ગુરુ પૂર્ણિમા અને ચંદ્ર ગ્રહણનો સંયોગ, દેશ-દુનિયા પર પડશે આ અસર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-07,

આ વખતે ચંદ્ર ગ્રહણ બાધ્ય ન હોવાથી તમે ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈપણ શાસ્ત્રોક્ત બાધા વગર પૂજા પાઠ કરી શકો છો. આ દિવસે મહાભારત અને અઢાર પુરાણના રચયિતા મહર્ષિ વેદવ્યાસજીની જયંતિ પણ મનાવવામાં આવે છે. પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની કથા અને દાનપુણ્ય કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે શ્રદ્ધાળું તીર્થસ્નાન કરીને પુણ્ય ઉપાર્જિત કરે છે. જ્યોતિષશાસ્ત્રો મુજબ એક જ મહિનામાં 2 અથવા તેનાથી વધારે ગ્રહણ શુભ માનવામાં આવતું નથી. ત્યારે 5 જૂનથી 5 જુલાઈ વચ્ચે આ ત્રીજુ ગ્રહણ છે. જેના પ્રભાવથી ગ્રહોની સ્થિતિમાં પણ મોટો ફેરફાર જોવા મળશે. આ યોગના પ્રભાવથી દુનિયામાં ભિષણ પ્રાકૃતિક આપત્તિઓ આવશે અને મોટા દેશો વચ્ચે દુશ્મની મજબૂત બનતા યુદ્ધની સ્થિતિ પણ બની શકે છે. તો દુનિયા આર્થિક મોરચે પડી ભાંગે તેવા યોગ બની રહ્યા છે.

એજ્યુકેશન સ્પેશ્યલ – 2020 એડિશન ડાઉનલોડ કરવા આ ઇમેજ પર ક્લીક કરો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63