સરકારે કોવિડ-19 ને ધ્યાનમાં રાખીને અનલોક-3.0 (Unlock 3.0) ની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિ પ્રમાણે અનેક ક્ષેત્રોમાં છૂટ આપવામાં આવી છે. જોકે, હજી કેટલાંક ક્ષેત્રમાં પ્રતિબંધ યથાવત રહેશે. સ્વાસ્થ્ય સંબંધી મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સરકાર તરફથી જીમ (Gymnasium) અને યોગ (Yoga) સંસ્થાનોને ખોલવાની છૂટ આપવામાં આવી છે. આ સંસ્થાન આગામી પાંચ ઓગસ્ટથી કેટલીક શરતોને આધીન ખોલવામાં આવશે. જોકે, હજી સ્કૂલ, કોલેજો અને કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ્સને 31 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો આદેશ રજૂ કર્યો છે.
સિનેમા હોલને હજી જોવી પડશે રાહ
સરકારના આદેશ પ્રમાણે 31 ઓગસ્ટ સુધી સિનેમા હોલ, સ્વીમિંગ પૂલ, એન્ટરટેનમેન્ટ પાર્ક્સ, થિયેટર, બાર અને ઓડિટોરિયમ જેવી જગ્યાઓ પણ બંધ રહેશે. સાથે જ મેટ્રો રેલ ઉપરાંત ઈન્ટરનેશન ફ્લાઈટ્સ ઉપર પણ હજી પ્રતિબંધ રહેશે. આ પહેલા માનવામાં આવી રહ્યું છે કે સરકાર તરફથી અનલોક-3 માં મેટ્રો રેલવેની સુવિધા ફરીથી શરુ કરી શકાશે પરંતુ સાવચેતીના ભાગ રૂપે હજી બંધ રહેશે.
સામાજિક, રાજનીતિક અને ધાર્મિક મેળા ઉપર સરકારી પાબંદી
આ ઉપરાંત સામાજિક, રાજનીતિક, શૈક્ષણિક, સ્પોટ્સ, ધાર્મીક મેળા ઉપર પ્રતિબંધ યથાવત રહેશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, દેશમાં કોરોનાના હાલાતોના આધારે નક્કી કરવામાં આવશે કે કયા ક્ષેત્રમાં છૂટ આપવામાં આવશે.
1 ઓગસ્ટથી રાત્રી કર્ફ્યુ પણ નહિ રહે
સરકારની જાહેરાત મુજબ 1 ઑગસ્ટથી રાત્રિનો કર્ફ્યૂ નહીં રહે. જોકે, મેટ્રો ટ્રેઇન, બાગ-બગીચા, બાર, શાળા કૉલેજો બંધ જ રહેશે. જાહેર કે ખાનગી કાર્યક્રમો નહીં યોજી શકાય અને ભીડ એકઠી કરવા પર પ્રતિબંધ રહેશે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63