મોરબી જિલ્લાનાં બિલીયા ગામમાં કોરોના રસીકરણની કામગીરી ૧૦૦ % પૂર્ણ

લોકોનો સંપર્ક કરી વેકસીનની જરૂરીયાત અને ફાયદાઓ અંગે માહિતગાર કરાયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-08-2021

મોરબી જિલ્લાના બિલીયા ગામે કોરોના રસીકરણમાં ૧૦૦% સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. હાલ કોરોનાની સંભવીત ત્રીજી વેવ સામેની તૈયારીના ભાગરૂપે કોરોના સામે રક્ષણ મેળવવા માટે કોરોના રસીકરણ એ ખુબજ અગત્યનો ઉપાય છે. આવા સમયે આ ગામમાં કુલ ૧૦ કેમ્‍પ થકી ગામમાં રહેતા હોય તેવા ૧૮ વર્ષ થી ઉપરની વયજૂથ ધરાવતા ૭૪૫ લોકોએ કોરોના રસીકરણનો ડોઝ મેળવી લીધેલ છે. આમ બિલીયા ગામે કોરોના રસીકરણનો પ્રથમ ડોઝમાં ૧૦૦ % સિદ્ધિ હાંસલ કરેલ છે.  

આ કામગીરીની સફળતા માટે બિલીયા ગામના સરપંચ કાંતીલાલ મગનલાલ પેથાપરા તથા તેમની ટીમ દ્વારા લોકોનો સંપર્ક કરી કોરોના વેકસીનની જરૂરીયાત અને રસીકરણ કરાવવાથી થતા ફાયદાઓ અંગે માહિતગાર કરી આ બાબતે લોકોમાં જનજાગૃતિ લાવી ગામને ૧૦૦%  રસીકરણ કરાવવામાં સફળતા અપાવેલ છે.

મોરબી જિલ્લાનો માળીયા તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડી. જી. બાવરવા મોરબી તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. કોટડીયા અને અને તેમની ટીમ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બગથળાના આરોગ્ય કર્મચારીઓ અધિકારીઓની ટીમ પણ આ માટેનાં સુવ્યવસ્થિત આયોજન થકી આ સફળતામાં સહભાગી બનેલ છે