Home Blog

મોરબી: ખાખરાળા મુકામે ઓજસ સ્કિન ક્લિનિક તથા અગ્રેય આયુર્વેદ દ્વારા વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન

મોરબીના ઓજસ સ્કિન ક્લિનિકના કોસ્મેટોલોજિસ્ટ ડૉ. સુમિતા ગોપાણી તથા અગ્રેય આયુર્વેદના ડૉ. ચિંતન ગોપાણી દ્વારા આગામી તારીખ 3-12-2023, રવિવારના રોજ મોરબી તાલુકાના ખાખરાળાં ગામે પ્રાથમિક શાળા મુકામે વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચામડીને લગતા રોગોનું નિદાન સાથે વિવિધ પ્રકારના રોગોની નિદાન વિનામૂલ્યે કરવામાં આવશે. જે કોઈ પણ દર્દીઓએ આ કેમ્પનો લાભ લેવા માટે અગાઉ અપોઈન્ટમેન્ટ 7990141672 પર લેવા યાદીમાં જણાવાયું છે.

વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને ઉત્સાહભેર આવકાર

સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને લોકો આ યોજનાઓથી લોકો વાકેફ થાય તે માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું ગ્રામજનોએ અનેરા ઉત્સાહ સાથે રથનું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે ભોજપરા પ્રાથમિક શાળા ખાતે આવેલા રથમાં ગ્રામજનો અને ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરોલો પ્રજાજોગ સંદેશો સાંભળી ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું પ્રદર્શન નિહાળ્યું હતું. સૌ ઉપસ્થિતોએ વિકસિત ભારત માટે  પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રસંગે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. વધુમાં ટીબી નિક્ષય, આવાસ યોજના, આયુષ્માન કાર્ડ, ઉજ્જ્વલા યોજના, આરોગ્ય વિભાગની આર.બી.એસ.કે. યોજના હેઠળ બાળકની વિનામુલ્યે સારવાર, પીએમ કિસાન સન્માન નિધી વગેરે સરકારી યોજનાના લાભ મેળવેલ લાભાર્થીઓએ તેમને મળેલ યોજનાના લાભની મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વાત કરી હતી.

કાર્યક્રમ અન્વયે આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ કેમ્પ, પશુપાલન વિભાગ દ્વારા પશુ હેલ્થ કેમ્પ, આઈ.સી.ડી.એસ. વિભાગ હેઠળ પોષણ અભિયાન, ટીબી નિક્ષય, લીડ બેંકની વિવિધ યોજનાઓ વગેરે માટેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ભોજપરા ગામને ૧૦૦ ટકા નળ જોડાણ માટે સન્માન પત્ર અને સ્વચ્છતા માટે ઓડીએફ પ્લસ મોડેલ ગામ બાબતનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. શાળાની બાળાઓ દ્વારા ધરતી કહે પુકાર કે ગીત પર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનો ભોજપરાના ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો.

પગરખાકાંડ: મોરબીની વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના છ આરોપીના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે

કુલ 7 આરોપી જેલમાં ધકેલાયા: પાંચની ધરપકડ હજુ બાકી

મોરબીની રવાપર ચોકડીએ પગાર લેવા માટે ઓફિસે બોલાવીને યુવાનને માર મારી મોઢામાં પગરખું લેવડાવવાના બનાવમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના કુલ 6 આરોપીઓને રીમાન્ડ ઉપર લેવામાં આવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે મોરબીમાં અનુ. જાતિના યુવાનને તેનો બાકી નીકળતો પગાર માંગ્યો હતો જેથી તેને રવાપર ચોકડીએ આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝ ખાતે પગાર લેવા માટે બોલાવવામાં આવ્યો હતો

ત્યારે તેને માર મારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો તેમજ પગારના બદલે મોઢામાં પગરખું લેવડાવવામાં આવ્યું હતું તેવી ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે લૂંટ, રાયોટિંગ અને એટ્રોસિટી સહિત કલમ હેઠળ ગુનો નોંધીને આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત અને ડી.ડી.રબારી તેમજ અજાણ્યા સાત શખ્સો આમ કુલ મળીને 12 આરોપીઓ સામે ગુનોં નોંધ્યો હતો. આ ગુનામાં આરોપી મયુર ઉર્ફે દેવો દિલીપભાઇ કલોતરા રબારી (ડી.ડી.રબારી)ને પહેલા જેલ હવાલે કરવામાં આવ્યો હતો

ત્યાર બાદ આ ગુનામાં પોલસે આરોપી વિભૂતિ ઉર્ફ રાણીબા હિતેન્દ્રભાઈ સીતાપરા, ઓમ હિતેન્દ્રભાઈ સીતાપરા, રાજ અજયભાઈ પડસારા, પરિક્ષિત સુધીરભાઈ ભગલાણી, ક્રિશ જયંતિભાઈ મેરજા અને પ્રીત વિજેન્દ્રભાઈ વડસોલાની ધરપકડ કરી હતી અને આ આરોપીઓના કોર્ટે પહેલી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરેલ હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને તપાસનીસ અધિકારી દ્વારા મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ હાલમાં આરોપી વિભૂતિ ઉર્ફ રાણીબા સહિતના છ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે આ ગુનામાં અત્યાર સુધીમાં પોલીસે કુલ મળીને સાત આરોપીને પકડેલ છે અને તે તમામ આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે

અવકાશ મિશનમાં વધુ એક ખુશખબરી: આદિત્ય-L1નું પેલોડ કામ કરવા લાગ્યું

અવકાશ ક્ષેત્રે ઇતિહાસ રચનાર ભારતનો આદિત્ય-L1 ઉપગ્રહને પેલોડ આદિત્ય સોલાર વિંડ પાર્ટીક્લ એક્સપરીમેન્ટે કામ કરવાનું શરુ કરી દીધું છે અને નોર્મલ રીતે જ કામ કરી રહ્યાનું જાહેર કરીને ઇસરોએ વધુ એક ખુશખબરી આપી છે. ઇસરો દ્વારા એમ કહેવાયું છે કે આદિત્ય-L1 સૂર્યનું અધ્યપન કરનારી પ્રથમ અંતરિક્ષ આધારિત વેધશાળ છે જે પૃથ્વીની લગભગ 15 લાખ કિલોમીટર દૂર સ્થિત લેંગ્રેજીયન બિન્દુ ‘L1’ની આસપાસથી સૂર્યનું અધ્યપન કરી રહી છે.

આદિત્ય સોલાર વિન્ડ પાર્ટીક્લ એકસપરીમેન્ટ (એએસપીઇએક્સ)માં બે અત્યાધુનિક ઉપકરણ સામેલ છે જેમાં સોલાર વિન્ડ આપન સ્પેકટ્રોમીટર તથા સુપ્રાથર્મલ એન્ડ એનર્જેટીક પાર્ટીક્લ સ્પેકટ્રોમીટરનો સમાવેશ થાય છે. એસટીપીએએસ 10 સપ્ટેમ્બરે શરુ કરવામાં આવ્યું હતું. સોલાર વિન્ડ સ્પેક્ટ્રોમીટર 2 નવેમ્બર 2023ના રોજ સક્રિય થયું હતું અને ધારણા મુજબ જ કામગીરી કરી છે. ઉપકરણો સૌર પવન આપન, ખાસ કરીને પ્રોટોન તથા અલ્ફા કર્ણાનું સફળતાપૂર્વક માપ મેળવ્યું છે.

UPI ટ્રાન્ઝેક્શન 17.4 ટ્રિલિયન રૂપિયાને પાર કરી બનાવ્યો નવો રેકોર્ડ, ફાસ્ટેગમાં પણ થયો વધારો

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, દેશમાં નવેમ્બરમાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI)એ નવો રેકોર્ડ બનાવ્યો છે. આ ઉપરાંત ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શનમાં પણ વધારો થયો છે. ગયા મહિને દેશમાં UPI દ્વારા રૂ. 17.4 ટ્રિલિયનના ટ્રાન્ઝેક્શન થયા હતા. આ ઓક્ટોબરમાં રૂ. 17.16 ટ્રિલિયનના ટ્રાન્ઝેક્શન કરતાં 1.4 ટકા વધુ છે. જોકે, આ સમયગાળા દરમિયાન કુલ વ્યવહારોની સંખ્યામાં 1.5 ટકાનો ઘટાડો થયો છે. તે ઓક્ટોબરમાં 11.41 અબજથી ઘટીને 11.24 અબજ થઈ ગયો છે. આના પરથી સમજી શકાય છે કે ટ્રાન્ઝેક્શન દીઠ વધુ પૈસાની લેવડદેવડ કરવામાં આવી હતી.

2027 સુધીમાં રોજ થશે 100 કરોડના UPI ટ્રાન્ઝેક્શન

એક એવી પણ આશા રાખવામાં આવે છે કે 2027ના નાણાકીય વર્ષ સુધીમાં UPI ટ્રાન્ઝેક્શન રોજના 100 કરોડના આંકડાને પાર કરી જશે. આવનારા પાંચ વર્ષોમાં દુકાનોમાં 90 ટકા ટ્રાન્ઝેક્શન UPI દ્વારા થવાના અનુમાન છે.

ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શનમાં પણ થયો વધારો

NPCIના રિપોર્ટ અનુસાર, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે UPI ટ્રાન્ઝેક્શનમાં 54 ટકાનો વધારો થયો છે સાથે પૈસાની લેવડદેવડમાં પણ 46 ટકાનો વધારો થયો છે. સપ્ટેમ્બર મહિનામાં, 15.8 ટ્રિલિયન રૂપિયાના 10.56 અબજ વ્યવહારો થયા હતા. જયારે નવેમ્બરમાં 32.1 કરોડ ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શન થયા હતા અને ઓક્ટોબરમાં આ આંકડો 32 કરોડ હતો. ફાસ્ટેગ દ્વારા 5303 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી જ્યારે ઓક્ટોબરમાં આ આંકડો 5539 કરોડ રૂપિયા હતો. ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શન વધ્યા છે પરંતુ રકમ ઘટી છે.

તત્કાલ પેમેન્ટ સર્વિસના વપરાશમાં થયો ઘટાડો

ગયા મહીને IMPSના ઉપયોગમાં ઘટાડો થયો છે. આ વર્ષે ઓકટોબર કરતા નવેમ્બરમાં 4 ટકા ઘટીને 47.2 કરોડ થયો છે. આથી કહી શકાય કે UPIના કારણે IMPSને અસર થઇ છે. ગયા મહિનામાં AEPS પણ 10 ટકા વધીને 11 કરોડ ટ્રાન્ઝેક્શન પર પહોંચ્યું છે. નાનાથી લઈને મોટા વ્યવહાર કરતા બિઝનેસ કરતા લોકો દ્વાર UPI પેમેન્ટ સ્વીકારવાનું કામ સરળ બન્યું છે.

LATEST NEWS

error: Content is protected !!