મોરબીમાં સિદ્ધિ વિનાયક ગણેશોત્સવમાં હવન કરીને ઉજવાયો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-09-2021

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71 મા જન્મદિવસ નિમીતે મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાની વિશેષ ઉપસ્થિતિમાં મોરબીમાં સિદ્ધિ વિનાયક ગણેશ મહોત્સવમાં અરવિંદભાઈ બારૈયા દ્વારા હોમાત્મક હવનનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ તકે જિલ્લા પંચાયત અગ્રણી જીગ્નેશભાઇ કૈલા, મોરબી જીલ્લા ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા, મહિલા મોરચાના પ્રમુખ સંગીતાબેન ભીમાણી, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મહામંત્રી જયદીપભાઇ હુંબલ, શહેર યુવા મોરચાના મહામંત્રી વિક્રમભાઈ વાંક અને યોગીરાજસિંહ જાડેજા તેમજ શહેર યુવા મોરચાના તમામ હોદ્દેદારો અને કાર્યકરો જોડાયાં હતા લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ દીર્ઘાયુ બને, હંમેશા સ્વસ્થ રહે અને ભારત પરમ વૈભવના શિખરો સર કરેએ માટે હવનમાં હાજરી આપીને ગણેશજીને પ્રાર્થના કરી હતી અને કેક કટીંગ કરવામાં આવ્યું હતું.