 નો રહેશે તેમજ સભાનો સમય રાત્રે 10:00 સભાસ્થળ કેપીટલ માર્કેટ, રવાપર ચોકડી,ખાતે યોજાશે તેમજ મશાલ રૂટ આઈકોન રેસીડન્સીએસ.પી. રોડ કુળદેવી પાન ક્રિષ્ના સ્કૂલ બોની પાર્ક, રવાપર વર્ધમાન એપાર્ટમેન્ટ આલાપ રોડ વજેપર મેઈન રોડ શિવાજી મહારાજ સર્કલ (સબ જેલ ચોક) જેલ રોડ, વાઘપરા મેઈન રોડ, સ્વામી વિવેકાનંદ રોડ રાજકોટ નાગરિક બેન્ક ઘનશ્યામ માર્કેટ નીલકંઠ સ્કૂલ નરસંગ ટેકરી મંદિર સ્વાગત ચોકડી (કેપીટલ માર્કેટ) ખાતે યોજાશે જેની જાહેર જનતાને જોડાવવા અપીલ કરાઈ છે.

E-paper ડાઉનલોડ કરવા ઉપરના ન્યૂઝ પેપરની ઇમેજ પર ક્લિક કરો

LATEST NEWS

error: Content is protected !!