Home Blog Page 3

ભારત-કેનેડા વચ્ચે ખાલિસ્તાની ઉગ્રવાદીની હત્યાના મામલે બબાલ કેમ થઈ? વિવાદના મૂળ ક્યાં છે?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-09-2023

ભારત અને અમેરિકા તથા ભારત અને ઈસ્લામિક દેશો વચ્ચે સંબંધો સુધરતા જાય છે, ત્યારે ભારત – કેનેડાના સંબંધોમાં ઓચિંતી તિરાડ પડી છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડામાં થયેલી એક હત્યા પાછળ ભારતીય એજન્સીઓનો હાથ હોવાની વાત કરી તેનાથી આખી દુનિયા ચોંકી ઉઠી છે અને ભારત ગુસ્સે ભરાયું છે. જૂન મહિનામાં કેનેડામાં એક ગુરુદ્વારા બહાર ખાલિસ્તાન તરફી આગેવાન હરદીપ સિંહ નિજ્જરની હત્યા થઈ હતી. આ હત્યાનો ભેદ હજુ ઉકેલાયો નથી પણ જસ્ટિન ટ્રુડોએ સીધો ભારત પર આરોપ મુકી દીધો છે. ટ્રુડો સરકારે કેનેડામાં RAWના સ્ટેશન ઓફિસરની હકાલપટ્ટી પણ કરી દીધી છે. તેના બદલામાં ભારતે પણ આજે કેનેડાના હાઈ કમિશનને બોલાવ્યા હતા અને માત્ર ત્રણ મિનિટ ચાલેલી બેઠકમાં ભારતે કડક શબ્દોમાં પોતાનો મેસેજ આપી દીધો તથા એક ડિપ્લોમેટને ભારત છોડવા હુકમ આપી દીધો છે.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ઘણા સમયથી ખાલિસ્તાનવાદી તત્વોની નિકટ ખસતા જાય છે જેના કારણે ભારત નારાજ છે. હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ હવે મામલો ખુલ્લેઆમ વિવાદમાં ફેરવાઈ ગયો છે. કેનેડામાં શીખ કટ્ટરવાદીઓ ખુલ્લેઆમ ભારતને ધમકીઓ આપી રહ્યા છે, ભારતીય દૂતાવાસમાં ઘુસીને તોડફોડ કરે છે અને વિદેશ મંત્રાલયના સ્ટાફને ધમકાવે છે. આ તત્વોએ કેનેડા ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં પણ હિંદુઓને ધમકી આપી છે અને કેટલાક મંદિરોમાં તોડફોડ કરી છે. તેના કારણે સંબંધોમાં કડવાશની શરૂઆત ઘણા સમયથી થઈ ગઈ હતી. તેવામાં શીખ

હરદીપ સિંહ નિજ્જર કોણ હતા?

હરદીપ સિંહ નિજ્જર ખાલિસ્તાન તરફી ઉગ્રવાદી હતા અને ભારતે તેને ત્રાસવાદી ગણાવ્યા હતા. ગઈ 18 જૂને વેનકુંવરમાં કેટલાક અજાણ્યા લોકોએ નિજ્જરને એક ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરી હતી. હરદીપ સિંહ ભારતમાંથી શીખો માટે એક અલગ દેશ બનાવવાની તરફેણ કરતા હતા. તેઓ ખાલિસ્તાન ટાઈગર ફોર્સના વડા હતા જેના પર ભારતે પ્રતિબંધ મુક્યો છે. નિજ્જરને કેનેડામાં સારો એવો સપોર્ટ પ્રાપ્ત હતો અને સ્થાનિક સરકારની મીઠી નજરના કારણે તેમના માણસો ખુલ્લેઆમ ભારત વિરોધી નફરત ફેલાવતા હતા, દિવાલો પર ભારત વિરોધી લખાણો લખતા હતા અને ભારતીયોની હત્યા કરવા માટે ઉશ્કેરણી પણ કરતા હતા. આમ છતાં ટ્રુડો સરકાર શીખ ઉગ્રવાદીએ પ્રત્યે કૂણું વલણ અપનાવતી હતી અને હવે ભારત પર સીધો આરોપ મુક્યો છે જેના કારણે બંને દેશ વચ્ચેના સંબંધો બગડ્યા છે.

જસ્ટિન ટ્રુડોને કટ્ટરવાદીઓના મતની જરૂર છે?

