(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 5-4, મોરબીમાં કોરોનાનો પ્રથમ કેસ પોઝિટિવ આવનાર વ્યક્તિ જે ઉમા ટાઉનશીપના ગીતાંજલી એપાર્ટમેન્ટમાં રહેતા હોઈ એ ગીતાંજલિ એપાર્ટમેન્ટ અને વૈભવ એપાર્ટમેન્ટને પણ ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. જેથી હવે અહી રહેતા લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ અંદર પહોંચાડવામાં આવશે અને બહાર જવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવશે. હાલ આ કોરોનાગ્રસ્ત દર્દી રાજકોટની સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ છે.આ કોરોનાગ્રસ્ત દર્દી જ્યાં રહે છે ત્યાં ગીતાંજલી એપાર્ટમેન્ટ પાસે ડે. કલેકટર ખાચર, મામલતદાર જાડેજા, આરોગ્ય અધિકારી ડો.કતીરા, ડો.વારેવડીયા, એલસીબી પીઆઇ જાડેજા, બી ડિવિઝન પીઆઇ ગઢવી તેેેમજ પાલિકા તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમોએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત તંત્ર દ્વારા આ વિસ્તારને સેનિટાઈઝ કરવામાં આવશે