Home Blog Page 3

અમે અવશ્ય મતદાન કરીશું અને મતદાન કરેલ વ્યક્તિને ખરીદી પર ખાસ ડિસ્કાઉન્ટ આપીશું

જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદારોને આકર્ષવા માટે જિલ્લાના વેપારીઓ સાથે કલેક્ટર ની બેઠક યોજાઈ

અવસર લોકશાહીનો એટલે કે આગામી તા. ૭ મે ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ માટે મતદાન થનાર છે. લોકશાહીના આ મહાપર્વમાં વધુમાં વધુ મતદાન થાય એવા શુભ આશય સાથે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શો રૂમ, દુકાન તેમજ હોટલ માલિકો સાથે બેઠકો યોજી મતદારો માટે વિવિધ આકર્ષક સ્કીમ અમલમાં મુકવામાં આવી છે.

મોરબી જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા માટે વધુમાં વધુ મતદાન થાય એ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર  કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળાના અને સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લાના વિવિધ મેડિકલ, સિનેમા, રેસ્ટોરેન્ટ, હોટલ્સ, મોલ, શોરૂમ, દુકાન વગેરેના માલિકો દ્વારા મતદાન કરીને જે વ્યક્તિ ખરીદી કરવા આવે તેમને મતદાનના દિવસે ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

મોરબી જિલ્લામાં રેસ્ટોરન્ટ અને હોટલ્સ દ્વારા જમવા માટે તેમજ રૂમ બુકિંગ માટે મતદાનના દિવસે જે મતદાન કરીને આવે તેમના માટે ૧૦% ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે સિનેમા ગૃહોમાં મતદાન કરી ફિલ્મ જોવા આવનારને પોપકોન ફ્રી આપવામાં આવશે તેવો નિર્ણય સિનેમા ગૃહોના માલિકો દ્વારા કરવામાં આવ્યો છે. વિવિધ મેડિકલમાં ૭% તો અન્ય દુકાન/મોલ/શો રૂમ વગેરેમાં પણ ૭% થી માંડીને પ્રોડક્ટ મુજબ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર  કે.બી. ઝવેરીએ આ બેઠક અન્વયે જણાવ્યું હતું કે, લોકશાહીને મજબૂત કરવા મતદાન ખૂબ અગત્યનું છે જેથી લોકો વધુને વધુ મતદાન કરે ચૂંટણીની પ્રક્રિયામાં સહભાગી બને તેમ જ ચૂંટણીને પર્વ સમજી ઉજવે તે માટે સૌના સહિયારા પ્રયાસ જરૂરી છે. જેથી જિલ્લાના તમામ વેપારીઓને મતદારો માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર બનાવી તેમને મતદાન કરવા પ્રેરિત કરવા માટે અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે સર્વે વેપારી મિત્રોએ ‘હું અવશ્ય મતદાન કરીશ’ તેવી સિગ્નેચર કેમ્પેઈનમાં ભાગ લઈ મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લીધી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર  એસ.જે. ખાચર, ચૂંટણી મામલતદાર  જાવેદ સિંધી, નાયબ મામલતદાર  આર.જી. રતન, પી.એચ. પરમાર તેમજ જિલ્લાના વેપારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

હનુમાન જયંતિ: અહીં બિરાજમાન છે શ્યામ વર્ણના હનુમાનજી, આવી છે માન્યતા

શહેર નજીક આંકલાવ તાલુકામાં આવેલ હઠીપુરા ગામમાં પંચમુખી હનુમાનજી મંદિર આવેલું છે. આ મંદિરમાં બિરાજમાન હનુમાનજીની મૂર્તિ શ્યામ વર્ણની છે. જેમના દર્શન માત્રથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. આ વર્ષે હનુમાન જયંતિને લઈને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પંચમુખી હનુમાન મંદિરે ભવ્ય પૂજા અને હવન થશે. હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટશે. ત્યારે અહીં બિરાજમાન હનુમાન દાદા શ્યામ વર્ણના કેમ છે.તે અંગે વિગતવાર માહિતી 108 મહંત સંત અરવિંદ દાસજી બાપુએ જણાવી છે.

