ઓક્સિજન લેવેલ વધારવા મદદ કરશે રાજકોટના તબીબનો આ નુસખો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-04-2021

કોરોના દર્દીઓને સૌથી વધુ તકલીફ ઓક્સિજનની થાય છે. હાલ હોસ્પિટલોમાં ઓક્સિજનનો પુરવઠો પણ ઘટી રહ્યો છે. જેથી અનેક દર્દીઓ મોતને ભેટી રહ્યાં છે. પરંતુ જો ઓક્સિજનની માત્રા ઘટી જાય તો ઓક્સિજનનો સપ્લાય બોટલ દ્વારા જ મેળવી શકાય તેવુ નથી. તમે ઘરે પણ આસાનીથી ઓક્સિજનની માત્રા વધારી શકો છો. કોરોનાની બીજી લહેરમાં 40 ટકા દર્દીઓને ઓક્સિજન લેવલ ઓછું થાય છે. આવામાં ઘરેલુ નુસ્ખાથી પણ ઓક્સિજનનું પ્રમાણ વધારી શકાય છે. રાજકોટના એક આયુર્વેદિક તબીબે કોરોનાના દર્દીએ ઓક્સિજન લેવલ વધારવા શું કરવું તેનો વીડિયો બનાવીને લોકો સુધી માહિતી પહોંચાડી છે. રાજકોટ આયુર્વેદિક હોસ્પિટલના ડો. ડો. ગૌરાંગ જોશીની આ ટિપ્સ તમને બહુ જ કામમાં આવી શકે તેમ છે.

ઓક્સિજન લેવલ વધારવા દેશી અને વિલાયતી ઉપાયો

કપૂરની એક ગોળી,એક ચમચી રાઈ ,અડધી ચમચી મીઠુ અને અડધી ચમચી અજમાની પોટલી બનાવીને સુંઘો.

પ્રોનિંગ થેરાપી દર્દીને અમુક સમય માટે પડખે અને ઉંધા સુવડાવવા.

શ્વાસોશ્વાસ યોગ્ય કરવા રોજ રાઈ-મીઠુ પાણીમાં નાંખી ઉકાળી નાસ લેવો.

ઓક્સિજન લેવલ વધારવા કુદરતી અને નિર્દોષ ઉપાયો

રોજ પ્રાણાયામ કરવા. એ ન આવડે તો શાંત મગજ રાખી, ટટ્ટાર બેસી ઉંડા શ્વાસોશ્વાસ લેવા.

પૂષ્કળ પર્યાપ્ત માત્રામાં શુધ્ધ પાણી પીવું.

કુદરતી હવા શ્વાસમાં જાય તે રીતે  દિવસ પસાર કરવો. બારી બારણા ખુલ્લા રાખો.

વ્યાયામ કરવો. શક્તિ અને સમય મૂજબ શ્રમ કરવો.

હરિયાળીનો, વૃક્ષોનો સંગાથ રાખવો.

હિમોગ્લોબીન વધે, જળવાય તેવો ખોરાક લેવો.

ડો. ગૌરાંગ જોશી ફેસબુક લાઈવ કરીને અવારનવાર આ પ્રકારની ઉપયોગી માહિતી આપતા હોય છે. તમે જાતે ઘરે ઓક્સીમીટરમાં જોઈ શક્શો કે આ પ્રયોગ કરવાથી તમારું ઓક્સિજન લેવલ તરત જ બુસ્ટ થશે. અત્યારે લગભગ તમામ 108 સર્વિસ એમ્બ્યુલન્સમાં દર્દીને ટ્રાન્સફર વખતે શ્વાસની તકલીફ વખતે ઓક્સિજન ઉપરાંત આ પ્રયોગ પણ સતત ઉપયોગમાં લેવાય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો