1 ડિસેમ્બર: આજથી બદલાઈ રહ્યા છે ઘણા નિયમો, જાણી લેશો તો ફાયદામાં રહેશો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-12-2020

1 ડિસેમ્બર એટલે કે, આજથી વર્ષ 2020ના છેલ્લા મહિનાની શરૂઆત થઈ રહી છે. ડિસેમ્બર મહિનામાં ઘણી વસ્તુઓ બદલાઈ રહી છે. આ બદલાવની સીધી અસર સામાન્ય લોકોના જીવન પર પડશે. ભારતીય રિઝર્વ બેંકે કહ્યું છે કે, આરટીજીએસ ટ્રાન્ઝેક્શન સુવિધા 1 ડિસેમ્બર 2020થી 24 કલાક માટે ઉપલબ્ધ રહેશે. કોરોના યુગમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શનમાં નોંધપાત્ર વધારો થયો છે. તેને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ બેંકે આ નિર્ણય લીધો છે. અગાઉ આરબીઆઈએ NEFTના નિયમોમાં પણ ફેરફાર કર્યા હતા. વર્તમાન નિયમો અનુસાર બીજા અને ચોથા શનિવાર સિવાય મહિનાના તમામ કાર્યકારી દિવસોમાં સવારે 7 થી સાંજનાં 6 સુધી આરટીજીએસની સહાયથી ફંડ ટ્રાન્સફર કરી શકાય છે. આ ઉપરાંત 1 ડિસેમ્બરથી ઘણી બધી વસ્તુઓ અને નિયમો બદલાઈ રહ્યા છે જે તમારે જાણવું જરૂરી છે.

દર મહિનાની પ્રથમ તારીખે એલપીજી ગેસના ભાવમાં ફેરફાર થાય છે. એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં આ વખતે પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સતત પાંચમો મહિનો છે જ્યારે એલપીજી ગેસે સિલિન્ડરની કિંમત સ્થિર બનેલી છે. અત્યારે દિલ્હીમાં 14 કિલો ગેસ સિલિન્ડરની કિંમત 594 રૂપિયા છે. કોલકાતામાં 620.50 રૂપિયા, મુંબઇમાં 594 રૂપિયા અને ચેન્નઇમાં 610 રૂપિયા છે. પેટ્રોલિયમ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે.

PNB એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર

પંજાબ નેશનલ બેંક (PNB)એ 1 ડિસેમ્બરથી રોકડ ઉપાડના નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. બેંકના મતે નવો નિયમ તદ્દન સલામત રહેશે. પીએનબી 1 ડિસેમ્બરથી વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) આધારિત કેશ ઉપાડની સુવિધા અમલમાં મૂકશે. એક સમયે 10,000 રૂપિયાથી વધુની રોકડ ઉપાડ હવે ઓટીપી આધારિત હશે. PNB બેંકમાં આ નિયમ 1 ડિસેમ્બરથી સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા દરમિયાન લાગુ રહેશે. આનો અર્થ એ કે પીએનબી ગ્રાહકોને આ સમયગાળા દરમિયાન 10,000 રૂપિયાથી વધુ ઉપાડવા માટે ઓટીપીની જરૂર પડશે. ગ્રાહકોના રજિસ્ટર્ડ મોબાઈલ પર ઓટીપી આવશે.

નવી ટ્રેનો

મુંબઇ-હાવડા ડેઇલી સુપરફાસ્ટ ટ્રેન 1 ડિસેમ્બરથી ફરી શરૂ કરવામાં આવી રહી છે. મુંબઇ-હાવડા ટ્રેન તેના જૂના સમયથી ચાલશે. તેના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જબલપુર-નાગપુર વિશેષ ટ્રેન પણ 1 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. લોકડાઉન થયા બાદ તેની સેવા બંધ કરવામાં આવી હતી. જેના કારણે મુસાફરો જબલપુર અને નાગપુર માટે મુશ્કેલીમાં મુકાયા હતા. રીવા સ્પેશિયલ અને સિંગરૌલી સ્પેશિયલ ટ્રેન પણ 1 ડિસેમ્બરથી ચલાવવામાં આવશે. આ બંને ટ્રેનો જબલપુરના મદન મહેલ સ્ટેશનથી ચલાવવામાં આવશે. આ નવી ટ્રેનોમાં ઝેલમ એક્સપ્રેસ અને પંજાબ મેઇલનો પણ સમાવેશ છે. આ બંને ટ્રેનો સામાન્ય કેટેગરીમાં દોડાવવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63