કોરોના લોક ડાઉન વચ્ચે પ્રેમી પંખીડાએ ઝાડ સાથે લટકી જીવન ટૂંકાવ્યું
(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-4, કોરોનાના કહેર સામે યુદ્ધ લડવા જયારે લોક ડાઉન ચાલી રહ્યું છે. ત્યારે સરધારના સૂકી સાજડીયાળી નજીક પ્રેમી પંખીડાએ ઝાડ પર લટકી સજોડે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર જાગી છે.
પ્રાપ્ત વિગત મુજબ સરધાર નજીક આવેલ સાજડીયાળી રોડ પર ફોજી ફાર્મ નજીક આવેલા એક વૃક્ષની ડાળી સામે યુવક-યુવતીએ ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતા હોઈ બનાવની જાણ 108 ની emt ઈંદ્રજિત ડાંગર અને પાયલોટ સંજય કાલોતરા ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ કરી બંનેને મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી. સાધાર પંથકના પી.એસ.આઈ. વાઘેલા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મૃતકોના મૃતદેહને ઉતારી પીએમ રિપોર્ટ માટે હોસ્ટિપટલ ખસેડાયા હતા. પોલીસ તપાસમાં મૃતક યુવાનનું નામ બાબુ વિનુભાઈ પરમાર (ઉ.વ. 27) અને યુવતી પુરીબેન ભાનુભાઇ સોલંકી (ઉ.વ. 22) હોવાનું જાણવા મળ્યું હતું પ્રેમી યુવક-યુવતીએ ગઈ કાલની રાત્રીએ પ્રથમ દ્રષ્ટિએ આપઘાત કર્યો હોવાનું જણાયુ હતું પરંતુ ક્યાં કારણે આપઘાત કર્યો છે, અને આપઘાત જ કર્યો છે કે કોઈ આપઘાત કર્યો હોવાનું દેખાડી મર્ડર થયું છે શું છે વાસ્તવિકતા એ તો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે। (તસ્વીર-અહેવાલ, વિપુલ એમ. પ્રજાપતિ, સરધાર)
ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને અન્યને પણ સુરક્ષિત કરો