લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત તા.07/05/2024 મંગળવારનાં રોજ મતદાન થનાર છે. સંયુકત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત રાજ્યના પત્ર ક્રમાંક: ઈએલીસી/1024/115(2)/છ તા.10/04/2024 અનુસાર મતદાનના દિવસે જાહેર રજા કે રવિવારનો દિવસ ન હોય તો મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વટાઉખત અધિનિયમ-1881ની જોગવાઈઓ લાગુ પડતી ન હોય તેવી દુકાનો અને સંસ્થાઓ માટે ગુજરાત દુકાનો અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) અધિનિયમ, 2019 ની કલમ 18 હેઠળ મતદાનના દિવસે રજા જાહેર કરવાની થાય છે.
ઉપરોક્ત વિગતે રાજકોટ શહેર વિસ્તારમાં તા.07/05/2024ના રોજ મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી વટાઉખત અધિનિયમ-1881ની જોગવાઈઓ લાગુ પડતી ન હોય તેવી દુકાનો અને સંસ્થાઓના કામદારો, શ્રમયોગીઓ તથા રોજમદાર છુટક તથા પરચુરણ કામ કરતા તમામ કર્મચારીઓને, ગુજરાત દુકાનો અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) અધિનિયમ, 2019ની કલમ 18 હેઠળ મતદાનના દિવસે રજા અને વેતન માટે હક્કદાર રહેશે.