મોરબી: ગૌશાળાના લાભાર્થે શ્રી મદ્દ ભાગવત સપ્તાહનું આયોજન

શાસ્ત્રી સુહાગભાઇ એમ.દવેના વ્યાસાસને તા. 27-12-2021 થી 2-12-2022 સુધી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-12-2021

મોરબી શહેરના રવાપર રોડ પર આવેલી એવન્યુ પાર્ક સોસાયટીમાં એવન્યુ પાર્ક ગરબી ચોક મુકામે ગૌશાળા લાભાર્થે ભવ્ય શ્રી મદ્દ ભાગવત સપ્તાહનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગવત કથાકાર શાસ્ત્રી સુહાગભાઇ એમ દવે વ્યાસાસને બિરાજમાન થશે.

આ કથા તા. 27-12-2021 થી તા. 2-12-2022 સુધી ચાલશે. કથાનું સ્થળ : એવન્યુ ગરબી ચોક, એવન્યુ પાર્ક સોસાયટી, રવાપર રોડ મુકામે રાખેલ છે. તો આ કથામાં સૌ ગૌ પ્રેમી અને વૈષ્ણવ પ્રેમીઓને આધ્યાત્મિક લાભ લેવા જણાવાયું છે. વધુ માહિતી માટે હસુભાઈ: 99257 80888, માવજીભાઈ પટેલ: 90990 17900, જાગૃતિબેન કૈલા: 9726807340, રમાબેન પટેલ: 9727871919, ભરતભાઈ ગ્વાલાણી : 97276 63111 પર સંપર્ક સાધી શકાશે.