માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી તથા પ્રભારી મંત્રી દેવાભાઇ માલમ મોરબી જિલ્લાના પ્રવાસે

ટંકારાનું એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ તેમજ મોરબીના મહેન્દ્રનગર ચોકડીના ઓવરબ્રિજનું ખાતમૂહુર્ત કાર્યક્રમમાં હાજરી આપશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-02-2022

રાજ્ય સરકારના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસના મંત્રી પૂર્ણેશભાઇ મોદી તથા પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઇ માલમ તા. ૧૨ અને ૧૩ ફેબ્રુઆરીના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. આગામી તા. ૧૨ના રોજ સાંજે ૪.૩૦ કલાકે ટંકારાના એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે અને તા. ૧૩ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે મોરબીના મહેન્દ્ર ચોકડીના ઓવરબ્રિજના ખાતમૂહુર્ત કાર્યક્રમમાં હાજરી આપશે.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય મોરબી જિલ્લાના પ્રવાસે

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી ડૉ. નીમાબેન આચાર્ય તારીખ ૧૨મી ફેબ્રુઆરીના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. અધ્યક્ષશ્રી તારીખ ૧૨.૨.૨૦૨૨ ને શનિવારના રોજ વાંકાનેર તાલુકાના જાલીડા ગામે સવારે ૧૧:૩૦ કલાકે શ્રી રામધામ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રીરામ મહાયજ્ઞ મહોત્સવમાં હાજરી આપશે.