અમરેલી જીલ્લા હોમગાર્ડ કચેરી નાં ચોકીદાર વય મર્યાદા થી નિવૃત્ત થતા સન્માન સમારંભ અને વિદાયમાન કાર્યક્રમ યોજાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-07-2022

(દિપાલી એમ. બગડા દ્વારા) ૩૫ વર્ષથી વધુ સમય સુધી સેવા આપી વય નિવૃત્ત થતાં બી.એન. વાઘેલાના વિદાય સમારંભ વેળાએ પૂર્વ જીલ્લા કમાન્ડન્ટ કાપડિયા, અમરેલી જિલ્લા કમાન્ડન્ટ અશોક જોષી, બોટાદ જિલ્લા કમાન્ડન્ટ યોગેશ મહેતા, ગીર સોમનાથ જીલ્લા કમાન્ડન્ટ અતુલ ઠાકર, અમરેલી જીલ્લા હોમગાર્ડઝ પબ્લીક રિલેશન ઓફિસર અમીતગીરી ગોસ્વામી તથા હોમગાર્ડ અધિકારીઓ કર્મચારીઓ અને હોંમગાર્ડ જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. તમામ અધિકારી અને પદાધિકારીઓએ ઉપસ્થિત રહી નિવૃતિ બાદની પ્રવૃત્તિ માં વ્યસ્ત અને તંદુરસ્તી થી જીવન વિતે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી જિલ્લા હોમગાર્ડ કચેરી દ્વારા શાલ અને સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરાયું આ તકે સ્નેહીજનો, મિત્રમંડળ અને શુભેચ્છકો હાજર રહી તંદુરસ્તીમય તેમજ પ્રવૃત્તિમય જીવન ની શુભેચ્છાઓ પાઠવેલ તેમ જીલ્લા હોંમગાર્ડ સ્ટાફે જણાવેલ હતું.