વાંકાનેરમાં બાઈક ચોરીનો આતંક, વધૂ એક બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-07-2021

(અજય કાંજીયા દ્વારા) વનકાનેરના રહેવાસી કટારા માનસિગભાઈ ગોબરભાઇ જે મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે, તેઓ તેમની મોટર સાઇકલ જી.જે. 35 એલ. 3720 તા. 26 ના સવારે સરતાનપર ખાતે બ્લુવીન સીરામીકથી સિબેલા સીરામીક તરફ જતા હતા ત્યારે તેમનું મોટર સાઇકલ રસ્તામાં સ્લીપ થતા તેઓને ઇજા થતા તેઓને મારુતિ હોસ્પિટલ મોરબી ખાતે દવાખાને દાખલ કરેલ હતા બાદમાં સારવાર બાદ તેઓ જ્યાં બાઈક સ્લીપ થયું હતું ત્યાંથી બાઈક ગમ થઇ ગયું હતું, ઘણી તાપસ પછી પણ બાઈક ન મળતા તેઓએ વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.