મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા સુભાષચંદ્ર બોઝના જન્મદિને સુભાષયાત્રા યોજાઇ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-01-2022

મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસ નિમિત્તે એક નાની એવી સુભાષયાત્રાનું મોરબી શહેરના રવાપર રોડ અને શનાળા રોડ ઉપર આયોજન કરવામાં આવ્યું હતું અને જે પ્રતિમાની સ્થાપના માટે ક્રાંતિકારી સેનાએ 23 જાન્યુઆરી નક્કી કરી હતી પાલિકાના સભ્ય અને અન્ય લોકોના વિરોધનાં લીધે તે કામ બંધ કરવામાં આવ્યું છે જેથી ક્રાંતિકારી સેનાએ લોકોમાં દેશભક્તિના વિચારો મજબુત બને, દેશ અને ક્રાંતિકારીઓ માટે લોકોમાં પ્રેમ જાગૃત થાય તે માટે લોકોને સમજાવીને સારા કાર્યોનો વિરોધ ન કરવા સંદેશ આપ્યો હતો સાથોસાથ નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે લોકોને માહિતી પણ આપી હતી.