મોરબી: હિન્દુ સામ્રાજય દિન ઉત્સવ નિમિત્તે કાર-બાઈક રેલીનું આયોજન

શુક્રવારે રાત્રે 8:15 વાગ્યે રેલી પ્રસ્થાન કરશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-05-2023

છત્રપતિ શિવાજી મહારાજના સ્વરાજયના 350 વર્ષ થઈ રહ્યા છે. ત્યારે હિન્દુ સ્વરાજયનો પાયો નાખનાર હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના રાજયાભિષેક દિવસને આ રેલી યોજાશે આ રેલીનું આયોજન જેઠ સુદ તેરસને શુક્રવાર તા. 02-06-2023 રાખવામાં આવ્યું છે. જે રેલીનો સમય રાત્રે 8:15 નો રહેશે તેમજ સભાનો સમય રાત્રે 10:00 સભાસ્થળ કેપીટલ માર્કેટ, રવાપર ચોકડી,ખાતે યોજાશે તેમજ મશાલ રૂટ આઈકોન રેસીડન્સીએસ.પી. રોડ કુળદેવી પાન ક્રિષ્ના સ્કૂલ બોની પાર્ક, રવાપર વર્ધમાન એપાર્ટમેન્ટ આલાપ રોડ વજેપર મેઈન રોડ શિવાજી મહારાજ સર્કલ (સબ જેલ ચોક) જેલ રોડ, વાઘપરા મેઈન રોડ, સ્વામી વિવેકાનંદ રોડ રાજકોટ નાગરિક બેન્ક ઘનશ્યામ માર્કેટ નીલકંઠ સ્કૂલ નરસંગ ટેકરી મંદિર સ્વાગત ચોકડી (કેપીટલ માર્કેટ) ખાતે યોજાશે જેની જાહેર જનતાને જોડાવવા અપીલ કરાઈ છે.

E-paper ડાઉનલોડ કરવા ઉપરના ન્યૂઝ પેપરની ઇમેજ પર ક્લિક કરો