Home Blog Page 1503

પાંચમો વિશ્વયોગ દિવસઃ મહાત્મા મંદિર ખાતે ગાંધીજીના પોષાકમાં યોગ કાર્યક્રમ યોજાશે

મહાત્મા મંદિર ખાતે યોજાનાર યોગ દિવસની ઉજવણીમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સાથે દાંડી યાત્રામાં જોડાયા હતા.

( દિવ્યક્રાંતિ ન્યુઝ) ગાંધીનગર જિલ્લામાં પાંચમા વિશ્વ યોગ દિવસ ઉજવણી અંતર્ગત મહાત્મા મંદિર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. મહાત્મા મંદિર ખાતે યોજાનાર યોગ દિવસની ઉજવણીમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સાથે દાંડી યાત્રામાં જોડાયા હતા. તેટલા જ વ્યક્તિઓ ગાંધીજીના પોષાકમાં મહાત્મા મંદિર ખાતે આવેલા બ્રિજ ઉપર યોગ કરશે. આ યોગનો કાર્યક્રમ સ્વર્ણિમ પાર્ક ખાતે યોગ કાર્યક્રમ બાદ યોજાય તેવું આયોજન કરવા માટેનું સૂચન પણ કલેકટર એસ.કે.લાંગાએ કર્યું હતું.

ગાંધીનગર જિલ્લાના પાંચમા વિશ્વ યોગ દિવસની ઉજવણીના સુચારું આયોજન માટે યોજાયેલ બેઠકમાં કલેકટર એસ.કે.લાંગાએ વધુમાં જણાવ્યું હતું કે, યોગ દિવસ મહાત્મા મંદિર સાથે સાથે પ્રાચીન અડાલજની વાવ, મહુડી મંદિર, અક્ષરધામ મંદિર, ત્રિમંદિર ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકાને પણ સરિતા ઉધાન, સેકટર-૧ તળાવ, ઇન્દ્રોડા પાર્ક જેવા સ્થળોએ પણ અલગ થીમ સાથે યોગ દિવસની ઉજવણી કરવાનું ઉમદા સૂચન કલેકટરશ્રીએ કર્યું હતું.
કલેકટર એસ.કે.લાંગાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં ૧૩૬૦ જેટલા સ્થળોએ યોગ કાર્યક્રમ યોજાનાર છે. તેમજ આજદિન સુધીમાં કુલ ૩ લાખ ૬૩ હજાર જેટલા નાગરિકોના નામની નોંધણી કરવામાં આવી છે. તે વાતનો આનંદ વ્યકત કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણીના સુચારું આયોજનમાં કામ કરતાં સર્વે અધિકારી અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા

શિક્ષિત બેરોજગારોની મજાક ઉડાવતું રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ : પહેલા પરીક્ષા રદ્દ કરી બાદમાં ગુજરાતના બદલે અન્ય રાજ્યમાં પરીક્ષા કેન્દ્ર બદલ્યું

(દિવ્યક્રાંતિ ન્યુઝ)  રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ગુજરાતના બદલે અન્ય રાજ્યમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવતા શિક્ષિત બેરોજગારો માં ભારે રોષ વ્યાપી ગયો છે
આ અંગે શિક્ષિત બેરોજગાર જણાવ્યા અનુસાર રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ભરતી અંગેની જાહેરાત આપીને પરીક્ષા લેવાનું આયોજન તારીખ 23-5-2019 ના રોજ કરાયું હતું. આ પરીક્ષા ગુજરાતમાં ગોઠવાઇ હતી જોકે ગત તારીખ 23-5-2019 ના ટેકનીકલ ખામીને લીધે પરીક્ષા રદ કરાઇ હતી અને રિશિડ્યુલ કર્યા બાદ ગુજરાતના વિધાર્થીઓને અન્ય રાજયોમાં સેન્ટર ફાળવવામાં આવ્યું છે જે ખરેખર બેરોજગાર માટે મશ્કરી સમાન છે રેલવેના ગેરવહીવટ તેને લીધે છેલ્લી ઘડીએ ગત તારીખ 23 5 2019 ના પરીક્ષા રદ કરવામાં આવતાં પરીક્ષા આપવા જતા અનેક શાસ્ત્રો અને ધક્કો થયો હતો અને બાદમાં જાહેર કરવામાં આવેલા કેન્દ્ર ગુજરાત ના બદલે અન્ય સ્ટેટમાં ફાળવી દેવાતા શિક્ષિત બેરોજગારો માટે પડ્યા પર પાટું સમાન હતું બેરોજગાર શિક્ષકોને રડાવનાર મુંબઈ સ્થિત રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે

મોરબી: માનવ અધિકાર એસોસિએશને RTE હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવા બદલ આભાર માન્યો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 15, મોરબીની માનવ અધિકાર એસોસિએશન દ્વારા જે વિદ્યાર્થીઓને સ્કૂલ દ્વારા RTE  (રાઈટ ટૂ એજ્યુકેશન) હેઠળ પ્રવેશ ન આપતી શાળાઓને શિક્ષણ અધિકારીને આપેલ એક આવેદનપાત્રમાં જણાવ્યું  કે : RTE  માં સેન્ટ મેરી સ્કૂલમાં RTE ના નિયમોનુસાર એડમિશન મળ્યા બાદ સ્કૂલમાંથી જણાવેલ કે આ બાબતે હાઈકોર્ટના નિર્ણય બાદ આ બાબતે યોગ્ય કરવામાં આવશે ત્યાં સુધી સ્કૂલ ઓથોરિટી એડમિશન આપી શકશે નહીં તો આ વિદ્યાર્થીઓને બીજી પ્રાયોરિટી સ્કૂલમાં જે સેન્ટ મેરી સ્કૂલના RTE ના લિસ્ટમાં આવેલ છે તે વિદ્યાર્થીઓને બીજી સેકન્ડરી સ્કૂલમાં એડમિશન આપવા વિનંતી જેથી બાળકોનું બાળકોનું વર્ષ અને અભ્યાસ ન બગડે।…  આ આવેદન બાદ શિક્ષણાધિકારીએ ખુબ સારો પ્રતિભાવ આપી તુરંત આ વિદ્યાર્થીઓને એડમિશન  અપાવેલ હતા. આમ વિદ્યાર્થીઓના પ્રશ્નનો સુખદ નિરાકરણ લાવવા બાદલ ઇન્ડિયન માનવ અધિકાર એસોસિએશનના મોરબી જિલ્લાના પ્રભારી વિનેશ સવસેટા,  લીંબાણી શનિભાઈ, અમિતભાઇ પનારા તથા તમામ સદસ્યોએ જિલ્લા શિક્ષણાધિકારીનો આભાર વ્યકત કર્યો હતો. 

 

વધુ સમાચાર મેળળવા ફેસબુક પેજ લાઈક કરો https://facebook.com/divyakrantinews

દિવ્યક્રાંતિ “અરવલ્લી” જિલ્લાના પ્રેસ પ્રતિનિધિ હરિપ્રસાદભાઈ તથા તેમના ભાઈ હસમુખભાઈનો આજે બર્થ-ડે

હરિપ્રસાદભાઈ (ડાબે) હસમુખભાઈ (જમણે)

દિવ્યક્રાંતિ, તા. 15, આજે દિવ્યક્રાંતિના અરવલ્લી જિલ્લાના સામાજિક પ્રશ્નો અંગે સતત જાગૃત રહેતા પ્રેસ પ્રતિનિધિ હરિપ્રસાદભાઈ તથા તેમના ભાઈ હસમુખભાઈ  બંને ભાઈઓનો આજે જન્મદિવસ છે. દિવ્યક્રાંતિ મીડિયા પરિવાર તેઓના જન્મદિવસની બંન્નેને શુભકામના પાઠવાએ છે. તેઓના જન્મદિનની સૌ શુભેચ્છક મિત્રો અને સ્નેહીજનો દ્વારા શુભકામના મળી રહી છે. 

17 જૂને તમામ ડોક્ટરોની રાષ્ટ્રવ્યાપી હડતાલ : માત્ર ઇમર્જન્સી સેવા જ ચાલુ રહેશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) ઈન્ડિયન મેડિકલ એસોશિએશને (IMA) શુક્રવારે જાહેરાત કરી કે 17 જૂનના રોજ આખા દેશનાં ડોક્ટરો હડતાળ પર ઉતરી જશે. એ સાથે કહેવામાં આવ્યું કે માત્ર ઈમરજન્સી સેવાઓ જ ચાલુ રહેશે. IMAએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, હોસ્પિટલોમાં ડોક્ટરોની સુરક્ષા ઈચ્છીએ છીએ. કોલકતામાં મેડિલકના વિદ્યાર્થીઓ ખુબ ડરેલા છે.આગળ કહ્યું કે, રસ્તા પર હિંસા શરૂ થઈ ગઈ છે. અમે એવું ઈચ્છીએ છીએ કે સમાજ અમારી સાથે રહે. અમે ઈચ્છીએ છીએ કે કોલકતામાં જે હિંસા થઈ એનાં આરોપીઓને મોટી સજા કરવામા આવે. દવાખાનામાં હિંસા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.આગળ IMAએ કહ્યું કે અમે ઘોષણા કરીએ છીએ કે, 17 જુને આખા દેશમાં ડોક્ટરો હડતાળ પર રહેશે અને માત્ર ઈમરજન્સી સુવિધાઓ જ ચાલુ રહેશે. ડોક્ટરોની હડતાળ શનિવારે પણ ચાલુ જ રહેશે.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી ડોક્ટરોની હડતાળ વચ્ચે કલકત્તા હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે. હાઈકોર્ટે બંગાળ સરકારને કહ્યું કે, તે તરત જ હડતાળ કરી રહેલાં ડોક્ટરો સાથે વાતચીત કરે અને મામલાનો ઉકેલ લાવે. એટલું જ નહીં, હાઈકોર્ટે મમતા સરકારને પુછ્યું છે કે, તેઓએ ડોક્ટરોની સુરક્ષા માટે કયા પગલાં ભર્યા છે. જણાવી દઈએ કે, એક જુનિયર ડોક્ટર સાથે થયેલી મારપીટ બાદ રાજ્યભરના ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે.

LATEST NEWS

error: Content is protected !!