કેનેડામાં શીખ બહુ પ્રભાવશાળી સમાજ છે અને જસ્ટિન ટ્રુડોને આગામી ચૂંટણીમાં શીખોના મતની ખાસ જરૂર છે તેમ કહેવાય છે. ભારતમાં પંજાબ પછી દુનિયામાં સૌથી વધુ શીખો કેનેડામાં વસવાટ કરે છે. ભારત આઝાદ થયું તે પહેલાંથી ઘણા શીખો કેનેડા ગયા હતા અને પંજાબમાં ત્રાસવાદ ફેલાયો ત્યારે પોલીસથી બચવા માટે ઘણા લોકોએ કેનેડામાં શરણ લીધી હતી. તેમાં મોટી સંખ્યામાં ખાલિસ્તાન તરફી તત્વો પણ હતા. ઓપરેશન બ્લૂ સ્ટાર અને ઈંદિરા ગાંધીની હત્યાના સમયે પંજાબમાં ખાલિસ્તાની ચળવળ અને તેની હિંસા ચરમસીમાએ હતી.

પંજાબમાં ત્રાસવાદમાં 30 હજાર લોકોના મોત

1980 અને 1990ના દાયકામાં શીખોના અલગ દેશ માટે હિંસા થઈ જેમાં લગભગ 30,000 લોકોના મોત નિપજ્યાં હતા. શીખ ત્રાસવાદીઓએ 1985માં કેનેડાથી ભારત આવી રહેલા એર ઈન્ડિયાના વિમાનને બોમ્બથી ઉડાવી દીધું હતું જેમાં તમામ 329 લોકોના મોત નિપજ્યાં હતા. આટલી મોટી ત્રાસવાદી ઘટના બનવા છતાં કેનેડાએ ખાલિસ્તાનવાદી સામે સખત બનવાનું ટાળ્યું હતું. ત્યાર પછી ભારતીય પોલીસે ત્રાસવાદને ડામવા માટે કાનૂની અને ગેરકાનૂની પગલાં લીધા જેના કારણે ભારતમાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓને મોટા પ્રમાણમાં સફાયો કરી શકાયો હતો. પંજાબમાં શાંતિ સ્થપાયાના લગભગ અઢી દાયકા પછી કેનેડામાં કેટલાક અગ્રવાદીઓ આ ચળવણને સજીવન કરવા માંગે છે અને કેનેડા સરકારની નીતિ તેને માફક આવે છે.

આ સમગ્ર વિવાદમાં કેનેડાના બે ચહેરા પણ જોવા મળે છે. તાજેતરમાં જી-20 સમિટમાં તમામ દેશોએ ત્રાસવાદની નિંદા કરી તેમાં કેનેડા પણ સામેલ હતું. અફઘાનિસ્તાનમાં ત્રાસવાદને ખતમ કરવાના નામે અમેરિકાએ યુદ્ધ કર્યું તેમાં કેનેડાએ પણ પોતાના સૈનિકો મોકલ્યા હતા. બીજી તરફ હરદીપ સિંહ નિજ્જર અને તેના સાથીદારોને ભારતે ત્રાસવાદી ઘોષિત કર્યા હોવા છતાં કેનેડાએ કોઈ પગલાં લેવાના બદલે તેમને છાવરવાનું કામ કર્યું.

કેનેડામાં ભારત વિરોધી પ્રદર્શનો

જસ્ટિન ટ્રુડોના કાર્યકાળમાં કેનેડામાં વારંવાર ભારત વિરોધી પ્રદર્શનો થયા છે જેના કારણે ભારત નારાજ છે. આ વિવાદ હવે એટલો વકર્યો છે કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ટ્રેડની વાતચીત પણ ખોરવાઈ ગઈ છે. હાલમાં ભારત અને કેનેડા વચ્ચે વર્ષે 100 અબજ ડોલરનો બિઝનેસ થાય છે.

કેનેડાએ ભારત સાથે બિઝનેસ વધારવાનો ચાલુ રાખ્યો પરંતુ કટ્ટરવાદી શીખો સામે ક્યારેય પગલાં ન લીધા. તાજેતરમાં જૂન મહિનામાં કેનેડામાં શીખોએ એક પરેડ કાઢી હતી તેમાં જુદા જુદા ફ્લોટ રજૂ કર્યા હતા. તેમાંથી એક ફ્લોટમાં શીખ ઉગ્રવાદીઓ ઈંદિરા ગાંધીની હત્યા કરતા હોય તે દર્શાવવામાં આવ્યું હતું. ખાલિસ્તાનવાદી ચરમપંથીઓ ભારતીય વડાપ્રધાનની હત્યાને કેનેડામાં ગ્લોરીફાઈ કરે તેની સામે ભારતે સખત વાંધો ઉઠાવ્યો હતો. પણ કેનેડાએ આ મામલે કોઈ સખત પગલાં ન લીધા. હવે મામલો એક બીજાના ડિપ્લોમેટની હકાલપટ્ટી સુધી પહોંચી ગયો છે.

