વાવાઝોડાને ટકરાવામાં એક દિવસ બાકી છે, ત્યારે આ નીચે મુજબ તૈયારી કરી લેશો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-05-2021

વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન, અને વાવાઝોડા બાદ તકેદારી અને જાગૃત્તિ કેળવવી બહુ જ જરૂરી છે, જેથી સુરક્ષિત રીતે બચી શકાય

વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ તકેદારીના કેવા પગલા લેવા તેની જાણકારી મેળવવાથી વધુ નુકસાન થતું અટકાવી (Cyclone Alert) શકાય છે. ગુજરાતમાં 18 મેના રોજ તૌકતે વાવાઝોડું ટકરાવાનું છે. ગુજરાતમાં આવનાર  સંભવિત ‘તૌકતે” વાવાઝોડા (Cyclone Tauktae) ની સંભાવનાને ધ્યાને લેતા લોકોના જાનમાલની સલામતી અને સુરક્ષા માટે વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન, અને વાવાઝોડા બાદ તકેદારી અને જાગૃત્તિ કેળવવાથી સુરક્ષિત રહી શકાય છે. તેમજ જાનમાલનું નુકસાન થતું અટકાવી શકાય છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠે રહેતા લોકો આ માહિતી બહુ જ ઉપયોગી બની રહેશે.

વાવાઝોડાની સ્થિતિમા સૌ પ્રથમ વાવાઝોડા પહેલાની કેટલીક તૈયારીઓ કરવી આવશ્યક છે. જે નીચે મુજબની છે.

વાવાઝોડા પહેલાની તૈયારી

રહેઠાણની મજબૂતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો.

સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો.

તમારા આપના રેડિયો સેટને ચાલું હાલતમાં રાખો, ચકાસી લો.

સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્ન કરો.

ઢોર-ઢાંખરને ખૂંટાથી છુટા કરી રાખો.

માછીમારોએ દરિયામાં જવું નહીં, બોટ સલામત સ્થળે લાંગરવી.

અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવું.

આશ્રય લઈ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાન રાખો.

સુકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો.

અગત્ય ટેલીફોન નંબર હાથવગા રાખો.

વાવાઝોડા દરમિયાન તકેદારીના પગલા

જર્જરીત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવા માટે સમજ આપવી.

રેડિયો પર સમાચાર સાંભળતા રહો અને સૂચનાઓનો અમલ કરો.

વાવાઝોડા સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહીં.

વાવાઝોડાના સમયે રેલ મુસાફરી કે દરિયાઇ મુસાફરી હિતાવહ નથી.

વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા સલાહ આપવી.

દરિયા નજીક, ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઈનો નજીક ઊભા રહેશો નહીં.

વીજળીના થાંભલાથી દૂર રહેવા સલાહ આપવી.

માછીમારોને દરિયામાં જતા રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી.

અગરિયાઓએ અગરો છોડી સલામત સ્થળે આશરો લેવો.

ખોટી અથવા અધૂરી જાણકારી વાળી માહિતી અર્થાત અફવા ફેલાવતી અટકાવો, આધારભૂત સૂચનાઓને અનુસરો.

વાવાઝોડા બાદ કરવાની કાર્યવાહી

બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ મ્યુનિસિપાલિટી કંટ્રોલરૂમ તથા તમામ અધિકારીઓની મદદ લેવી. અસરગ્રસ્તોની મદદ કરવી બચાવ કરવો, સલામત સ્થળે લઈ જવા. જરૂર પડે તબીબી સારવાર તાત્કાલીક મળી રહે તેવી વ્યવસ્થા કરવી. ભારત સરકારના હવામાન ખાતા તરફથી મળતી આગાહીઓ અને અનુસરવું તથા સતત સંપર્કમાં રહેવું. અસરગ્રસ્તોને જરૂરી મદદ ઉપલબ્ધ કરાવવી.

વાવાઝોડા વખતે શું કરવું અને શું ન કરવું?

વાવાઝોડા પહેલાં

અફવાઓથી દૂર રહેવું અને ખોટું પેનિક ન કરવું

મોબાઈલ ફોન પૂરો ચાર્જ કરી લેવો

મહત્વના સામાન અને દસ્તાવેજ વોટરપ્રૂફ બોક્સમાં મૂકવા

જરૂરી ચીજવસ્તુઓની ઇમર્જન્સી કિટ તૈયાર રાખવી

ઘરમાં તીક્ષ્ણ વસ્તુઓ સુરક્ષિત મૂકવી

ઘર સુરક્ષિત ન હોય તો સ્થળાંતરિત થાઓ

વાવાઝોડા સમયે અને ત્યારબાદ વીજળી અને ગૅસનો સપ્લાય બંધ કરવો

બારી-બારણાં બંધ રાખવા

અધિકારીક અને સાચા સમાચાર પર વિશ્વાસ કરો

જો બહાર છો તો અસુરક્ષિત બિલ્ડિંગ કે મકાનમાં જવું નહીં

બહાર તૂટેલાં વીજળીના થાંભલા, વાયર, તીક્ષ્ણ વસ્તુઓથી દૂર રહેવું

ઉકાળેલું અને ક્લોરિનયુક્ત પાણી પીઓ

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો