Home Blog Page 1249

પોલીસે જપ્ત કરેલા રેમડિસિવિર દર્દીઓને આપવા કોર્ટનો આદેશ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-04-2021

અમદાવાદમાં કાળા બજાર કરનારાઓ પાસેથી પોલીસે જપ્ત કરેલા ૩૫ રેમડિસિવર ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલને સોંપવા મેટ્રોપોલિટન કોર્ટના મેજિસ્ટ્રેટ એમ.જે. ખોજ્જાદાએ હુકમ કર્યો છે. ક્રાઇમ બ્રાંચે થોડાં દિવસો પહેલાં એસ.વી.પી. હોસ્પિટલના કર્મચારીઓ સહિતના કેટલાંક આરોપીઓને ઝડપી ૩૫ ઇન્જેક્શન સાથે ઝડપ્યા હતા. જો કે મુદ્દામાલ તરીકે પડી રહેલા ઇન્જેક્શન એક્સપાયર થઇ જાય તેમ હોવાથી તેને યોગ્ય વ્યક્તિને સોંપવા ક્રાઇમ બ્રાંચે કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી કોર્ટે માન્ય રાખી છે.

પોલીસ તરફથી કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે સમગ્ર રાજ્યને અત્યારે કોરોનાની મહામારીએ બાનમાં લીધું છે. આ સમયે રેમડિસિવિર ઇન્જેક્શનની અછત સર્જાઇ છે અને ઘણાં લોકોને અત્યારે ઇન્જેક્શનની જરૃર છે. મુદ્દામાલમાં રહેલા આ ઇન્જેક્શન આમ જ પડયા રહે તો એક્સપાયર થઇ જાય તેમ હોવાથી તેને જરૃરિયામંદો સુધી પહોંચાડવા કોર્ટે યોગ્ય આદેશો કરવા જોઇએ.

આરોપીઓ તરફથી પણ આ અંગે વાંધો રજૂ નહોતો કરવામાં આવ્યો અને ખાતરી આપવામાં આવી હતી કે ઇન્જેક્શન બાબતે તેઓ ટ્રાયલ દરમિયાન કોઇ તકરાર કે ક્લેઇમ રજૂ કરશે નહી. જેથી કોર્ટે આદેશ કર્યો હતો કે અત્યારે આ ઇન્જેક્શન ઘણાં દર્દીઓ માટે નવજીવન સાબિત થઇ શકે તેમ છે અને પોલીસ કબ્જામાં તે એક્સપાયર થઇ શકે છે. જેથી તેને પોલીસ કબ્જમાં રાખવા યોગ્ય નથી અને તેને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને સોંપવામાં આવે તે ન્યાયોચિત જણાઇ રહ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

CBSE બાદ ICSE અને ISCની પરીક્ષા પણ મોકૂફ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-04-2021

કોરોના વાયરસ મહામારીના ભય વચ્ચે કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન અર્થાત સીઆઇએસસીઇએ આસીએસઈ (ધોરણ 10) અને આઈએસસી (ધોરણ 12) ની પરીક્ષાઓને સ્થગિત કરી દીધી છે. પરીક્ષાની નવી તારીખો પર અંતિમ નિર્ણય જૂન 2021ના પહેલા અઠવાડિયા સુધીમાં લેવાશે.

હકિકતમાં સીબીએસઈ દ્વારા ધોરણ 10ની પરીક્ષા રદ કરવાના અને 12માની પરીક્ષા સ્થગિત કરાયા પછીથી હવે સીઆઇએસસીઇ તરફથી આઇસીએસઇ અને આઇએસસીની બોર્ડની પરીક્ષાઓ સ્થગિત કરી છે. સીઆઇએસસીઇના મુખ્ય કાર્યકારી અને સચિવ જી એરાથૂને આ વાતની જાણકારી આપી છે.

જણવાઈ રહ્યું છે કે ધોરણ 12ની પરીક્ષા ઓફલાઈન બાદની તારીખોમાં: નક્કી કરવામાં આવશે. જ્યારે 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક છે. 10માના જે વિદ્યાર્થી પરીક્ષામાં શામેલ થવા નથી ઈચ્છતા તે તેમના રિઝલ્ટ માટે સીઆઇએસસીઇ એક માપદંડ નક્કી કરાયું છે.

જણાવી દઈએ કે કોરોના સંકટમાં એમી બોર્ડ, રાજસ્થાન બોર્ડ, હિમાચલ પ્રદેશ બોર્ડ મહારાષ્ટ્ર બોર્ડે પણ પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે. ઉત્તર પ્રદેશમાં એકથી લઈને 12મા ધોરણ સુધી સ્કૂલને 15 મે સુધી બંધ કરી દીધી છે. જ્યાં 8 મેથી પરીક્ષાઓ ચાલુ થવાની હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ટ્રેનમાં માસ્ક વગર પ્રવાસ કરવો મોંઘો પડશે, રેલવે ફટકારશે 500 રૂપિયાનો દંડ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-04-2021

કોરોના સંક્રમણનાં વધતા કેસને જોતા રેલવેએ કોરોના પ્રોટોકોલનું પાલન માટે કડકાઇની શરૂઆત કરી દીધી છે, રેલવે બોર્ડએ એક હુકમ જારી કરી રેલવે પરિસર અને ટ્રેનોમાં માસ્ક ન પહેરવા પર 500 રૂપિયાનો દંડ લગાવવાનો નિર્ણય કર્યો છે, આ હુકમનો તાત્કાલિક અસરથી અમલ કરવામાં આવ્યો છે, અને આગામી 6 મહિના સુધી ચાલું રહેશે, રેલવેએ હવે રેલવે કાયદા હેઠળ ગુના રૂપે સામેલ કર્યો છે. રેલવેએ વાયરસનાં ફેલાવાને પ્રતિબંધિત કરવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ બાબતોનાં મંત્રાલય દ્વારા જારી કરાયેલા વિવિધ કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવા માટે આ માસ્ક પહેરવું અનિવાર્ય બનાવ્યું છે.