ભાવનગરના દરિયાકાંઠે મળી આવ્યું આ દુર્લભ ખનિજ, GSIએ રિસર્ચમાં કર્યો મોટો દાવો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-09-2023

વેનેડિયમ ખનિજ સંરક્ષણ અને એરોસ્પેસ જેવા વ્યૂહાત્મક ક્ષેત્રો માટે મહત્વપૂર્ણ કાચો માલ છે. ઉદાહરણ તરીકે, ટાઇટેનિયમ અને એલ્યુમિનિયમના વેનેડિયમ ધરાવતા એલોયનો ઉપયોગ ખાસ કરીને જેટ એન્જિનના ઘટકો અને હાઇ-સ્પીડ એરફ્રેમ માટે થાય છે.

સ્ટીલને મજબૂત કરવા અને બેટરી બનાવવા માટે વપરાતું વોર મિનરલ ભારતમાં દુર્લભ છે. પરંતુ એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ દુર્લભ ખનિજ ‘વેનેડિયમ’ ગુજરાતના અલંગ નજીક અરબી સમુદ્રમાં ખુલતા ખંભાતના અખાતમાંથી એકત્ર કરાયેલા કાંપના નમૂનાઓમાં મળી આવ્યું છે.

વાસ્તવમાં, વેનેડિયમ એ ઘણા ઉદ્યોગોમાં વપરાતો મહત્વપૂર્ણ કાચો માલ છે. જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI) એ કાંપ પર હાથ ધરાયેલા સંશોધનમાં વેનેડિયમના સંભવિત નવા સ્ત્રોતો શોધવાનો અહેવાલ આપ્યો છે.

પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, મેંગલોર, જીએસઆઈના મરીન એન્ડ કોસ્ટલ સર્વે ડિવિઝન (એમસીએસડી)ના સંશોધક બી ગોપકુમાર કહે છે. કે જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ એવા કાંપ પર સંશોધન હાથ ધર્યું હતું. જેણે વેનેડિયમના સંભવિત નવા સ્ત્રોતની પ્રથમ જાણ કરી હતી.

આ અંગેનો એક લેખ ‘નેચર’ મેગેઝીનમાં પણ પ્રકાશિત થયો છે. ભારતના અપતટીય કાંપમાં વેનેડિયમની હાજરીનો દાવો કરતો પ્રથમ અહેવાલ આ મેગેઝિનમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.

વેનેડિયમ, જે ભાગ્યે જ કુદરતી રીતે તેના શુદ્ધ સ્વરૂપમાં જોવા મળે છે, તે 55 થી વધુ વિવિધ ખનિજોમાં હાજર હોવાનું કહેવાય છે. જે તેનું ઉત્પાદન ખર્ચાળ બનાવે છે. ખંભાતના અખાતમાં, વેનેડિયમમાં ટાઇટેનોમેગ્નેટાઇટ નામના ખનિજ મળી આવ્યા છે. જે પીગળેલા લાવા ઝડપથી ઠંડુ થાય ત્યારે બને છે.

GSI વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, ખંભાતના અખાતમાં જમા થયેલું વેનાડીફેરસ ટાઇટેનોમેગ્નેટાઇટ સંભવતઃ ડેક્કન બેસાલ્ટમાંથી મુખ્યત્વે નર્મદા અને તાપી નદીઓમાંથી કાઢવામાં આવ્યું હતું. તે જ સમયે, વૈજ્ઞાનિકોએ ખંભાતના અખાતના ગંદા પાણી (કાપ) માંથી 69 નમૂનાઓ એકત્રિત કર્યા હતા.

વોટ્સએપે નવું યુઝર ઈન્ટરફેસ બહાર પડ્યું, ચેનલ ફીચર એડ કરાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-09-2023

WhatsApp તેના પ્લેટફોર્મ પર દરરોજ નવા ફીચર્સ અને ફેરફારો લાવે છે. આ શ્રેણીમાં, કંપનીએ દરેક માટે નવું વપરાશકર્તા ઇન્ટરફેસ બહાર પાડ્યું છે.ખરેખર, Meta એ ભારત સહિત 150 થી વધુ દેશોમાં WhatsApp ચેનલ્સ ફીચર લોન્ચ કર્યું છે. માર્ક ઝકરબર્ગે એક પોસ્ટમાં આ જાણકારી આપી છે. આ નવા ફેચર માટે વોટ્સએપે એક નવું ઈન્ટરફેસ બહાર પાડ્યું છે.

આ ઈન્ટરફેસમાં ’અપડેટ્સ’ ટેબ ઉમેરવામાં આવી છે. આ નવી ટેબને સ્ટેટસ ટેબથી બદલવામાં આવી છે, એટલે કે હવે ચેટ અને કોલની સાથે સ્ટેટસની જગ્યાએ અપડેટ્સ ટેબ દેખાશે.

આ અપડેટ ટેબમાં સ્થિતિ અને ચેનલ્સનો વિકલ્પ દેખાશે. કંપનીએ કહ્યું છે કે WhatsApp ચેનલ્સ એપની અંદર એક તરફી પ્રસારણ સાધન છે. આ સિવાય સ્ટેટસમાં ફોટો અને વીડિયો અપલોડ કરવા માટેનું આઇકોન પણ મળશે.

હવે ખાતામાં રકમ નહિં હોય તો પણ યુપીઆઈથી થઈ જશે પેમેન્ટ

ક્રેડીટ કાર્ડ જેવી ક્રેડીટલાઈન સેવા બેન્કો ચાલુ કરી શકે છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-09-2023

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ યુપીઆઈથી લેવડ-દેવડ માટે હવે ક્રેડીટ લાઈન સેવા શરૂ કરી દીધી છે.જે અંતર્ગત યુપીઆઈથી પેમેન્ટ વ્યવસ્થાને બેન્કો તરફથી અગાઉ જાહેર લોન (પ્રિ એપ્રુવ્ડ લોન) સેવા સાથે જોડી દેવામાં આવશે આથી બેન્ક ગ્રાહકનાં ખાતામાં પૈસા ન હોવા છતાં પણ પેમેન્ટ કરશે. આરબીઆઈ તરફથી મંજુરી મળ્યા બાદ ટુંક સમયમાં જ આ સુવિધા મોટાભાગે સરકારી અને ખાનગી બેન્કીંગ શરૂ કરી શકે છે. આ ક્રેડીટ લાઈન સેવાથી એક કએડીટ કાર્ડની જેમ જ ગ્રાહકને ખર્ચ માટે નિશ્ર્ચિત રક્મ નિર્ધારીત થશે.કેટલીક બેન્કો આ માટે 50 હજાર રૂપિયાની સીમા નકક કરી શકે છે.જેટલી રકમ ખર્ચાર્શ તેના પર જ બેન્ક વ્યાજ વસુલશે આ સુવિધાથી રોકડ પૈસા નહિં ઉપાડી શકાય.

હળવદના પી.આઇ કે.એમ.છાસિયાની મોરબી લીવ રિઝર્વમાં બદલી કરાઇ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-09-2023

મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા હળવદ પોલીસ ઇન્સ્પેકટર કે.એમ. છાસીયાની બદલી મોરબી ખાતે કરી લીવ રિઝર્વમાં મુકવામા આવ્યા છે. તેમજ હળવદ પોલીસ સ્ટેશનનો વધારાનો ચાર્જ મોરબી એલ.સી.બી પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ. ઢોલને સોંપવામાં આવ્યો છે. મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા હળવદ પોલીસ ઇન્સ્પેકટર કે.એમ. છાસીયાની બદલી મોરબી ખાતે કરી લીવ રિઝર્વમાં મુકવામા આવ્યા છે. તેમજ હળવદ પોલીસ સ્ટેશનનો વધારાનો ચાર્જ મોરબી એલ.સી.બી પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ. ઢોલને સોંપવામાં આવ્યો છે.

તેમજ મોરબી જીલ્લા પોલીસ દળમાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી.ઘેલાનાઓને વહિવટી કારણોસર કંટ્રોલ રૂમ(લીવ રીઝર્વ), મોરબી ખાતેથી I.U.C.A.W., મોરબી ખાતે નિમણુંક કરવામાં આવે છે. જ્યારે પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ.વ્યાસ, લીવ રીઝર્વ, મોરબીનાઓને IUCAW, મોરબીના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

LATEST NEWS

error: Content is protected !!