નખત્રાણા: શ્રી મારુ કંસારા સોની જ્ઞાતિ (ધાર્મિક ગ્રુપ) આયોજિત શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરાયું હતું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-01-2023

(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા) શ્રી મારુ કંસારા સોની જ્ઞાતિ (ધાર્મિકગ્રુપ) નખત્રાણા દ્વારા ગત તા. ૩૦-૧૦-૨૨ થી ૬-૧૧-૨૨ સુધી શ્રીમદ્ ભાગવત કથા પરાયણનું આયોજન નખત્રાણા મુકામે યોજવામાં આવેલ હતું .
પ્રારંભમાં નખત્રાણાના લક્ષ્મીનારાયણ (ઠાકર મંદિર) થી પોથી પ્રારંભ કરવામાં આવેલ. જેમાં એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં બાલિકાઓ વિવિધ વેશભૂષા સાથે માં (નવદુર્ગા) ના સ્વરૂપમાં, તેમજ ૧૦૧ કળશધારી બહેનો, પોથી યજમાનો તેમજ નખત્રાણાની આજુ બાજુના તેમજ નખત્રાણાની જ્ઞાતિના મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, યુવાનો આ શોભાયાત્રામાં જોડાયા હતા.

જે શોભાયાત્રા નખત્રાણાના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઇ ભવ્ય બેન્ડ વાજા, ઢોલ શરણાઈ સાથે ભવ્ય દાંડિયા રાસ રમતા, કથા મંડપ સ્થળે પહોંચી હતી. જ્યાં સમાજના આગેવાનો તેમજ કથા સમિતિના આયોજકો દ્વારા મુખ્ય યજમાન ભરતભાઈ ડુંગરશીભાઈ કટ્ટા (કાદીયાવાળા) તેમજ તેમના ધર્મપત્ની દમયંતીબેન મુખ્ય પોથી સાથે આવેલ. જે પોથીનું સન્માન કરવામાં આવેલ.
તેમજ મુખ્ય વક્તા દેવેન્દ્રભાઈ જોશી (પંડિત ) તેમજ અન્ય પોથીઓ લઈ આવનાર બહેનોનું પણ સન્માન કરવામાં આવેલ.
ત્યારબાદ વાજતે-ગાજતે મુખ્ય યજમાન દંપતી દ્વારા વ્યાસપીઠ ઉપર પોથી પધરાવવામાં આવેલ હતી.
પ્રારંભમાં કથાનું દીપ પ્રાગટ્ય સૌ પ્રથમવાર નાની બાલિકાઓ કે જેમને નવદુર્ગાનું સ્વરૂપ ધારણ કરેલ હતું તેમના વરદ હસ્તે દીપ પ્રગટાવી કથાનો પ્રારંભ કરવામાં આવેલ.


તેવી જ રીતે કથાના વક્તા દેવેન્દ્રભાઈ જોશી (પંડિત) નું વ્યાસપીઠ ઉપર ધાર્મિક સમિતિના કન્વીનર સતીશ મહેન્દ્રભાઈ સોની (બગા) તેમજ મહિલા સમિતિના કન્વીનર કલ્પનાબેન જયેશભાઇ કટ્ટા દ્વારા સન્માન કરવામાં આવેલ તેમજ કથા સમિતિના અન્ય હોદ્દેદારોએ પણ કથાના મુખ્ય આચાર્ય હરેશ મહારાજનું સન્માન કરેલ.
કથાના પ્રારંભમાં સૌને આવકારતા ભગવતકથાના પ્રણેતા હીરાલાલભાઈ સોની તેમજ હેમેન્દ્રભાઈ કંસારાએ ભાગવત કથાના આયોજનનો હેતુ સમજાવતા જણાવ્યું હતું કે કોરોના જેવી મહામારીમાં આપણા સમાજના ઘણા ભાઈઓ બહેનોએ પોતાનો દેહ ગુમાવ્યો હતો અને પોતાની જીવનલીલા સંકેલી પરધામ સિધાવ્યા હતા.
પરંતુ આ એક દર્દનાક વિદાય હતી જમા પરિવારના કોઈપણ સભ્ય તેમને અંતિમ સમયે સ્પર્શ પણ કરી શકતા ન હતા કે તેમની બાજુમાં ઉભી શકતા પણ ન હતા.
ત્યારે આવી કરુંણ ઘટનાના ભોગ બનેલ ભાઈ-બહેનોની સદ્દગતિ થાય તે માટે એક પોથી રાખવામાં આવેલ હતી. અને તેમનું પરમોક્ષધામ થાય અને સદ્દગતિ થાય તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે.


તદુપરાંત હાલના સમયમાં ઘણા પરિવારો પોતાના પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કથા પોતાના ઘરે કરવા વિચારતા હોય છે. પરંતુ મોટા આયોજનો, મોટો ખર્ચ, અને સમયની અનુકૂળતા ન હોય આ કાર્ય થઇ શકતું નથી. અને પિતૃઓના મોક્ષ ન થવાથી પરિવારને પણ ઘણી બધી તકલીફો સહન કરવી પડતી હોય છે ત્યારે આયોજનમાં કુલ ૮૧ જેટલા પિતૃઓની પોથીઓ રાખવામાં આવી હતી. જેમાં સામાન્ય રૂ. ૫૧૦૦ જેટલો શુલ્ક લઇ બાકીની તમામ જવાબદારીઓ સમિતિએ લીધેલ હતી.
અને જેના કારણે પિતૃઓમાં મોક્ષધામનું કાર્ય, આ કથા દ્વારા થયું હતું.
સાત દિવસની સપ્તાહમાં દેવેન્દ્ર મહારાજે ભાગવતના વિવિધ પ્રસંગો, ભાગવતનો હેતુ, કૃષ્ણલીલા, રામજન્મ, સુદામા ચરિત્ર, રૂક્ષ્મણી વિવાહ, ગોવર્ધન પર્વત, અને કૃષ્ણ જન્મ વિગેરેના પ્રસંગો, સંગીતના સહારે ભાવ સાથે પ્રસંગો વર્ણવ્યા હતા અને જેના કારણે શ્રોતાઓ પણ ભાવવિભોર બન્યા હતા.
પ્રત્યેક પ્રસંગો પ્રાગટ્ય સ્વરૂપે ઉજવવમાં આવ્યા હતા. જેમાં સમાજના યુવાનો , અગ્રણીઓ વેપારીઓ, અને બહોનો પ્રસંગરૂપ વેશભૂષામાં હોંશભેર ભાગ લીધો હતો.
કૃષ્ણ જન્મમાં સોના ચાંદીના અગ્રણી વેપારી ઘનશ્યામભાઈ ગાંગજીભાઈ પરિવાર તેમજ ગંગારામભાઈ મનજી બુધ્ધભટ્ટી પરિવારે લાભ લીધો હતો.


તેવી જ રીતે રામજન્મ પ્રસંગમાં નખત્રાણાના સોના-ચાંદીના યુવા અગ્રણી વેપારીઓ, દીપકભાઈ ગંગારામભાઈ કટ્ટા (રામ), મેબ્રીન રમેશભાઈ બગા (લક્ષ્મણ), અંકિત છગનભાઇ પોમલ (ભરત), રાજ ઘનશ્યામભાઈ સાકરીયા (શત્રુઘ્ન) તેમજ સાગર ભરતભાઈ કટ્ટાએ ભાગ લીધેલ હતો અને ઉમંગભેર રામજન્મ પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો.
તેવી જ રીતે રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ પણ લગ્નોત્સવની જેમ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો.
જેમાં વર પક્ષે (કૃષ્ણ) શ્રીમતી વર્ષાબેન પ્રવીણભાઈ બગા, તેમજ કન્યા પક્ષે (રૂક્ષ્મણી) દીપાબેન જીગ્નેશભાઈ સાકરીયા જોડાયા હતા, તેમજ સુદામા ચરિત્રમાં ભરતભાઈ ડુંગરશીભાઈ કટ્ટા રહ્યા હતા.
તેમજ ગોવર્ધન પર્વતના પ્રસંગે કથા આયોજન સમિતિના મહિલા મંડળ દ્વારા છપ્પન ભોગ અન્નકૂટ રાખવામાં આવેલ હતો. જેમાં પણ મોટી સંખ્યામાં બહેનોએ ભોગ માટે અન્નકૂટ પ્રસાદ ઘરેથી તૈયાર કરી આવેલ હતો.