ભારતીય રેલવે દ્વારા ટ્રેનોનાં આવાગમન માટે 11 મે 2020થી અમલી બનાવેલી SOPમાં કહેવામાં આવ્યું છે કે તમામ પ્રવાસીઓને સલાહ આપવામાં આવે છે, કે તેમને પ્રવેશ અને યાત્રા દરમિયાન માસ્ક પહેરવું જોઇએ, રેલને પરિસરમાં થુકનારા લોકો માટે પણ દંડની જોગવાઇ કરવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

જૂનાગઢના વાતાવરણમાં એકાએક પલ્ટો, બરફના કરા સાથે કમોસમી વરસાદ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-04-2021

જુનાગઢ તેમજ આસપાસના વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. સાથે વાવાઝોડાની જેમ ફૂંકાયેલા પવનથી રસ્તા ઉપરના હોર્ડિંગ્સ તેમજ વૃક્ષો પત્તાના મહેલની જેમ મુખ્ય માર્ગો ઢળી પડતા. જુનાગઢથી વંથલી તરફ જતો માર્ગ બંધ થઇ જતાં વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. સ્વામીવિવેકાનંદ મેદાનમાં પાણી ભરાતા મેદાન તળાવ જેવું બની ગયુ હતુ.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

આખા જગતમાં ઇઝરાયેલમાં ઇન્ટરનેટ સૌથી સસ્તું : ભારતનો ક્રમ 28મો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-04-2021

ભારતનો સમાવેશ હવે સૌથી સસ્તું ઈન્ટરનેટ પુરું પાડનારા દેશમાં નથી થતો. કંપનીઓએ ડેટાનો ભાવ વધાર્યો એટલે સૌથી સસ્તું ઈન્ટરનેટ આપનારા દેશોના લિસ્ટમાં ભારતનો ક્રમ ૨૮મો નોંધાયો છે. ભારતમાં ડેટાનો એવરેજ ભાવ ૦.૬૮ ડૉલર (૫૦ રૂપિયા) નોંધાયો છે. બ્રિટિશ કંપની કેબલે આ રિપોર્ટ તૈયાર કર્યો હતો. તેણે રિપોર્ટ માટે ભારતમાં ઉપલબ્ધ વિવિધ કંપનીઓના ૫૮ ડેટા પ્લાનની વિગતો તપાસી સરેરાશ આંક રજૂ કર્યો હતો.

રિપોર્ટ પ્રમાણે ભારતમાં અમુક પ્લાન હેઠળ સસ્તો ડેટા માત્ર ૦.૦૫ ડોલર (૪ રૂપિયા)માં મળે છે, જ્યારે સૌથી મોંઘો ડેટા ૨.૭૩ ડૉલર (૨૦૩ રૂપિયા) નોંધાયો હતો.

ભારતમાં ૨૦૨૦માં ડેટાનો સરેરાશ ભાવ ૦.૦૯ ડૉલર (૬.૭૦ રૂપિયા) હતો. તેમાં આ વર્ષે સાડા સાત ગણો વધારો થયો છે. સૌથી સસ્તો ડેટા ઈઝરાયેલમાં છે. ત્યાં સરેરાશ ભાવ ૦.૦૫ ડૉલર છે. એ પછી બીજો ક્રમ કિર્ગિઝસ્તાનનો છે. ભારતમાં તો પણ અનેક દેશોની સરખામણીએ ડેટા સસ્તો છે અને તેનું કારણ રિલાયન્સ જીઓનું આગમન છે. ડેટાનો વિશ્વમાં સરેરાશ ભાવ તો ૪.૨૧ ડૉલર (૩૧૩.૬૦ રૂપિયા) છે. રિપોર્ટમાં કુલ ૨૩૦ દેશોના ઈન્ટરનેટ પ્લાનની વિગતો રજૂ કરવામાં આવી હતી. સૌથી મોંઘુ ઈન્ટરનેટ ઈક્વેટોરિયલ ગુયાના દેશમાં નોંધાયુ છે. ત્યાં ડેટાનો ભાવ ૪૯.૬૭ ડૉલર (૩૭૦૦ રૂપિયા) નોંધાયો છે.

બીજી તરફ વિશ્વમાં પાંચ વર્ષ દરમિયાન સ્માર્ટફોન વાપરનારાઓની સંખ્યા ડબલ થઈ હતી. બાયશેરના રિપોર્ટ પ્રમાણે ૨૦૧૫માં જગતમાં સ્માર્ટફોન યુઝર્સ ૩ અબજ હતા, એ ૨૦૨૦માં વધીને ૬.૧ અબજ થયા છે. એ સિવાય સાદા ફોનની સંખ્યા તો અલગ. સ્માર્ટફોન લોકોના જીવનનું લગભગ અનિવાર્ય અંગ બનતો જાય છે. ૨૦૨૦ના આંકડા મુજબ ચીન ૯૧.૨ કરોડ સ્માર્ટફોન યુઝર્સ સાથે પહેલા ક્રમનો દેશ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

LATEST NEWS

error: Content is protected !!