(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોરબીની સર્વોપરી ડે સ્કૂલમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનો અભ્યાસ કરતો વિદ્યાર્થી ભાવિક કૌશિકભાઈએ 12 સામાન્ય પ્રવાહમાં 99.99 PR તેમજ 94.30% પ્રાપ્ત કરી સમગ્ર રાજ્યમાં અને મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ભાવિકના પિતા મેરી ટાઈમ બોર્ડમાં ફાયરમેન તરીકે ફરજ બજાવે છે. ભાવિકનો પરિવાર તેમની આ સિદ્ધિથી ખુબ ખુશ છે. ભાવિક તેમની આ સિદ્ધિનો શ્રેય તેમના માતા પિતા અને ગુરુજનોને આપે છે.
સુરતની દુર્ઘટનાના પડઘા આખા ગુજરાતમાં પડ્યા : તપાસનો ધમધમાટ
ફાયર સેફ્ટી વગરના ટ્યૂશન ક્લાસિસોને સીલ પણ માર્યા
(દિવ્યક્રાંતિ ન્યુઝ) સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડ ભિષણ આગ લાગી હતી. અને આગમાં 20 જિંગદીઓ બુજાઇ હતી. આ ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું હતું. ફાયર વિભાગ અને તંત્ર દ્વારા ટ્યૂશન ક્લાસિસ અને બિલ્ડિંગોમાં તપાસ હાથધરી હતી. અને ફાયર સેફ્ટી વગરના ટ્યૂશન ક્લાસિસોને શીલ પણ માર્યા હતા. સુરતની ઘટનાના પડઘા આખા ગુજરાતમાં પડ્યા છે. મોરબી સહિતના ગુજરાતના તમામ શહેરોમાં તંત્ર હરકતમાં આવ્યું છે અને આજ સવારથી જ તંત્રની ટીમ ફાયર સેફટીની સુવિધા ન ધરાવતા ખાનગી ટ્યુશન કલાસીસ પર ધોસ બોલાવી હતી. આ કાર્ય.વાહીના પગલે ખાનગી ટ્યુશન કલાસીસના સંચાલકોમાં ફફડાટ મચી ગયો છે અને તંત્રની કાર્યવાહીથી બચવા ઘણા ટ્યુશન કલાસીસના સંચાલકો તાળા મારીને ભાગી જતા તંત્રએ તેમને વોટ્સએપમાં નોટિસ મોકલાવી છે.
જૂનાગઢમા દાદાગીરીથી ટ્યુશન ક્લાસ ચલાવતા લેભાગુઓ ફરાર થયા છે. ઠેરઠેર ચાલી રહેલા ટ્યુશન ક્લાસ સામે તંત્રએ લાલ આંખ કરી છે. એમ.જી રોડ ઉપર કોઇપણ સેફ્ટી વગર ચોથા માળે ચાલતા ટ્યુશન ક્લાસને નોટિસો આપવામાં આવી છે.
સુરત : તક્ષશિલા આગમાં 15થી વધુના મોત, રેસ્ક્યુ ઓપરેશન સમાપ્ત
સુરતમાં ટ્યુશન ક્લાસીસમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. જેમાં 15થી વધુના મોત થયા છે.
(દિવ્યક્રાંતિ ન્યુઝ) સુરતમાં ફરી એકવાર ભીષણ આગની ઘટના સામે આવી છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલાં તક્ષશિલા આર્કેટ એપાર્ટમેન્ટના બીજા માળે ભીષણ આગ લાગી હતી. આ ભયંકર આગમાં અનેક વ્યક્તિઓ ફસાયા હતા. આગની જાણ થતાં જ તાત્કાલિક ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી. 18 ફાઈર ફાઈટરના કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને આગમાં ફસાયેલાં લોકોને બહાર કાઢવા માટે કવાયત હાથ ધરી હતી.
સિનિયર આઈએએસ મુકેશ પુરીને તપાસ સોંપાઈ. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું પોલીસ કમિશનર આ અંગે ઝડપી કાર્યવાહી કરી રહ્યા છે.
