મોરબીમાં વેપારીની જાણ બહાર કર્મચારીએ દુકાનમાંથી રૂા.9.58 લાખની તમાકુ ચોરીને વેચી નાખી: ફરિયાદ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-10-2023

મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ જય કોમ્પલેક્ષમાં ખોડીયાર સેલ્સ એજન્સી નામની દુકાન ધરાવતા વેપારીએ તેની દુકાનમાં કામે રાખેલા શખ્સ દ્વારા તમાકુના અલગ અલગ 19 જેટલા કાર્ટૂન જેની 9,58,700 ની કિંમતના ચોરી કરીને વેચી નાખેલ છે જેથી કરીને ભોગ બનેલા વેપારી દ્વારા હાલમાં તેના કર્મચારી સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જાણવા મળતી માહિતી મુજબ સામાકાંઠે વૃંદાવન પાર્ક સોસાયટીમાં રોયલ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર-201 માં રહેતા

અલ્પેશભાઈ કાંતિભાઈ ધમસાણીયા પટેલ (ઉમર 40) એ હાલમાં જયદીપભાઇ બીપીનભાઈ કાઠીયા રહે.માધાપર હનુમાન ચોક મોરબી વાળાની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, જય કોમ્પલેક્ષમાં ખોડીયાર સેલ્સ એજન્સી નામની તેની દુકાન છે અને તે દુકાનમાં તેણે આરોપી જયદીપભાઇ કાઠીયાને કામે રાખ્યો હતો અને આરોપીએ ફરિયાદીની જાણ બહાર તેની દુકાનમાંથી તમાકુના અલગ અલગ 19 જેટલા કાર્ટૂનની ચોરી કરીને વેચી નાખેલ છે અને આ તમાકુના કાર્ટુનની કિંમત 9,58,700 રૂપિયા થાય છે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ એએસઆઈ એમ.એમ. મોરી ચલાવી રહ્યા છે.