Saturday, July 27, 2024
HomeFeatureમોરબી સિવિલમાં 40 જેટલી પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘીનો શીરો અર્પણ કરાયો

મોરબી સિવિલમાં 40 જેટલી પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘીનો શીરો અર્પણ કરાયો

મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથના માધ્યમથી મોરબી સિવિલ હોસ્પીટલમાં 40 જેટલી પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘીનો શીરો અર્પણ કરવામાં આવ્યો હતો. મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે.

તેમજ શ્રી જલારામ પ્રાર્થના મંદિર સંચાલિત ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂરીયાતમંદોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે મહિલા મંડળ સિવિલ હોસ્પીટલ ખાતે 40 જેટલી પ્રસુતા માતાઓને દોશી પરીવારના સહયોગથી ચોખ્ખા ઘી નો શીરો અર્પણ કરવા માં આવ્યો હતો. આ પ્રેરક કાર્યમાં મંડળના વંદનાબેન ઘેલાણી, રીનાબેન ચૌહાણ, ટીશાબેન ચૌહાણ, પ્રિતીબેન ચંદારાણા, મંજુલાબેન સહીતના અગ્રણીઓ તેમજ સારથી કૌશલભાઈ જાની જોડાયા હતા. ડો.કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા રથ ના માધ્યમ થી મોરબી સિવિલ હોસ્પીટલ ખાતે પ્રસુતાઓ તેમજ જરૂરીયાતમંદ દર્દીઓને સેવા પ્રદાન કરવામાં આવશે તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડએ જણાવ્યુ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!