ગત મધરાત્રે સૌરાષ્ટ્રમાં તોફાની પવન સાથે પડેલા કમોસમી વરસાદથી ભાવનગર જિલ્લાના 127 ગામ અને અમરેલી જિલ્લાના 56 ગામમાં વિજ પૂરવઠો ઠપ્પ થઈ ગયો છે. ભાવનગરમાં 23 જ્યોતિગ્રામ ફિડર અને અમરેલીમાં 14 ફિડર બંધ થતાં ગામડાઓમાં અંધારપટ્ટ છવાયો છે. જ્યારે ખેતીવાડીના 282 ફિડરો બંધ હોવાનું પીજીવીસીએલના સૂત્રોએ જણાવ્યું છે.
(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-12-2021