જામનગર: શ્રી કંસારા સેવા ટ્રસ્ટ તથા ડૉ. કૃણાલ સોલંકી તથા સ્ટાફના સહયોગથી વેક્સિનેશન કેમ્પ યોજાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-04-2021

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

જામનગર: શ્રી કંસારા સેવા ટ્રસ્ટ દ્વારા વિશ્રામવાડી આરોગ્ય કેન્દ્ર ના ડૉ. કૃણાલ સોલંકી તથા તેમનાં સ્ટાફ સહયોગ થી કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો.

આ કેમ્પમાં ૪૫ વર્ષ થી વધુ ઉંમરના કુલ 175 લોકોએ વેક્સીન મુકાવી હતી. આ કાર્યક્રમમાં જામનગરના મેયર બીનાબેન કોઠારી ખાસ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.

આ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, ડૅ. મેયર તપનભાઈ પરમાર, કેન્સર સોસાયટીના વિઠ્ઠલભાઈ ધોળકિયા, JMC ના પધધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વેક્સિનેશન માટે ડૉ. કૃણાલ સોલંકી તથા તેમનો સ્ટાફ દ્વારા સેવા અપાઈ હતી.

આ કાર્યક્રમમાં 45 વર્ષ ઉપરના તમામને વેક્સિન આપવામાં આવી હતી. જેનો મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ લાભ લીધો હતો.

આવનાર સમયમાં ફરી એકવાર વેક્સિનેશનના બીજા ડોઝ માટે કાર્યક્રમ યોજવામાં આવશે તેવું ‘કંસારા સેવા ટ્રસ્ટ – જામનગર’ ના પ્રમુખ રમેશભાઈ બારમેડાએ જણાવ્યું હતું વધુ માહિતી માટે ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર  ૮૮૬૬૩૦૭૬૭૦ પર વ્હોટ્સએપ અથવા રમેશભાઈ બારમેડા: ૯૩૭૫૮૫૩૪૭૨, રમેશભાઈ મેવચા: ૯૭૧૪૨૪૪૪૩૪, મનીષ સોલંકી: ૯૮૨૪૪૦૦૦૦૨ રમેશભાઈ છત્રાળા: ૯૯૧૩૪૫૦૯૬૫, કિરીટભાઈ પોમલ: ૯૪૨૭૨૦૭૭૩૮ પર સંપર્ક કરી શકાશે.