Home Blog Page 2

મોરબી: ભાજપના ચૂંટણી કાર્યાલયનો ઉદ્ધાટન સમારોહ અને જાહેર સભાનો કાર્યક્રમ યોજાયો

મોરબી ખાતે સનાળા રોડ પર, જી.આઈ.ડી.સી. પાસે આજે હનુમાન જયંતીના દિવસે ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરાયો હતો. સાથે જાહેર સભા યોજી હતી. આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, કેસરીદેવસિંહ ઝાલા, મોહનભાઇ કુંડારીયા, લાખાભાઇ જારીયા, કાંતિલાલ અમૃતિયા સહીત સર્વે ભાજપના હોદ્દેદારો કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી સહીત સમગ્ર દેશભરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ

આજે હનુમાન જયંતિના પવન પર્વે મોરબી સહીત સમગ્ર દેશભરમાં હનુમાનજયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવાઈ હતી. ઠેર ઠેર મહા આરતી અને મહા પ્રસાદનું આયોજન કરાયું હતું.

વાંકાનેર ખાતે  શ્રી કે.કે. શાહ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું કર્યું પ્રત્યક્ષ નિદર્શન

વાંકાનેર મામલતદાર કચેરી દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત સવિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું

મતદાન જાગૃતિ અને ચૂંટણી પ્રક્રિયા અંગે લોકોને જાગૃત કરવાના ભાગરૂપે ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં મામલતદાર કચેરી દ્વારા વાંકાનેર ખાતે   કે.કે. શાહ વિદ્યાલયમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું.

લોકસભાની ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત મોરબી જિલ્લામાં લોકોને મતદાન માટે જાગૃત કરવા તેમજ ચૂંટણી પ્રક્રિયા અંગે વાકેફ કરવા માટે વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શન હેઠળ ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં વાંકાનેર મામલતદાર  યુ.વી. કાનાણીના નેતૃત્વમાં વાંકાનેરમાં આવેલી કે.કે. શાહ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં ધોરણ ૯ અને ૧૧ ના ૧૨૨ વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ચૂંટણી પ્રક્રિયાનું નિદર્શન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ નિદર્શન કાર્યક્રમ અંતર્ગત મોક ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા મતદાર યાદી તૈયાર કરવી, મતદાન મથક તૈયાર કરવું, મતદાન અધિકારીઓને તાલીમ આપવી તેમજ મતદાનની સમગ્ર પ્રક્રિયા સહિતની કામગીરી કરવામાં આવી હતી. બાળકોમાં વિદ્યાર્થી જીવન દરમિયાન જ ચૂંટણી પ્રક્રિયા અંગે જાગૃતતા આવે અને આ બાળકો સહિત તેમના પરિવારજનો પણ મતદાન અને ચૂંટણી પ્રક્રિયા અંગે જાગૃત બને તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ૧૨૨ વિદ્યાર્થીઓએ આ આયોજનમાં ભાગ લીધો હતો.

મતદાન જાગૃતિ અંતર્ગતના આ કાર્યક્રમમાં વાંકાનેર મામલતદાર  યુ.વી. કાનાણી, નાયબ મામલતદાર મન્સુરી, શાળાના પ્રમુખ , શાળાના આચાર્ય  નિલેશભાઈ ધોકિયા તેમજ સમગ્ર સ્ટાફે ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

મોરબી જલારામ મંદિરમાં અઘારા પરિવાર દ્વારા મહાપ્રસાદ

સ્વ.ત્રિભોવનભાઈ રાઘવજીભાઈ અઘારાની 30મી પૂણ્યતિથી નિમિતે તેમના સુપુત્રો દિવ્યેશભાઈ તથા વિકાસભાઈ દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, સુનિલભાઈ પુજારા, ચિરાગ રાચ્છ સહીતનાઓએ સદગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે આજની પેઢી સ્વજન ના અવસાન બાદ થોડા વર્ષો મા પોતાના જીવન મા વ્યસ્ત થઈ જતી હોય છે તેમજ સ્વજન ગુમાવવા નુ દુ:ખ વિસરાય જતુ હોય છે ત્યારે મોરબી ના અઘારા પરિવાર દ્વારા 30-30 વર્ષ સુધી પણ સ્વજનની યાદમાં પ્રેરણાદાયી કાર્યો કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મા આવી રહી છે જે ખરેખર સમાજ માટે પ્રેરણાદાયી બાબત છે

કાશ્મીર મુદે પાકિસ્તાનને ઝટકો આપતુ ઈરાન

શહબાઝ શરીફે પાકિસ્તાનની મુલાકાતે આવેલા ઈરાનના રાષ્ટ્રપતિ સમક્ષ ભારતે કાશ્મીરમાં મુસ્લીમોનું લોહી વહાવ્યુ હોય તેવો આક્ષેપ કર્યો પણ ઈરાનના રાષ્ટ્રપતિએ જવાબ જ ન આપ્યો

પાકિસ્તાનમાં નવી સરકાર રચાયા બાદ ભારત સાથે સારા સંબંધો બાંધવાની હિમાયત કર્યા બાદ હવે ફરી આ દેશે તેનો અસલી રંગ પકડયો છે અને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ કાશ્મીરની તુલના ગાઝાપટ્ટી સાથે કરીને કહ્યું હતું કે ભારતના અત્યાચારથી આ ક્ષેત્રમાં ઘણુ લોહી વહ્યું છે અને દુનિયાભરનાં મુસ્લીમોને એકતાની અપીલ કરી છે.

તો બીજી તરફ હાલ પાકિસ્તાનની મુલાકાતે રહેલા ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રહીસીએ પાકિસ્તાનના ઈસ્લામીક કાર્ડને નજરઅંદાજ કરીને તેમના વિધાનોમાં કાશ્મીરનું નામ પણ લીધુ ન હતું. શહબાઝ શરીફે ઈરાનની પ્રશંસા કરતા કહ્યું કે બંને દેશો વચ્ચે 76 વર્ષ નહી પણ સદીઓ જુનો સંબંધ છે અને જયારે પાકિસ્તાનની રચના થઈ તો તેને માન્યતા આપનાર ઈરાન સૌથી પહેલુ હતું.

શરીફે ઈરાનના રાષ્ટ્રપતિને બિરાદરી ભાઈ ગણાવ્યા અને જાન-એ-બારાદાર એટલે કે બિરાદરીના વ્યક્તિ ગણાવ્યા અને ગાઝાપટ્ટી અંગે જાહેરમાં આ મુદો ઉઠાવવા બદલ ઈરાનની પ્રશંસા કરી. સાથોસાથ કાશ્મીરનો પણ રાગ આલોપ્યો હતો.

અહી મુસ્લીમોનું લોહી વહ્યુ છે તેવી વાત કહી હતી પરંતુ ઈરાનના રાષ્ટ્રપતિએ તેમના વિધાનોમાં કાશ્મીર અંગે કોઈપણ વિધાનો કરવાનું પસંદ કર્યુ ન હતું. આમ ઈરાનને પાકિસ્તાન મુદે પોતાની સાથે જોડવાના શરીફના પ્રયાસોને જબરો આંચકો લાગ્યો છે.

LATEST NEWS

error: Content is protected !!