આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયોમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-08-2021

આજે શ્રવણ મહિનાનો પ્રથમ સોમવારે સમગ્ર ગુજરાતભરના શિવાલયોમાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. ગુજરાતના તમામ શિવાલયોમાં લોકો શિવજીના દર્શને ઉમટી પડ્યા હતા. કોવીડ પરિસ્થિતિ બાદ જયારે જાહેર સ્થળોમાં મંદિરો પણ દર્શન માટે ખુલા મુકાયા છે ત્યાર બાદ પ્રથમ વખત શિવાલયોમાં લોકોની આટલી ભીડ જોવા મળી હતી.

પ્રસ્તુત તસ્વીર આજની રાજકોટના રામનાથ મહાદેવ મંદિરની છે જ્યાં શ્રદ્ધાળુઓની ભીડ જામી હતી (તસ્વીર: અજય કાંજીયા)