યુદ્ધનો ભય: ભારતની એરલાઈન હવે ઈરાન રૂટ પરથી નહી ઉડે

લંડન સહિતની ફલાઈટો અન્ય રૂટ પરથી જશે

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ગમે તે સમયે યુદ્ધ ભડકી ઉઠવાની સંભાવના વચ્ચે હવે ભારતીય એરલાઈન આ ક્ષેત્રના એર સ્પેસનો ઉપયોગ નહી કરે એર ઈન્ડીયાએ તો તેની લંડન જતી ફલાઈટ ઈરાનની હવાઈ સીમા ટાળી વૈકલ્પિક રૂટ પરની ફલાઈટ લંડન લઈ જવામાં આવી હતી. વિદેશ મંત્રાલયે તમામ એરલાઈનને આ જોખમી રૂટ પરથી નહી ઉડવા સલાહ આપી છે.