શાસ્ત્રોમાં હનુમંત રહસ્ય એક ગ્રંથ આવેલો છે જેમાં હનુમાનજી શ્યામ વર્ણના કેવી રીતે અને ક્યારે થયા હતા? તેની કથા લખેલી છે. ત્રેતાયુગમાં જ્યારે રામ અને રાવણ વચ્ચે યુદ્ધ ચાલતું હતું ત્યારે રાવણ પાતાળ લોક ગયા હતા અને રામ અને લક્ષ્મણનું અપહરણ થયું હતું.

ત્યારે હનુમાનજી પાતાળ લોક ગયા હતા ત્યારે ત્યાંના દ્વારપાળો જોડે યુદ્ધ થયું હતું. ત્યારે દ્વાર પાડોએ જણાવ્યું હતું કે રાવણ ખૂબ જ માયાવી છે અહીં દેખાઈ રહેલા પાંચ દીવાને જો તમે એક જ ફૂંકમાં ઓલવી નાખશો તો જ અહીરાવન દેખાશે. હનુમાનજી માટે આ મોટી વાત ન હતી અને પાંચ મુખ ધારણ કરીને એક સાથે પાંચ દીવાને ઓલવી નાખ્યાં.

અને સમયે જો રામ લક્ષ્મણની બલી ચડાવવામાં મહાકાળી માતા પાસે લાવવામાં આવ્યા ત્યારે હનુમાનજી મહાકાળી માતામાં પ્રવેશ કરી ગયા અને શ્યામ વર્ણના થઈ ગયા અને આઠેય હાથમાં માતાજીના શસ્ત્રો ધારણ કર્યા. અહીં રાવણનો ઉદ્ધાર કર્યો. અને હનુમાનજી ફરી એક વખત પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા અને પોતાના ખભે રામ લક્ષ્મણને બેસાડીને પૃથ્વી લોક પધાર્યા. ત્યાંથી શ્યામ વર્ણના હનુમાનજીના જે પણ કોઈ દર્શન કરે તેને કોઈપણ વિધિ વિધાન કરાવવાની જરૂર નથી, દર્શન માત્રથી જ મનોકામના પૂર્ણ થાય છે.

હઠીપુરા ગામમાં આવેલા પંચમુખી હનુમાનજી મંદિરે હનુમાન જયંતિના દિવસે 1.25 લાખ નારિયેળ હોમાવી મહાયજ્ઞ થશે. હનુમાન જયંતિના ભાગરૂપે  50 હજાર ભક્તો ભોજનનો પ્રસાદ લે તેવી વ્યવસ્થા કરવામા આવી છે.

રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા બે સ્થળે કાર્યાલયો શરૂ કરવામાં આવ્યા

ક્ષત્રિય સમાજના આંદોલને રાજ્યમાં ઉગ્ર રૂૂપ ધારણ કર્યું છે. રૂૂપાલાએ બે વખત ક્ષત્રિય સમાજની માફી માગી લીધા બાદ પણ પ્રદેશ ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા.જોકે, હજુ સુધી ડેમેજ કંટ્રોલ થઈ શક્યું નથી અને ક્ષત્રિય સમાજનું આંદોલન દિન-પ્રતિદિન ઉગ્ર રૂૂપ ધારણ કરી રહ્યું છે. જેમાં રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલનના પાર્ટ 2ની શરૂૂઆત કરવામાં આવી છે. ક્ષત્રિય સમાજ દ્વારા અલગ અલગ વિસ્તારમાં મધ્યસ્થ કાર્યાલય ખોલવામાં આવ્યા છે.

પ્રેસ કોન્ફરન્સમાં ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાએ કહ્યું કે, પરતોત્તમ રૂૂપાલાને ટીકીટ પરત ખેંચી લેવા અમે સમય આપ્યો હતો. પરંતુ રૂૂપાલા ચૂંટણી લડવાના છે તે હવે ફાઇનલ થઈ ગયું છે. હવે અમારું આ ધર્મયુદ્ધ શરૂૂ થયું છે.આજે એ.જી. ચોક અને રેલનગરમાં કાર્યાલયો ખોલવામાં આવ્યા છે. આગામી દિવસોમાં 18 વોર્ડમાં કાર્યાલય ખોલવામાં આવશે. દરેક તાલુકા અને વોર્ડ પ્રમાણે પ્રમુખોની નિમણુંક કરવામાં આવશે.

તો બીજી તરફ, રાજકોટમાં મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે ક્ષત્રિયાણીઓ પ્રતિક ઉપવાસ પર બેસી છે. ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા ત્રણ દિવસ પ્રતિક ઉપવાસ કરવામાં આવશે. સમગ્ર રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા કાર્યાલયો ખોલવામાં આવ્યા છે. જેમાં રાજકોટમાં વોર્ડ વાઈઝ કાર્યાલયનો શુભારંભ કરાયો છે.

મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મહેંદી સ્પર્ધા યોજાઈ

મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓ અને દિકરીઓ માટે મહેંદી પ્રતિસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ઘણા સ્પર્ધકોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.આ પ્રતિયોગીતામાં એકથી લઈને નવ નંબર સુધી પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યું હતું.તે સિવાય જેટલા પણ પ્રતિસ્પર્ધકો હતા તે તમામને મુસ્કાન સોસાયટી તરફથી સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું.વારંવાર આવી નાની મોટી પ્રવૃત્તિઓ દ્વારા મુસ્કાન વેલ્ફેર સોસાયટી સમાજમાં એક સારું ઉદાહરણ પ્રસ્તુત કરે છે અને હંમેશા લોકોને મદદરૂપ થાય છે.

આ પ્રતિયોગીતામાં જેટલા પણ પૈસા ફી રૂપે ઉઘરાવવામાં આવ્યા હતા.તે રકમનો ઉપયોગ મુસ્કાન સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ દિકરીઓને મહેંદી અને બ્યૂટી પાર્લરનો કોર્સ કરાવવામાં જ વાપરવામાં આવશે.આવા સારા કાર્ય દ્વારા મુસ્કાન સોસાયટીના સભ્યો સમાજના લોકોને સમાજ માટે કંઈક સારું કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

મોરબી જિલ્લા યદુવંશી આહીરાણી સંગઠન દ્વારા લોકહિતાર્થે પાણીના પરબનું ઉદ્ઘાટન

મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-2 તરીકે પણ ઓળખાય છે.આ સમગ્ર વિસ્તારનું કેન્દ્ર બિંદુ અને વાહનોનો ખાસ કરીને એસટીનો મુખ્ય સ્ટોપ એટલે હાઉસિંગ બોર્ડ મહારાણા પ્રતાપ ચોક.અહીંના મુસાફરોના સ્ટેન્ડમાં દિવસ રાત દરમિયાન હજારો મુસાફરોની હેરફેર થતી રહે છે. કાળજાળ ઉનાળાના તાપ-ગરમીમાં લોકોને પીવાનું ઠંડુ પાણી વિનામૂલ્યે મળી રહે તે ઉદ્દેશથી 21 એપ્રિલના રોજ અહીં પાણીના પરબનું લોકાર્પણ કરવામાં આવેલ છે.

હમણાં જ રચાયેલી સંસ્થા ’મોરબી જિલ્લા યદુવંશી આહીરાણી સંગઠન’ દ્વારા લોકહિતાર્થે આ પાણીના પરબનું ઉદ્ઘાટન હાઉસિંગ બોર્ડ, મુસાફર સ્ટેન્ડ ખાતે કરવામાં આવેલ.આ સંસ્થાએ આ સેવા કાર્યથી પોતાની પ્રવૃત્તિના શ્રી ગણેશ કરેલ છે.

આ ઉદઘાટન સમારંભમાં રામબાઈમાઁની જગ્યા વવાણીયાના પ્રમુખ જશુભાઈ રાઠોડ, મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ ખાસ ઉપસ્થિત રહેલ.મોરબી જિલ્લા યદુવંશી આહીરાણી સંગઠનના પ્રમુખ કલ્પનાબેન જલુ, ઉપપ્રમુખ ડો.હર્ષાબેન મોર, સહમંત્રી પ્રો.શિલ્પાબેન રાઠોડ અને નીતાબેન હુંબલ, ખજાનચી ભારતીબેન વારોતરીયા તથા સંગઠનના કાર્યકાર બહેનો ઉપસ્થિત રહેલ.માનવ સેવાના આ કાર્યનું સુચારું આયોજન સંગઠન દ્વારા અગાઉથી કરવામાં આવેલ.આ સેવાકાર્ય હવે પછી યોગ્ય રીતે ચાલતું રહે તે માટેની વ્યવસ્થા પણ સંગઠન દ્વારા કરવામાં આવેલ છે.આ વિસ્તારના લોકો ખાસ કરીને મુસાફરોને અને એમાં પણ સામાન્ય વર્ગના લોકો માટે આ સેવા આશીર્વાદરૂપ ગણાશે.

LATEST NEWS

error: Content is protected !!