મોરબી: ભાજપની ભવ્ય જન આશિર્વાદ યાત્રા નીકળી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-08-2021

મોરબીમાં આજે જન આર્શીવાદ યાત્રા સાથે વિશાળ રોડ-શો યોજાયો હતો. શહેર ભાજપ અને જીલ્લા ભાજપ દ્વારા કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલાની આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. તે બાદ સર્કીટ હાઉસથી માર્કેટીંગ યાર્ડ સુધી વિશાળ યાત્રા નીકળી હતી. આ યાત્રા બપોરે ત્રણ વાગ્યા બાદ રાજકોટ પહોંચવાની છે. મોરબીની સભામાં રૂપાલાએ કહ્યું હતું કે દેશમાં એવા પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા છે જેઓ સરપંચ અને ખેડુતોના બેંક ખાતામાં નાણા જમા કરાવે છે