વાંકાનેરમાં વહેલી સવારે દૂધના કેન ભરીને આવતી વાનમાં આગ લાગી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-12-2021

(અજય કાંજીયા) વહેલી સવારે દૂધના કેન ભરીને આવતી વાનમાં આગ લાગતા ફાયરબ્રિગેડ દોડ્યું વાંકાનેર રાજકોટ હાઇવે ઉપર આઈટીઆઈ સામે આજે સવારે દૂધના કેન ભરેલ મારુતિ વાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા વાન અગનગોળો બની હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. વાંકાનેર – રાજકોટ હાઇવે ઉપર આજે સવારે આઈટીઆઈ સામે દૂધના કેન ભરેલી મારુતિવાનમાં કોઈ કારણોસર આગ લાગતા વાંકાનેર ફાયરબ્રિગેડ કાફલાએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. સવારના સમયે બનેલી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.