સુરતમાં તક્ષશિલા ઈમારતમાં લાગેલી ભીષણ આગ મામલે તંત્ર દોડતું બન્યું છે. સુરતના સાંસદ દર્શનબહેન જરદોષ પણ ઘટનાસ્થળે પહોંચ્યા. બીજી તરફ શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારે તપાસના આદેશ આપી દીધા છે.
બીજી તરફ લેટેસ્ટ અપડેટ સામે આવી છે કે હાલ આગ લાગી તે ફ્લોર પરથી બાકીના તમામ લોકોને રેસ્ક્યુ કરી લેવાયા છે. ફાયરબ્રિગેડના સ્ટાફે આખા ફ્લોરને ક્લિયર કરી દીધો છે. હવે આગ લાગી તે ફ્લોર પર કોઈ નથી.
ચોંકાવનારી વાત એ છે કે પાંચમાં માળે લાગેલી આગથી બચવા માટે કેટલાક બાળકોએ ટોપ ફ્લોર પરથી કૂદવાનો નિર્ણય લીધો. અત્યાર સુધી મળતી માહિતી પ્રમાણે કૂદવાને કારણે 4 વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે.
CM વિજય રૂપાણીએ સુરતની દુર્ઘટના પર ટ્વિટ કરીને દુઃખની લાગણી વ્યક્ત કરી છે
શહેરના તક્ષશિલા કૉમ્પલેક્સમાં આગ લાગી છે. જ્યાં ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોનાં મોત થયા છે. ફાયર બ્રિગેડની 18 ગાડીઓ ઘટના સ્થળે છે.વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે
સરકારે કરી સહાયની જાહેરાત
સરકારે મૃતકોના પરિવારને ચાર 4 લાખની સહાયની જાહેરાત કરી છે. અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સરથાણામાં આવેલા આ ક્લાસીસમાં આગની ઘટનાની સંપૂર્ણ તાત્કાલિક તપાસ માટે રાજ્યના શહેરી વિકાસ અગ્ર સચિવ મૂકેશ પૂરીને સૂચના CMએ આપી છે. મુખ્યમંત્રીએ આ આગ લાગવાની ઘટનાના કારણો, ફાયર બ્રિગેડની કામગીરી, આગ લાગેલી બિલ્ડીંગની જરૂરી પરવાનગી-મંજૂરીઓ તથા મહાનગરપાલિકા, ફાયર બ્રિગેડની બચાવ કામગીરીની તત્પરતા વગેરેની સંપુર્ણ તપાસ સ્થળ પર જઇને કરવા તથા ૩ દિવસમાં અહેવાલ આપવા પણ શહેરી વિકાસ અગ્ર સચિવને સુચવ્યું છે. મળતા અહેવાલો પ્રમાણે કુલ 40 બાળકો ટ્યુશન સેન્ટરમાં હાજર હતા. ઘટનામાં ફસાયેલા બાળકોને બચાવી હૉસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. હજી સુધી આગના કારણની જાણકારી નથી મળી.
જીવ બચાવવા લગાવી છલાંગ
ટ્યુશન ક્લાસીસમાં આગ લાગી ત્યારે બાળકો ભણી રહ્યા હતા. આગ લાગતા જ બાળકોએ જીવ બચાવવા માટે ચોથા માળેથી બારીમાંથી છલાંગ લગાવી. જેના કારણે 15નાં મોત થઈ ગયા. આ આંકડો વધવાની શક્યતા છે. આગમાં ફસાયેલા અનેક બાળકોને મૃતદેહ હજુ સુધી કોમ્પલેક્સમાં જ છે.
