(અજય કાંજીયા) વનકાનેરમાં ઘણા સમયથી કોરોના રસીકરણ અભિયાન ચાલુ છે..ત્યારે ચંદ્રપુર ગામ તેમજ ભાટિયા સોસાયટી માં પણ ચંદ્રપુર 1-2 નો પૂરો આરોગ્ય સ્ટાફ ,ગામ ના સરપંચ તમામ સભ્ય, તલાટી મંત્રી, ગામના આગેવાનો બધાની મહેનતથી 100% વેક્સિનેશનનની કામગીરી પૂર્ણ કરાઈ છે. વડાપ્રધાનના જન્મદિવસે યોજાયેલ મહા વેક્સિનેશ અભિયાનમાં ભાટિયા સરકારી દવાખાનામાં વેક્સિન ડ્રાઈવમાં 261 લોકોને સફળતા પૂર્વક રસી આપવામાં આવી હતી. આમ ચંદ્રપુર ગામ તેમજ ભાટીયા સોસાયટીમાં 100% વેક્સિનેશનનો લક્ષ્યાંક સિદ્ધ કરવામાં આવ્યો હતો.
(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-09-2021