વાછડીને બચાવવા પોતાનું બલિદાન આપનાર ભરતભાઈ વિઝવાડિયાના પરિવારને 6 લાખ ત્રીસ હજારનું અનુદાન અર્પણ કરાયું
(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-03-2022ગત તા. ૨૯/૮/૨૦ ના રોજ મોરબી જિલ્લાના માટેલ માં ભારે વરસાદના કારણે પૂર આવેલ તેમાં એક વાછળી તણાતી હોય માટેલ ગામના ભરતભાઈ વિઝવાડિયા દ્વારા પળ ભરનો વિચાર કર્યા વગર ધસમસતા પ્રવાહમાં વાછળીને બચાવવા ઝંપલાવવા માં આવેલું પરંતુ કમનસીબે કુશળ તરવૈયા હોવાછતાં પાણીમાં પડવા સમયે કોઈ ઇજા થવાથી ભરતભાઈ પૂરના પ્રવાહમાં તણાઈ ગયેલ અને બે દિવસ બાદ તેમનો મૃતદેહ મળેલો આ સમાચાર અખબારો માં વાંચી અને મોરબી જિલ્લાના ગૌસેવકો તાત્કાલિક માટેલ ભરતભાઈના પરિવારને સાંત્વના પાઠવવા રૂબરૂ દોડી ગયેલ જ્યા તેઓને એવું જાણવા મળેલું કે આ બનાવથી ભરતભાઈ ના પાંચ સંતાનો નોધારા થઈ ગયેલ છે તેથી આ સંતાનો માટે આર્થિક મદદ કરવા ફાળો કરવાનું નક્કી કરેલ જેના ભાગ રૂપે મોરબી હળવદ વાંકાનેર રાજકોટમાં ફાળો ઉઘરાવવામાં આવેલ જેના ભાગ રૂપે અનેક નામી અનામી લોકો દ્વારા છ લાખ ત્રીસ હજાર જેવું માતબર દાન આપવામાં આવેલું કોરોના ની પરિસ્થિતિ ના કારણે ના થઈ શકેલ આ દાન ના વિતરણનો કાર્યક્રમ રવિવાર તા. 27 માર્ચના ખોડીયાર મંદિર માટેલ ધામ ખાતે મંદિર ના મહંત ખોડુબાપુની હાજરીમાં યોજવામાં આવેલ જેમાં ભરતભાઈ ના પાંચેય સંતાનો ને દાનની રકમ અર્પણ કરવામાં આવેલી આ પ્રસંગે વાંકાનેર અંધ અપંગ ગૌ આશ્રમ ના પ્રમુખ મુન્નાભાઈ હળવદ ના સામજિક કાર્યકર ને રાજકીય અગ્રણી તપનભાઇ દવે મોરબી થી પરેશભાઈ કાનાબાર પગ્રેશભાઇ ચતવાણી તુષારભાઈ દફતરી અને સતીશભાઈ કાનાબાર ઉપસ્થિત રહેલા આ પ્રસંગે માટેલ ના આગેવાનો અને સરપંચ મુન્નાભાઈ ખાસ ઉપસ્થિત રહેલા અને સો ગૌ સેવકોએ આ કાર્યમાં દાન આપનાર તમામ દાતાશ્રી નો અંતકરણપૂર્વક આભાર માનેલ હતો.