બાળકોની સારવાર માટે કેન્દ્રની ગાઇડલાઇન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-06-2021

રેમડેસિવિર ઇન્જેક્શનનો ઉપયોગ નહીં કરવા સલાહ: કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક સાબિત થવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને સરકારોએ પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. આ ક્રમમાં કેન્દ્ર સરકારે બાળકોની સારવાર સંબંધી ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બાળકોમાં રેમડિસિવિર ઇન્જેક્શનનો ઉપયોગ ના કરવાની સલાહ આપવામાં આવી છે.

ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે સારવાર દરમિયાન સ્ટીરોઇડના ઉપયોગ પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. તેનો ઉપયોગ યોગ્ય સમય પર અને યોગ્ય માત્રામાં કરવો ખૂબ જરૂરી છે. તે ઉપરાંત મેડિકલ સલાહ વગર સ્ટીરોઇડનો ઉપયોય બિલકુલ ન કરવો જોઈએ.

સિટી સ્કેનનો ઉપયોય પણ સમજી-વિચારીને કરવાની સલાહ આપવામાં આવી છે. ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે ડોક્ટરોએ બાળકોના સિટી સ્કેન કરાવતી વખતે ખુબ જ સંવેદનશીલતા દર્શાવવી જોઈએ. બીજી તરફ, રેમડેસિવિર ઈન્જેક્શનના ઉપયોગને લઈને કહેવામાં આવ્યું છે કે એફિકસી ડેટા ના હોવાના કારણે બાળકોમાં તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો