બજેટઃ અઢી લાખથી વધુ રૂપિયા PFમાં જમા કરાવનારાઓને ફટકો, હવે ભરવો પડશે ટેક્સ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-02-2021

પીએફમાં વધારે રૂપિયા જમા કરાવીને ટેક્સ બચાવતા લોકોને આ બજેટમાં મોટો ફટકો પડ્યો છે. સારી કમાણી કરનારા લોકો અત્યાર સુધી ટેક્સ-ફ્રી હેવન તરીકે પીએફનો ઉપયોગ કરતા હતા પરંતુ બજેટમાં તે છૂટને ખતમ કરી દેવામાં આવી છે. એક વર્ષમાં 2.5 લાખથી વધારે પ્રોવિડન્ટ ફંડ જમા કરવા પર મળતું વ્યાજ હવે ટેક્સના ઘેરામાં આવી ગયું છે. આનાથી ઊંચી આવક ધરાવતા પગારદારોની સીધી અસર થશે જે ટેક્સ ફ્રી ઈન્ટરેસ્ટ કમાવનારા માટે વોલેન્ટરી પ્રોવિડન્ટ ફંડનો ઉપયોગ કરતા હતા.

આ પ્રથમ વખત નથી જ્યારે સરકારે પીએફના રૂપિયા પર ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. 2016ના બજેટમાં પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે ઈપીએફના 60 ટકા પર મળેલા વ્યાજને ટેક્સની મર્યાદામાં લાવવામાં આવ્યું હતું. જોકે, નવા ટેક્સ વિરુદ્ધ મોટા પાયે વિરોધ થયો હતો અને પ્રસ્તાવને પાછો લેવો પડ્યો હતો.

2021ના બજેટમાં યુલિપની કલમ 10 (10ડી) અંતર્ગત એક વર્ષમાં 2.5 લાખ રૂપિયાથી વધારે પ્રીમિયમ પર ટેક્સ છૂટને હટાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જોકે, આ વર્તમાન યુલિપ પર લાગુ નહીં થાય ફક્ત આ વર્ષે 1 ફેબ્રુઆરી બાદ વેચવામાં આવેલી પોલિસી માટે હશે.

આની સૌથી મોટી અસર ક્રીમી લેયરને થશે. આ વખતે આ પ્રસ્તાવ વિરુદ્ધ લોકોનો આક્રોશ ઓછો થઈ શકે છે કેમ કે તેનાથી પગારદારોમાં ફક્ત ક્રીમી લેયરને જ અસર થઈ શકે છે. આને આ રીતે સમજીએ કે 2.5 લાખ રૂપિયાની વાર્ષિક મર્યાદાનો મતલબ એ છે કે પીએફ (દર મહિને 1.73 લાખ રૂપિયા સુધીની બેઝિક સેલેરી)માં દર મહિને 20,833 રૂપિયા જમા કરાવવામાં આવે તો ટેક્સથી બચી શકાય છે.

બીજી તરફ 1 એપ્રિલથી નવો વેઝ કોડ પણ આવવાનો છે જેમાં નિર્ધારીત કરવામાં આવ્યું છે કે બેઝિક સેલેરી વ્યક્તિની કુલ આવકના ઓછામાં ઓછા 50 ટકા હોવી જોઈએ. તેનો મતલબ છે કે વધારે બેઝિક સેલેરી સાથે સ્ટ્રક્ચર બદલાશે અને તેવામાં જાતે જ પીએફમાં યોગદાન વધશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો