મોરબીમાં વિહિપ દ્વારા તિરંગા એકત્રિત કરવા માટે અભિયાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-08-2022

વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ મોરબી જિલ્લાની ટીમના માર્ગદર્શન હેઠળ શહેરની ટીમ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસ નિમીતે બાઈક રેલી સ્વરૂપે સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને વાવડી રોડ ગોકુલ ફામથી પ્રસ્થાન થયેલ આ યાત્રા નહેરુ ગેટ ચોકમા ભારત માતાનું પૂજન કરીને પૂર્ણ કરવામાં આવી હતી તેમાં વિશ્વ હિન્દૂ પરિષદ, બજરંગ દળના હોદેદારો સહિતના હાજર રહ્યા હતા અને સબ જેલ ચોક શિવાજી સર્કલ ખાતે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળની ટીમ દ્વારા ધ્વજ વંદનનો કાર્યક્ર્મ યોજાયો હતો અને ઘરે ઘરે તિરંગા લગાવવામાં આવ્યા હતા તે તિરંગાને સન્માન જનક રીતે વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા 16 થી 18 મી તારીખે એકત્ર કરવા માટે અભિયાન હાથ ઉપર લેવામાં આવ્યું છે અને વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા વિશ્વ હિન્દૂ પરિષદ કાર્યાલય વાંકાનેર દરવાજે લખધીરવાસ અને બાલાજી ટેલિકોમ વી મીની સ્ટોર વોરા બાગ આનંદ શોપિંગ ફ્લોરા સોસાયટીની બાજુમાં સામાકાંઠે તિરંગાને એકત્રિત કરવામાં આવશે.