રાજ્યમાં કોરોના બેફામ બન્યો છે. દરરોજ અનેક લોકો સંક્રમિત થઈ રહ્યા છે. દક્ષીણ ગુજરાતનું સુરત શહેર કોરોના વિસ્ફોટ બની રહ્યું છે. ત્યારે એસ.ટી ના પ્રવાસીઓના રક્ષણ માટે સલામતી માટે રાજ્યના માર્ગ વાહન વ્યવહાર નિગમએ સોમવારથી 10 દિવસ સુધી સુરત આવતી-જતી તમામ એસ.ટી ની બસો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
આ અંગેની ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને વાહન વ્યવહાર કમિશ્નરની કચેરીના સચીવની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે રાજ્યભરમાં કેન્દ્ર સરકારના આદેશ અને ગાઈડ લાઈન મુજબ એસ.ટી બસનું સંચાલન કરવામાં આવી રહ્યુ છે.
પ્રવાસીઓનું થર્મલ ચેકીંગ અને બસોનું સેનિટાઈઝેશન પણ કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત સુરતમાં કેસ વધી રહ્યાનું જણાતા સુરતમાં આવતી-જતી બસોમાં પ્રવાસ કરતા પ્રવાસીઓના કોરોનાથી સંક્રમિત થવાની સંભાવનાઓ ને ધ્યાનમાં રાખીને સોમવાર તા. 27-7 થી 5 ઓગષ્ટ સુધી સુરતમાં એસ.ટી બસો ઉપર રોક લગાડવામાં આવી છે. અર્થાત રાજ્યભરમાંથી કોઈ પણ બસ સુરત નહી જાય અને કોઈ પણ બસ સુરતથી ઉપડશે નહી.
જો કે રાજ્યના અન્ય શહેરો ની બસ સર્વીસ રાબેતા મુજબ ચાલુ રહેશે તેમા કોઈ પણ ફેર ફાર નથી.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
Keep Social Distance, Wear Mask, Keep your Hand Clean
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63