મોરબી: જૈન ધર્મના પાંચમા તીર્થંકર સુમતિનાથજી જિનાલયના પરિસરમાં આવેલ ભુવનભાનુ રત્નત્રયી આરાધના ભવનમાં નવકાર અનુષ્ઠાન સંપન્ન

નવકાર સમર્પિત આરાધકોની સંખ્યા ૨૮,૦૦૦ થી વધુ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 28-2, મોરબીમાં જૈન ધર્મના પાંચમા તીર્થંકર સુમતિનાથજી જિનાલયના પરિસરમાં આવેલ ભુવનભાનુ રત્નત્રયી આરાધના ભવનમાં તા. ૨૫ થી ૨૭ સુધી ભારતવર્ષના ૪૧૫ માં ભવ્ય નવકાર અનુષ્ઠાન રાખવામાં આવ્યા હતા. જેમાં નવકાર પ્રભાવક જયદર્શન વિ.મ.સા.ની પાવન પ્રેરણાથી અનેક આરાધકો આજીવન હેતુ મહામંત્ર નવકાર આરાધનામાં જોડાયા હતા   આ અનુષ્ઠાન સાથે ભારતભરમાં નવકાર સમર્પિત આરાધકોની સંખ્યા ૨૮,૦૦૦ થી વધુ થઇ છે. ટૂંક સમયમાં ૨૭ અબજથી વધુ ૩૬  અબજ નવકાર જાપનો શુભારંભ થશે. હાલ મોરબીમાં માત્ર ૨૦ દીવસમાં આરાધકોની સંખ્યા ૧૩૫ થી વધુ થવા પામી છે. તેમજ તમામ આરાધકો અઠવાડિયે એકવાર સામુહિક સામાયિક સાથે સામુહિક નવકાર જાપ ગણી શકે, તે માટે ચારેય શ્રીસંઘમાં વધુ માર્ગદર્શન માટે નવકાર જાપ સમિતિની પણ સ્થાપના થઇ છે.