નવી દિલ્હી તા,7 ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઇ)એ પાણીની બોટલો માટે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે. ત્યારબાદ તમામ પેકેઝ્ડ પાણીને તૈયાર કરવાની રીત બદલાઇ જશે.
રિપોર્ટ અનુસાર એફએસએસએઆઇની નવી ગાઇડલાઇન્સ બાદ પેકેઝ્ડ પાણી બનાવનાર કંપનીઓને એક લીટર પાણીની બોટલમાં 20 મિલીગ્રામ કેલ્શિયમ અને 10 મિલીગ્રામ મેગ્નીશિયલમ મિક્સ કરવા પડશે.
મિનરલ્સ સ્વાસ્થ્ય માટે સારા ગણવામાં આવે છે, એટલા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (એનજીટી)એ એફએસએસએઆઇએ કહ્યું હતું કે તે પેકેજિંગ પાણીમાં કેટલાક ખાસ મિનરલ્સને મળવાની સંભાવનાઓ શોધે. એનજીટીએ કહ્યું કે પાણીને ફિલ્ટર કરવાની પ્રક્રિયામાં મિનરલ્સને નિકળવા જરૂરી હોય છે, જેથી આ પીવાના પાણી માટે સુરક્ષિત બનાવી શકાય, તેને ગ્રાહકોને ફાયદા માટે ફરીથી ઉમેરવામાં આવે.
એનજીટીનો વાસ્તવિક આદેશ 29 મે 2019ના રોજ આવ્યો હતો. તેને લાગૂ કરવા માટે કંપનીઓને બે વખત સમય માંગ્યો હતો, હવે સરકારે આ આદેશને લાગૂ કરવા માટે 31 ડિસેમ્બર 2020ની ડેડલાઇન કરી કરવામાં આવી છે.
એટલા માટે નવા નિયમ નવા વર્ષ એટલે કે 1 જાન્યુઆરીથી લાગૂ થઇ જશે. એફએસએસએઆઇએ તેના માટે પહેલાં જ હાજર નવી રીતે પ્રોડક્ટ બનાવવા માટે ફોર્મૂલા બતાવી દીધો છે. એનજીટીએ સ્પષ્ટ કરી દીધું છે કે ત્યારબાદ પેકેઝ્ડ વોટર કંપનીઓને વધુ સમય આપવામાં નહી આવે.
ભારતમાં અત્યારે કિન્લી, બેઇલી, એક્વાફિના, હિમાલયન, રેલ નીર, ઓક્સિરિચ, વેદિકા અને ટાટા વોટર પ્લસ પેકેઝ્ડ વોટરના બિઝનેસમાં છે. જેમને નવા નિયમ મુજબ પાની બનાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. આ તમામ કંપનીઓએ પોતાની પાણીની બોટલોમાં નક્કી માત્રામાં કેલ્શિયમ અને મેગ્નીશિયમ મિક્સ કરીને વેચશે. ભારતમાં પેકેઝ્ડ પાણીનો બિઝનેસ 3000 કરોડ રૂપિયાનો છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63