આ કથામાં મુખ્ય યજમાન ભરતભાઈ ડુંગરશીભાઈ કટ્ટા (કાદીયાવાળા) હસ્તે સાગરભાઈ ભરતભાઈ કટ્ટા પરિવારે ભાગ લીધેલ હતો . આ કથામાં તેમનું રૂ. ૫૧૦૦૦ નું આર્થિક યોગદાન રહ્યું હતું. કથાના મુખ્ય યજમાન ભરતભાઇ ડુગરશીભાઈ કટ્ટા તથા દમયંતીબેન ભરતભાઇ કટ્ટા અને સાગર ભરતભાઇ કટ્ટા ( કાદીયા વાળા હાલે.નખત્રાણા) દ્વારા અખિલ ભારતીય મારું કંસારા સોની સમાજ જ્યાં અને જયારે પણ શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરશે ત્યારે સોની ડુંગરશીભાઈ નથ્થુભાઈ કટ્ટા પરિવાર તરફથી રૂપિયા ૫૧,૧૧૧ ( એકાવન હજાર એકસો અગિયાર ) નું યોગદાન સાગર ભરતભાઈ કટ્ટા તરફથી જાહેર કરાયું હતું. તેવું કથાના મુખ્ય યજમાન ભરતભાઈની પુત્રી પૂજા કટ્ટા એ કથા દરમિયાન જણાવ્યું હતું
તેવી જ રીતે કથાની પુર્ણાહુતી પછી નારાયણ યજ્ઞના મહા પ્રસાદમાં દાતાઓ પૈકી રૂ. ૫૧૦૦૦ મહેન્દ્રભાઈ મુળજી બગા પરિવાર (સતિષભાઈ, નવીનભાઈ, મનોજભાઈ) રૂ. ૫૧૦૦૦ સોની ગંગારામ કરશનદાસ કટ્ટા (મધુસુદન જવેલર્સ-નખત્રાણા) પરિવાર, રૂ. ૨૫૦૦૦ સોની રવજીભાઈ કેશવજી સાકરીયા પરિવાર, રૂ. ૨૫૦૦૦ સોની મનજીભાઇ કાનજી બુધ્ધભટ્ટી હ. ગંગારામભાઈ) , રૂ. ૨૫૦૦૦ યોગેશકુમાર કેશવલાલ બારમેડા તથા રૂ. ૨૫૦૦૦ સ્વ. રમેશભાઈ મોહનલાલ બગા (હ. હીરાલાલ મોહનલાલ બગા, બ્રેગીનભાઈ રમેશભાઈ બગા , મેબ્રીનભાઈ રમેશભાઈ બગા પરિવારનું મુખ્ય આર્થિક યોગદાન રહ્યું હતું. રૂ. ૨૫૦૦૦ મહેન્દ્રભાઈ ડુંગરશીભાઈ પરિવાર તરફથી, તેમજ રૂ.૧૧૦૦૦ અને તેથી ઉપરની રકમના દાતાઓનો પણ મોટો સહયોગ પ્રાપ્ત થયેલ હતો.
કથા દરમ્યાન દરરોજ સાંજે સૂકી પ્રસાદી તેમજ ઉજવણીના પ્રસંગોએ પણ પ્રસાદીના વિવિધ દાતાઓ તરફથી પ્રસાદીનું વિતરણ કરવામાં આવેલ હતું.
કથા દરમિયાન દરરોજ સાંજે તેમજ ઉત્સવોના દિવસે બંને સમયે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં પોથી યજમાન, બહારગામથી પધારતા આમંત્રિત મહેમાનો, તેમજ બ્રહ્મદેવો માટે દાતાઓના સહયોગથી ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવેલ હતી. જેમાં દરરોજ ૫૦૦ થી ૭૦૦ લોકો લાભ લીધો હતો.
કથાના પુર્ણાહુતી પછી નારાયણ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યજ્ઞની પુર્ણાહુતી પછી મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.
કથા દરમીયાન દરરોજ રાત્રે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સત્સંગ, સમાજની બહેનો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ જ્ઞાતિના ભાઈઓ બહેનો અને યુવાનોનો રાસોત્સવ મુખ્ય આકર્ષણ રહ્યા હતા.
કથા દરમિયાન દરરોજ સવારે અને કથાના વિરામ બાદ પિતૃઓની પોથી પૂજન કરવામાં આવતું હતું. પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થતા હતા.
આ કથામાં હીરાલાલ મોહનલાલ બગા તથા પ્રવીણભાઈ મોહનલાલ બગા, ગંગા સ્વરૂપ જયાબેન રમેશભાઈ બગા, ગંગા સ્વરૂપ નર્મદાબેન કેશવજીભાઇ બગા જીવતે જગતિયું કરી કથા શ્રવણ કરી હતી.
જેમાં ગંગા સ્વરૂપ નર્મદાબેન કેશવલાલ બગા હસ્તે (હરેશકુમાર કેશવલાલ તરફથી રૂ .૨૨૦૦૦ કથા સમિતિને અર્પણ કરેલ હતા.
આ કથા દરમિયાન અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા (કચ્છ અને કચ્છ બહારથી જ્ઞાતિના આગેવાનો, હોદ્દેદારો, મહિલા મંડળ, યુવક મંડળના હોદ્દેદારો, મહા મંડળના પ્રમુખ તેમજ પ્રશ્ચિમ કચ્છમાંથી તમામ ગામોમાંથી મોટી સંખ્યમાંમા લોકોએ કથા શ્રવણનો લાભ લીધો હતો.
જેમાં હોદ્દેદારો આગેવાનોનું કથા સમિતિ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.
કથા દરમિયાન મુખ્ય યજમાન દંપતી, સહયોગી દાતાઓનું વિશિષ્ટ સન્માન તેમજ વક્તાઓનું અને આચાર્યનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
તેવી જ રીતે કંકોત્રીના સહયોગી દાતા સોની જયંતીલાલ મગનલાલ મૈચા, તથા દરરોજ ફિલ્ટર પાણી સપ્લાય કરતા અતુલ ધનજીભાઈ સોની, પ્રિન્ટિંગ કામ માટે દ્રષ્ટિ કોમ્પ્યુટર (નેત્રા), નીતિનભાઈ સોની તેમજ કથા દરમિયાન સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા હેમરાજભાઈ ડુંગરશી પરમાર, તેમજ કથા દરમિયાન કથાનું યુ-ટ્યુબ પર લાઈવ પ્રસારણ કરવા બદલ જોગમૈયા સ્ટુડિયો (નેત્રા), તથા મંડપ લાઈટ ડેકોરેશન માટે સોમૈયા મંડપ, તેમજ માઈક વ્યવસ્થા માટે આવળ ઇલેક્ટ્રોનિક્સ, મુખ્ય વ્યક્તિઓનું સન્માન કરવામાં આવેલ હતું.
નખત્રાણામાં વહીવટી તંત્ર, ટોપીવાલા સાહેબ, નાયબ ઈજનેર પંચાયત તરફથી તેમજ, જાડેજા સાહેબ, નાયબ ઈજનેર વિદ્યુત બોર્ડ, નખત્રાણા તથા ગ્રામ પંચાયત નખત્રાણા, અને પત્રકારોનો પણ આભાર માનવામાં આવ્યો હતો.
આ ભાગવત કથાને સફળ બનાવવા સતિષભાઈ મહેન્દ્રભાઈ બગા (કથા કન્વીનર), નારાણભાઇ મોહનલાલ પરમાર (ખોંભડી), (સહ કન્વીનર), ગોવિંદભાઇ ધનજી બુધ્ધભટ્ટી તેમજ દીપકભાઈ ગંગારામ કટ્ટા, (સહકન્વીનર) જયેશ રતિલાલ કટ્ટા (ખજાનચી), બ્રેગીનભાઈ રમેશભાઈ બગા તથા પ્રફુલભાઇ મોહનલાલ કંસારા (મીડિયા) ની સાથે ભોજન વ્યવસ્થામાં રમણીકલાલ ગોકળદાસ સોની, તુલસીદાસ વિસનજી સોની, ધીરજલાલ મનસુખલાલ સોની, બટુક વિશનજી કટ્ટા, જયેશ મંગલદાસ સોની, ઉત્તમ રાજુભાઈ (બગા), તથા બટુક જેઠાલાલ સોનીએ વ્યવસ્થા સાંભળી હતી.
તેમજ અન્ય સમિતિના સભ્યો, મનસુખભાઇ ગાંગજી સાકરીયા, ઘનશ્યામભાઈ ગાંગજી સાકરીયા, છગનલાલ વેલજી પોમલ, મેબ્રીન રમેશભાઈ બગા, રસિકભાઈ ડુંગરશીભાઈ પોમલ, અનિલ હરિલાલ સોલંકી, સેફ્રીન જયેશભાઇ કટ્ટા, કિશોરભાઈ લાલજી પરમાર, રાજુભાઈ મુળજીભાઈ બગા, હાર્દિક જેઠાલાલ સોલંકી, ભાવિક હરિલાલ કટ્ટા, હર્ષીલભાઈ જેઠાલાલ સોલંકી, અતુલભાઈ ધનજીભાઈ સોની, ઘનશ્યામ મોહનલાલ પરમાર, લીલાધર જીવરામ પોમલ, જેઠાલાલ હરિલાલ સોલંકી, અંકિત છગનલાલ પોમલ, જીગ્નેશ રમણીકલાલ સાકરીયા, સુરેશ નારાણજી કટ્ટા, હરેશ જવેરીલાલ બિજલાણીએ વ્યવસ્થા સંભાળી હતી.

શાંતિલાલ ડુંગરશી કટ્ટા, તથા ધનસુખ વિશ્રામ કટ્ટાએ ફંડ કાઉન્ટરની વ્યવસ્થા નિભાવી હતી.
મહિલા મંડળના કથા સમિતિના કન્વીનર, કલ્પનાબેન જયેશભાઇ કટ્ટા, સહકન્વીનર રાધિકાબેન દીપકભાઈ કટ્ટા, સંયોજક હેતલબેન ભાવેશભાઈ પોમલ, વર્ષાબેન પ્રવીણભાઈ બગા , ક્રિષ્નાબેન અતુલભાઈ સોની, રંજનબેન રાજુભાઈ સાકરીયા, રસીલાબેન ગંગારામ બુધ્ધભટ્ટી, ભાવનાબેન અનિલભાઈ કટ્ટા, જયાબેન રમેશભાઈ બગા , ખુશાલીબેન અંકિતકુમાર પોમલ, દમયંતીબેન ભરતભાઈ કટ્ટા, પ્રભાબેન મહેન્દ્રભાઈ બગા, રીટાબેન ઘનશ્યામભાઈ સાકરીયા, પ્રજ્ઞાબેન પ્રફુલભાઇ કંસારા, દક્ષાબેન હીરાલાલ સોની, રસીલાબેન ધીરજલાલ કટ્ટા, જ્યોત્સ્નાબેન અનિલભાઈ સોલંકી, મિતલબેન પ્રતિકભાઈ સાકરીયા, કૃપાબેન સતિષભાઈ બગા, સોનાલીબેન નવીનભાઈ બગા, જ્યોતિબેન મનોજભાઈ બગા, ભારતીબેન રાજુભાઈ બગા, કુસુમબેન નારણભાઇ પરમાર, દીપાબેન જીગ્નેશભાઈ સાકરીયા, પૂજાબેન ભરતભાઈ કટ્ટા, રીનાબેન બ્રેગીનભાઈ બગા, ક્રિશાલીબેન મેબ્રીનભાઈ બગા, જ્યોતિબેન યોગેશભાઈ બારમેડા, દીપાબેન દિનેશભાઇ કટ્ટા, હેમાબેન કલ્પેશભાઈ કોટડીયા, હર્ષિદાબેન દીપકભાઈ સાકરીયા, સંગીતાબેન નિલેશભાઈ કટ્ટા, કૌશલ્યાએન બટુકભાઈ બિજલાણી, નેન્સીબેન હેમેન્દ્રભાઈ કંસારા, લતાબેન આનંદભાઈ પરમાર સહિતની બહેનોએ સુંદર વ્યવસ્થા સંભાળી હતી.
કથા દરમિયાન સગપણ ગ્રુપના આયોજકો બ્રેગીનભાઈ બગા, નારણભાઇ પરમાર, પ્રફુલભાઇ કંસારાએ સગપણ ગ્રુપની વિસ્તૃત માહિતી આપી હતી.
સમગ્ર કથા દરમિયાન કાર્યક્રમનું સંચાલન હીરાલાલભાઈ સોની, હેમેન્દ્રભાઈ કંસારા, નારણભાઇ પરમાર, પૂજાબેન કટ્ટા, ભાવેશભાઈ સુરેશભાઈ બગાએ કરેલ હતું.