મોરબી : સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સોમવારથી ઓનલાઇન શિક્ષણ પુનઃશરૂ કરવાની જાહેરાત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-07,

તાજેતરમાં ગુજરાત સરકારે ખાનગી શાળાઓને ફી વસૂલવા ઉપર પાબંધી મુકવામાં આવી હતી. રાજ્ય સરકારના નિર્ણયને કારણે ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ નારાજ થયું હતું અને વહીવટી કામગીરી બંધ કરી ઓનલાઇન શિક્ષણ ન આપવાની જાહેરાત કરી હતી. જો કે આ જાહેરાતને પગલે રાજ્ય સરકારે પોતે ઓનલાઇન શિક્ષણ આપવાનું જાહેર કર્યું હતું. બાદમાં આજે ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે આગામી તા.17ને સોમવારથી ઓનલાઇન શિક્ષણ ફરી શરૂ કરવાનું એલાન કર્યું છે.

મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઈ ઓગણજાએ જણાવ્યું કે સરકાર સામેની નારાજગી હજુ યથાવત જ છે. શાળાઓ વહીવટી કામગીરી બંધ જ રાખશે. હાઇકોર્ટમાં કેસ પણ ચાલુ રહેશે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તેમજ વાલીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઈને મહામંડળ દ્વારા ઓનલાઇન શિક્ષણ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63