Thursday, January 23, 2025
HomeFeatureમોરબીના ઉદ્યોગપતિએ દેશનો પ્રથમ બાયો સીએનજી પ્લાન્ટ કાર્યરત કર્યો

મોરબીના ઉદ્યોગપતિએ દેશનો પ્રથમ બાયો સીએનજી પ્લાન્ટ કાર્યરત કર્યો

મોરબીના યુવા ઉદ્યોગપતિ દ્વારા ન માત્ર ગુજરાત પરંતુ ભારતનો સૌ પ્રથમ બાયો સીએનજી પ્લાન્ટ કાર્યરત કરવામાં આવેલ છે અને સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના દુદાપુર ખાતે 125 કરોડના ખર્ચે આ પ્લાન્ટ શરૂ કરવામાં આવેલ છે જેમાં ગાંડા બાવળ, ગોબર અને ખેતીમાં બિન ઉપયોગી કચરાનો ઉપયોગી કરીને તેમાંથી સીએનજી ગેસનું ઉત્પાદન કરવામાં આવશે.

ધાંગધ્રાના દુદાપુર ખાતે ભારત તથા ગુજરાતનો સૌપ્રથમ બાયો સીએનજી પ્લાન્ટ નેપિયર ગ્રાસ તથા ગાયના છાણ આધારિત બાયોગેસ પ્લાન્ટની શરૂઆત કરવામાં આવી છે અને ભારતમાં નેપિયર ગ્રાસનો ઉપયોગ કરીને ગ્રાઉન્ડ બ્રેકિંગ બાયોગેસ ટેકનોલોજી અને પ્રોસેસ સિસ્ટમ્સ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ક્રાંતિ લાવશે અત્યાધુનિક બાયોગેસ પ્લાન્ટના અનાવરણ સાથે ઐતિહાસિક સિદ્ધિને મેળવેલ છે નેપિયર ગ્રાસને પ્રાથમિક સબસ્ટ્રેટ તરીકે પાયોનિયરીંગ કરીને તેમના બાયો-સીએનજી પ્લાન્ટને ચાલુ કરવામાં આવ્યો છે

ભારતના પ્રથમ બાયો-સીએનજી પ્લાન્ટ તરીકે નેપિયર ગ્રાસ, જે તેની ઝડપી વૃદ્ધિ અને ઉચ્ચ બાયોમાસ માટે જાણીતું છે તે તે બાયોગેસ ઉત્પાદન માટે શ્રેષ્ઠ ફીડસ્ટોક તરીકે ઉભરી આવે છે. આ પ્રોજેક્ટ બાયો ફ્યુઅલ, બાયો કેમિકલ્સ અને બાયો ફર્ટિલાઇઝર્સના ઉત્પાદન દ્વારા વેસ્ટ-ટુ-વેલ્થ કન્વર્ઝન અને પર્યાવરણીય સંરક્ષણ તરફની સફરમાં નોંધપાત્ર સીમાચિહ્ન રૂપ છે.

ઇ ઉત્પાદિત બાયો-સીએનજી ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) ના સહયોગથી કોમ્પ્રેસ્ડ બાયોગેસ વડે વાહનોને ભરવાની સુવિધા આપશે, જેનાથી ભારત સરકારની નીતિને ટેકો મળશે. આ નવીનતા અપ્રતિમ મિથેન વેલ્ડ અને ક્ધવર્ઝન રેશિયો સાથે વિપુલ પ્રમાણમાં નેપિયર ગ્રાસને બાયોગેસમાં રૂપાંતરિત કરવાની સુવિધા આપે છે.

પરિણામી બાયોગેસ એક શક્તિશાળી, સ્વચ્છ અને નવીનીકરણીય ઉર્જા સ્ત્રોત તરીકે સેવા આપે છે.

આ પ્લાન્ટના માધ્યમથી જૈવિક ખાતર સ્થાનિક ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળા ખાતરનો ફાયદો પણ થશે અને પ્લાન્ટના માધ્યમથી ગૌશાળાઓ માટે ગોબર વેચાણ દ્વારા આવકનો સ્ત્રોત પણ ઉભો થશે બાયોગેસ ઉત્પાદન ઉપરાંત ઘન અને પ્રવાહી જૈવિક ખાતર ઉત્પન્ન કરવાથી છોડને પોષણ યુક્ત ખોરાક અને કૃષિનું ટકાઉ પણું ઉપરાંત ગ્રામીણ વિકાસ અને પ્રોત્સાહન મળવાથી ખેડૂતોની આંશિક સ્થિતિમાં પણ સુધારો લાવશે. દુદાપુર ગામે ગુજરાત તેમજ ભારતનો સૌપ્રથમ બાયોગેસ પ્લાન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે તેવી કેમ પ્રોસેસ સિસ્ટમ ના ડાયરેક્ટર અને મોરબીના યુવા ઉદ્યોગપતિ જિજ્ઞેશભાઈ મેથાણીયાએ જણાવ્યુ હતું.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!