વાંકાનેરમાં આઈ સોનબાઈમાંના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-01-2022

(Ajay Kanjiya) સમગ્ર ગુજરાતમાં શ્રદ્ધાળુઓ દ્વારા પોષ સુદ બીજના રોજ સોનલ બીજની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગઈકાલે વાંકાનેર ખાતે ભલગામડીયા પરિવાર દ્વારા સોનલ બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વાંકાનેર ખાતે પ્રથમ વખત ગઈકાલે તા. 04 ને મંગળવાર, પોષ સુદ બીજના રોજ સોનલ બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભલગામડીયા પરીવાર દ્વારા સોનલ બીજની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં દરેક સમાજના ભાઈઓ, બહેનોએ હાજરી આપી ઉજવણીમાં ભાગ લીધો હતો. આ તકે ખાસ આમંત્રણને માન આપીને રાજગોર સમાજ, ચારણ ગઢવી સમાજ તથા ક્ષત્રિય સમાજના ભાઈઓએ હાજરી આપી હતી અને માતાજીની 101 દિવડાની આરતી કરવામાં આવી હતી તેમજ માતાજીના જન્મોત્સવની કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી બાદમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.