ઈસરોએ સેનાને ગિફ્ટ રૂપે આપ્યો Risat- 2BR1 સેટેલાઇટ
ચૂંટણી પરિણામની ગરમાગરમી વચ્ચે ઈસરોની અદભુત સિદ્ધિ થોડી ઝાંખી પડી
(દિવ્યક્રાંતિ ન્યુઝ), દેશમાં અત્યારે લોકસભા ચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર થવાનું છે. જેના પર સૌની મીટ મંડાયેલી છે. ત્યારે આજે દેશની દેશની એક અદભુત સિદ્ધિની ખબર ધૂંધળી પડી ગયી આજે ઈસરો દ્વારા રડાર ઇમેજિન્ગ સેટેલાઇટ (RISAT-BR 1) નું શ્રી હરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી પ્રક્ષેપણ કર્યું આ સેટેલાઇટથી દુશ્મનો પાર નજર રાખવા ઉપરાંત ડિઝાસ્ટર સમયે ચોક્કસ આંકડા મેળવવા ઇસરોને મદદ કરશે।
સૂત્રએ જણાવ્યું કે, Risat- 2BR1 નામનો આ સેટેલાઇટ અગાઉના Risat સેટેલાઇટ્સથી વધુ એડવાન્સ છે. આ સેટેલાઇટની સાથે સિન્થેટિક અપર્ચર રડાર (SAR) ઇમેજરને પણ મોકલવામાં આવ્યો છે. જોકે, તે જોવામાં બિલકુલ અગાઉના Risat સેટેલાઇટ્સની જેમ જ દેખાય છે. તેમાં નજર રાખવાની અને તસવીરો ખેંચવાની ક્ષમતામાં SARના કારણે વધારો કરવામાં આવ્યો છે.
રીસેટનું X બેન્ડ સિન્થેટિક અપર્ચર રડાર (SAR) આ સેટેલાઇટનો દિવસે જ નહીં પરંતુ રાતમાં પણ સ્પષ્ટ તસવીર લેવા અને તમામ હવામાનમાં આવું કરી શકવાની ક્ષમતા આપે છે. આ રડાર ઘેરા વાદળોને ભેદી શકે છે અને 1 મીટર દૂરથી કોઈ વસ્તુની તસવીર લઈ શકે છે. એટલું જ નહીં પરંતુ જો બે વસ્તુઓ માત્ર 1 મીટર દુર રાખવામાં આવે તો બંનેની અલગ-અલગ ઓળખ પણ કરી શકે છે.
સર્જિકલ સ્ટ્રાઇકમાં આવશે કામ
રીસેટ સીરીઝનો અગાઉનો સેટેલાઇટ 2016માં થયેલી સર્જિકલ સ્ટ્રાઇકમાં કામ આવ્યો હતો. આ ઉપરાંત આ વર્ષે ફેબ્રુઆરીના અંતમાં બાલાકોટમાં થયેલી એરસ્ટ્રાઇકમાં પણ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ સેટેલાઇટના કારણે ભારતની ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પણ સુધાર થયો હતો. આ સેટેલાઈટથી અંતરિક્ષમાં ભારતની તાકાત માં ગુણાકારમાં વધારો કરશે।
ધોરણ-10 નું 66.97% પરિણામ જાહેર
સૌથી વધુ પરિણામમાં સુરત,અને સૌથી ઓછું પરિણામ છોટા ઉદેપુરનું
(દિવ્યક્રાંતિ ન્યુઝ) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10ની માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ આજે એટલે કે મંગળવારે વહેલી સવારે જાહેર કરી દેવાયું છે.
આજે ધો.10ના 11.59 લાખ વિદ્યાર્થીઓનું 66.97 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ સુરત જિલ્લોએ મેદાન માર્યું છે. સુરત આ વખતે પ્રથમ ક્રમે આવ્યું છે. સુરત જિલ્લાનું બોર્ડનું પરિણામ 79.63 ટકા છે. જ્યારે સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર જિલ્લાનું છે.
છોટાઉદેપુર જિલ્લાનું 46.38 ટકા પરિણામ આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લાનું સુપાસી કેન્દ્ર 95.56 ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર આ જ જિલ્લાનું તડ કેન્દ્ર છે. જેનું પરિણામ 17.63 ટકા છે. આ વખતે વિદ્યાર્થીઓનું 62.83 ટકા પરિણામ અને વિદ્યાર્થિનીઓનું 72.64 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે 100% પરિણામ ધરાવતી 366 શાળા, અને 0% ધરાવતી 63 શાળા છે. ગુજરાતી માધ્યમનું 64.58%, અંગ્રેજી માધ્યમનું 88.11% પરિણામ,
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ધોરણ-10ની પરીક્ષા શાંતિપૂર્ણ યોજાઇ હતી. તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન કેન્દ્રની આસપાસ ઝેરોક્ષોની દુકાનો બંધ રાખવા સૂચના આપવામાં આવી હતી.