રાજ્ય સરકારનો મોટો નિર્ણય, મ્યુકોર માઇકોસિસ મહામારી જાહેર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-05-2021

ગુજરાત સરકારે રાજ્યમાં વધી રહેલા મ્યુકોર માઇકોસિસના કેસને જોતા મોટો નિર્ણય કર્યો છે. હવે તેને મહામારી જાહેર કરી દેવામાં આવી છે.

રાજ્યમાં કોરોના વાયરસ બાદ વધી રહેલા મ્યુકોર માયકોસિસના કેસે રાજ્ય સરકારની ચિંતા વધારી દીધી છે. કોરોનાથી સાજા થનારા લોકો આ સંક્રમણનો શિકાર બની રહ્યાં છે. હવે રાજ્ય સરકારે મોટો નિર્ણય લેતા મ્યુકોર માઇકોસિસને મહામારી જાહેર કરી છે.

મુખ્યમંત્રીએ કરી જાહેરાત: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતમાં મ્યુકોર માયરોસિસના રોગને મહામારી ઘોષિત કરવા માં આવી છે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ રોગચાળા અંગે વિશદ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ વિશદ ચર્ચાઓ દરમ્યાન એમ પણ જણાવવામાં આવ્યું કે એપીડેમિક ડીસીઝ એક્ટ 1857 અન્વયે આ રોગને મહામારી જાહેર કરવામાં આવેલો છે.

આ સંદર્ભમાં હવે આ રોગની સારવાર કરતી સરકારી અને ખાનગી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોએ સ્ક્રીનીંગ ડાયગનોસિસ અને ટ્રીટમેન્ટ માટે ભારત સરકારના આરોગ્ય વિભાગ તેમજ આઇ સી એમ આર દ્વારા આ રોગ માટે નક્કી કરવામાં આવેલી ગાઈડ લાઇન્સનું પાલન કરવાનું રહેશે. આ રોગના શંકાસ્પદ તેમજ કનફર્મ કેસોની વિગતો ભારત સરકારને સમયાંતરે મોકલવાની રહેશે

જાણો શું છે બ્લેક ફંગસ સંક્રમણ: કોરોનાથી અત્યાર સુધી ઘણા લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત હવે કોરોનાની સારવારમાં અને તેની બાદ ભારતમાં Mucormycosis અથવા બ્લેક ફફંગસના કેસો વધી રહ્યા છે. આ ચેપ એટલો ગંભીર છે કે દર્દીઓને બચાવવા માટે તેમની આંખો પણ નીકાળવી પડે છે. મ્યુકોમાઇકોસિસ અથવા બ્લેક ફંગસના ઘણા પ્રકારો છે અને હવે સરકારે આ માટે કેટલાક સૂચના પણ જાહેર કરી છે. તેવા સમયે આવો જાણીએ આ પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઇએ.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો