દેશ પહેલા ધંધો પછી મોરબીના ટ્રાવેલ એજન્સીઓએ માલદીવ્સનું બુકીંગ બંધ કરી દીધું

માલદીવ્સની નવી ચૂંટાયેલી સરકારના ભારત વિરોધી વલણ સામે મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશને દેશનું હિત અને સ્વમાન સર્વોપરી રાખીને એસોસિએશન દ્વારા માલદીવ્સનું બુકીંગ બંધ કરી દેવામાં આવ્યું છે. તો સામે આપણા દેશનું સુંદર ડેસ્ટિનેશન લક્ષદ્વીપ પર ડિસ્કાઉન્ટ પેકેજ આપીને આપણા દેશના સ્થળને વિઝિટ કરવા પ્રોત્સાહન આપ્યું છે.

હાલમા જ ભારતના પ્રધાનમંત્રીએ લક્ષદ્વીપના ફોટો સોશ્યિલ મીડિયામાં મૂકીને લક્ષદ્વીપને પ્રમોટ કર્યું હતું. તેના પર માલદીવ્સ સરકારના 3 મંત્રીઓએ અશોભનીય ટિપ્પણી કરી આપણા પ્રધાનમંત્રીની મજાક ઉડાવી હતી. હવે ભારતીયો જયારે માલદીવ્સ જવાનું બંધ કરી દેતા માલદીવ્સને રેલો આવ્યો અને પોતાના દેશને થનારા નુકસાન બાદ હવે માલદીવ્સના પ્રધાનમંત્રી ભારતના પ્રધાનમંત્રીને મળવા તલપાપડ થઇ રહ્યા છે પરંતુ ભારત એટલી આસાનીથી માને તેમ નથી હવે તો લાગે છે મોદી સરકાર લક્ષદ્વીપને બીજું માલદીવ્સ બનાવીને જ ઝંપશે