અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા માધાપર ચોકડી નજીક ઝુંપડપટ્ટીના લોકોને ભોજન કરાવ્યું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-03-2022

મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા અવનવા કાર્યક્રમો તથા સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. તેમજ જરૂરિયાતમંદોની સહાય માટે હંમેશા ગ્રુપની બહેનો તથા ભાઈઓ ખડેપગે રહી સેવા કાર્યો કરી રહ્યા છે. ત્યારે મોરબીથી ૬૦ કિલોમીટર દુર આવેલ રાજકોટની માધાપર ચોકડી સુધી પોતાની કાર લઇ અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપની બહેનો દ્વારા ઝુંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરતા 150 થી વધુ પરિવારના લોકોને શાક, રોટલી, ખીચડી જેવા ભોજન કરાવી આનંદ અનુભવ્યો હતો. આ સેવાકાર્યમાં પ્રમુખ હેતલબેન પટેલ, પ્રીતીબેન ભંખોડીયા, લતાબેન પનારા, ભાવિનીબેન, ભારતીબેન, દયાબેન જોડાયા હતા.