BIG BREAKING : રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા શહેર 25 માર્ચ સુધી સંપૂર્ણ બંધ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-3, કોરોના વાયરસનાં પગલે ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે. ગુજરાતના અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત એમ ચાર મહાનગરોને 25 માર્ચ સુધી સંપુર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં એક બાદ એક કોરોના પોઝિટિવનાં કેસો સામે આવતાં સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.