હાલ મેઘરાજા સતત વરસી રહ્યાં હોય ઘણા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઉભી થયેલ છે. રમેશભાઈ ધડુક એક ખેડૂત નેતા છે.પોરબંદર ના સાંસદ રમેશભાઈ ધડુક પોતાના મત વિસ્તારમાં સતત દોડતા નેતા છે.હાલ માં જ પોરબંદર ના રાણાવાવ, કુતિયાણા,અને માંગરોળ-કેશોદ તાલુકા ના ઘેડ વિસ્તાર માં અતિ ભારે વરસાદ થયેલ છે.અને ખેડૂતો ને પારાવાર નુકસાની પણ થયેલ છે.તેમજ ઉપલેટા તાલુકા ના ભાદર કાંઠા વિસ્તારમાં પણ અતિ ભારે વરસાદ ને કારણે ખેતીની જમીનોમાં પાણી ભરાઈ જવાને કારણે વ્યાપક પ્રમાણ માં આ પંથક ના ખેડૂતો ને નુકસાન થવા પામ્યું છે.જેને ધ્યાન માં લઇ ને પોરબંદર મતવિસ્તાર સાંસદ અને ખેડૂત નેતા રમેશભાઈ ધડુક દ્વારા સંવેદનશીલ સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને ખેડૂતો ને થયેલ નુકસાની નો સર્વે કરાવીને અને ખેડૂતો ને આર્થીક મદદ મળી રહે એવી રજુવાત કરી હતી. અહેવાલ હરપાલસિંહ જામકંડોરણા
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63