વાંકાનેર: સમસ્ત લખતરીયા પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-12-2021

(Ajay Kanjiya) સમસ્ત લખતરીયા પરીવાર સંગઠન ગુજરાતના કારોબારી સભ્યો તા.૨૮/૧૨/૨૧ ને મંગળવારના રોજ સુરાપુરા શ્રી રામાબાપા ના સાનિધ્ય માં લખતર ખાતે કારોબારી સભ્યો નો પરીવાર સાથે સ્નેહમિલન કાર્યક્રમ તથા મીટીંગ રાખવામાં આવી હતી આ મીટીગમાં સમસ્ત લખતરીયા પરીવાર સંગઠન ગુજરાતને વધુ વેગવંતુ બનાવવા તેમજ અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી મહામંત્રી રાજેશભાઈ અને રવિભાઈ દ્વારા તમામ સભ્યોને નવા વર્ષ ની શુભકામના સાથે તમામ એજન્ડાઓ વિસ્તાર પૂર્વક રજૂ કરેલ જે સૌ કારોબારી એ હર્ષભેર ઉત્સાહ પૂર્વક વધાવી બહાલી આપેલ ખજાનચી બંસી ભાઈ દ્વારા આજ સુધીનો આવક જાવક હિસાબ રજૂ કરેલ કારોબારી અધ્યક્ષ મનસુખભાઈ લખતરીયા દ્વારા પરીવાર ને વધુ સંગઠીત અને વધુ લોકો ને આ સંગઠન માં જોડાવા માટે પહેલ કરેલ અંતમાં પ્રમુખ શ્રી રોહિત ભાઈ લખતરીયાદ્વારા તમામ મુદ્દાઓ ને ધ્યાન માં રાખી ને આ તમામ કાર્યો વેગવંતા બંને તે માટે જોમ અને જુસ્સા સાથે પરિવાર ના સુખ દુઃખ માં સૌ સાથે ઉભા રહી ને એકતાની ભાવના રાખવા હાકલ કરી હતી જે તમામ સભ્યોએ તેઓ પ્રમુખ સાથે છે તેવા નિર્ણય સાથે ખાતરી આપી હતી મીટીંગ બાદ ભોજન સમારંભ યોજાયો હતો.