(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 18-4, રાજકોટના જંગલેશ્વર વિસ્તાર કે જ્યાં કર્ફ્યુ છે અને આ વિસ્તાર હોસ્ટપોટ વિસ્તાર છે ત્યાં આજી નદીના પટમાંથી પસાર થઈને થોરાળા વિસ્તારમાં આવી શકાય એમ છે આ માર્ગેથી કોઈ પણ વ્યક્તિ જો જંગલેશ્વરની બહાર નીકળી જાય અને જો એ કોરોના પોઝિટિવ હોય તો જંગલેશ્વરમાંથી શહેર તરફ કોરોના ટ્રાન્સફર થઇ શકવાની શક્યતા હોવાથી પોલીસ દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તેમજ જેસીપી ખુર્શીદ અહેમદના માર્ગદર્શનથી DCP ઝોન 1 રવિ મોહન સૈની સાહેબ એસીપી એચ એલ રાઠોડ સહીત PI જી.એમ. હડિયા, PSI જાદવ તેમજ ઘોડેસવાર પોલીસકર્મી દ્વારા નદીના ખુલા પટમાં હોર્સ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. (તસ્વીર-અહેવાલ: હિતેન સોની, રાજકોટ)